નૂરખાન, મુરીદ ચકવાલ અને રફીકી... જાણો પાકિસ્તાન માટે કેટલા મહત્વપૂર્ણ છે આ એરબેઝ, જેને ભારતે બનાવ્યા નિશાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે પાકિસ્તાને ફરી એકવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરીને ભારતના ઘણા શહેરોના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ભારતીય સુરક્ષા દળોએ આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો. જવાબમાં, ભારતે કડક વલણ અપનાવતા પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો અને તેની મિસાઇલ કાર્યવાહીમાં પાકિસ્તાનના ત્રણ મુખ્ય એરબેઝને નિશાન બનાવ્યા.

Pakistan2
wikipedia.org

ભારતના મિસાઇલ હુમલામાં મુરીદ ચકવાલ, સોરકોટ અને નૂરખાન એરબેઝ મુખ્ય રીતે નિશાન બન્યા છે અને તેમને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો હતો કે ભારતે આ એરબેઝ પર તેના ફાઇટર જેટથી એયર ટુ સરફેસ મિસાઈલો છોડી હતી. આ ત્રણ મુખ્ય એરબેઝ છે-

મુરીદ ચકવાલ એરબેઝ, પંજાબ - મુરીદ ચકવાલ એરબેઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં સ્થિત એક મુખ્ય લશ્કરી એરબેઝ છે. તે ઇસ્લામાબાદથી લગભગ 120 કિલોમીટર દૂર સ્થિત છે. આ એરબેઝ પાકિસ્તાન વાયુસેના માટે એક વ્યૂહાત્મક કેન્દ્ર છે, જેનો ઉપયોગ હવાઈ સંરક્ષણ, તાલીમ અને લડાઇ કામગીરીમાં કરવામાં આવે છે.

અહીં ઘણા આધુનિક ફાઇટર પ્લેન તૈનાત છે. તેની રણનીતિક સ્થિતિ તેને પ્રાદેશિક સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે. બેઝમાં રનવે, હેંગર, કંટ્રોલ ટાવર અને અન્ય આધુનિક લશ્કરી સુવિધાઓ છે. વધુમાં, આ એરબેઝ પાકિસ્તાનના માનવરહિત હવાઈ કામગીરી (UAV/UCAV) માટે એક મુખ્ય કેન્દ્ર છે જ્યાં શાહપર-1 અને બૈરાકટર TB2 જેવા અદ્યતન ડ્રોન તૈનાત છે. મુરીદ એરબેઝ પરથી ભારત પર ઘણા ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, ભારતની આના પર કરેલી કાર્યવાહીને પાકિસ્તાની આક્રમણનો સીધો જવાબ માનવામાં આવી રહ્યો છે.

Pakistan
aajtak.in

નૂર ખાન એર બેઝ, રાવલપિંડી - પહેલા ચકલા એરબેઝના નામથી ઓળખાતું નૂર ખાન એર બેઝ, પાકિસ્તાન એરફોર્સનું એક મુખ્ય અને રણનીતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ બેઝ છે. આ એરબેઝ રાવલપિંડીના ચકલા વિસ્તારમાં સ્થિત છે અને ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક છે.

આ એરબેઝનું નામ પાકિસ્તાન એરફોર્સના ભૂતપૂર્વ એર માર્શલ નૂર ખાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ એરબેઝ મુખ્યત્વે VIP મૂવમેન્ટ અને લોજિસ્ટિક્સ ઓપરેશનો માટે ઉપયોગ થાય છે. પાકિસ્તાનની ઉચ્ચ-સ્તરીય લશ્કરી ફ્લાઇટ્સ અને વિશેષ મિશનોનું સંચાલનમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, જેના કારણે આ એરબેઝને પાકિસ્તાન વાયુસેનાની 'લાઈફલાઈન' કહેવામાં આવે છે.

રફીકી એરબેઝ, શોરકોટ (પંજાબ) - પાકિસ્તાનના ઝંગ જિલ્લામાં શોરકોટ નજીક સ્થિત પીએએફ રફીકી એરબેઝને પણ ભારતે તેના હુમલામાં નિશાન બનાવ્યું હતું. આ એરબેઝ આક્રમક હવાઈ કામગીરીમાં તેની ભૂમિકા માટે જાણીતું છે. તેનું નામ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા સ્ક્વોડ્રન લીડર સરફરાઝ અહમદ રફીકીના સન્માનમાં રાખવામાં આવ્યું છે.

અહીં JF-17 થંડર અને મિરાજ જેવા અત્યાધુનિક ફાઇટર પ્લેન તૈનાત છે. આ એરબેઝ પાકિસ્તાન એરફોર્સના સેન્ટ્રલ એર કમાન્ડ હેઠળ આવે છે અને પશ્ચિમી અને પૂર્વીય સરહદો પર ઝડપી કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો લાંબો રનવે અને અદ્યતન મેંટેનેંસ સુવિધાઓ તેને પાકિસ્તાનની હવાઈ સુરક્ષાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બનાવે છે.

રહીમ યાર ખાન એરબેઝ, પંજાબ - ગઈકાલે રાત્રે ભારતે રહીમ ખાન એરબેઝને નિશાન બનાવ્યું હતું. હુમલા પછી અહીં એક મોટો ખાડો જોવા મળ્યો. રહીમ યાર ખાન એરબેઝ, જેને સત્તાવાર રીતે પીએએફ બેઝ રહીમ યાર ખાન કહેવામાં આવે છે,પાકિસ્તાન વાયુસેનાનું લશ્કરી એરબેઝ છે,જે  પંજાબ પ્રાંતના દક્ષિણ વિસ્તારમાં સ્થિત છે. આ બેઝ રહીમ યાર ખાન શહેરની નજીક આવેલું છે અને પાકિસ્તાન વાયુસેનાના એરબેઝની યાદીમાં સામેલ છે.

તેનું રણનીતિક મહત્વ તેના ભૌગોલિક સ્થાનને કારણે છે, જે તેને દેશના દક્ષિણ અને પૂર્વીય પ્રદેશોમાં ઝડપી પ્રતિભાવ અને કામગીરી માટે યોગ્ય બનાવે છે. 10 મે 2025 ના રોજ, રહીમ યાર ખાન એરબેઝ પર એક મિસાઇલ હુમલા પછી એક મોટો ખાડો જોવા મળ્યો હતો, જે સંભવિત રીતે એક લશ્કરી હુમલાનો સંકેત આપે છે.

About The Author

Related Posts

Top News

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.