USએ પૂછ્યા કે કહ્યા વિના ટેક્સ નાખ્યો, હવે ભારતનો વારો, સફરજન-બદામ, નાસપતી સહિત 29ની યાદી બનાવી

હાલમાં, અમેરિકા દરેક દેશને માટે માથાનો દુખાવો બની રહ્યું છે. પહેલા બધા દેશો પર ટેરિફ નાખ્યો, પછી તેને 90 દિવસ માટે મુલતવી રાખ્યો. ચીન પર ભારે કર નાખ્યો, પરંતુ હવે તેની સાથે વાટાઘાટો કરી રહ્યા છે. એવું લાગે છે કે તે ભારત સાથે ખૂબ જ સારો વ્યવહાર કરી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે. અમેરિકાએ ભારતમાંથી નિકાસ થતા સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા ટેરિફ નાખ્યો છે, જે વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમોની વિરુદ્ધ છે, જોકે ટેરિફ અંગે બંને વચ્ચે હજુ સુધી કોઈ સત્તાવાર સોદો થયો નથી. હવે ભારતે પણ અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપવાની યોજના બનાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતે વિશ્વ વેપાર સંગઠનમાં અમેરિકાથી આવતા 29 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

India-29-US-Products2
livehindustan.com

ભારતે જે 29 ઉત્પાદનો પર વધારાના ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે તેમાં સફરજન, બદામ, નાસપતી, એન્ટિ-ફ્રીઝિંગ ઉત્પાદનો, બોરિક એસિડ અને લોખંડ અને સ્ટીલથી બનેલી કેટલીક વસ્તુઓનો સમાવેશ થાય છે. ટેરિફ લાદવા અંગે, અમેરિકાએ કહ્યું છે કે આ ટેરિફ તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે, પરંતુ ભારત માને છે કે આ ટેરિફ WTOના નિયમોની વિરુદ્ધ છે. ભારતનું કહેવું છે કે અમેરિકાના આ પગલાથી ભારતમાંથી 7.6 બિલિયન ડૉલરની આયાત પર અસર પડશે, જેના કારણે ભારતને 1.91 બિલિયન ડૉલરનું નુકસાન થશે.

આ સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને, ભારતે બદલાની કાર્યવાહી તરીકે અમેરિકાથી આવતા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે. આ એક પ્રકારનો વેપાર સંતુલન બનાવવાનો પ્રયાસ છે. ભારતે WTOને જણાવ્યું હતું કે તે 30 દિવસ પછી આ ટેરિફ લાદી શકે છે, અને જો જરૂરી હોય તો આ ઉત્પાદનોની યાદી અથવા ટેરિફ દરોમાં પણ ફેરફાર કરી શકે છે. ભારતનું કહેવું છે કે અમેરિકાએ WTOના નિયમોનું પાલન કર્યું નથી, કારણ કે તેણે આ ટેરિફ લાદતા પહેલા WTOને જાણ કરી ન હતી, ન તો તેણે ભારત સાથે આ અંગે ચર્ચા કરી હતી.

ભારત માને છે કે અમેરિકાના આ પગલાં WTO વેપાર નિયમો (GATT 1994 અને AoS કરાર)ની વિરુદ્ધ છે. તેથી, ભારત હવે અમેરિકાથી આવતા કેટલાક ઉત્પાદનો પર કર વધારવાની તૈયારી કરી રહ્યું છે, જેથી વેપારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. ભારતે WTOને જણાવ્યું છે કે તે આ કર લાદવાનો અધિકાર અનામત રાખે છે અને જો જરૂરી હોય તો ભવિષ્યમાં આ નિયમોમાં ફેરફાર અથવા વધારો કરી શકે છે.

India-29-US-Products1
bharat24live.com

ભારતનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાએ ભારત અને અન્ય ઘણા દેશો (ચીન સિવાય) પર 10 ટકાનો વધારાનો કર નાખ્યો છે. જોકે, ભારત માટે 26 ટકા સુધીનો વધુ કર નાખવાની યોજના 9 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે.

બીજી તરફ, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે. બંને દેશો 2030 સુધીમાં પરસ્પર વેપાર 500 અબજ ડૉલર સુધી વધારવાના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. ભારતીય વેપાર અધિકારીઓ ટૂંક સમયમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમેરિકાની મુલાકાતે જવાના છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, ભારતના નવા પ્રસ્તાવ પર અમેરિકા તરફથી શું પ્રતિભાવ મળે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.