પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે UAEનો પ્રવાસ કરશે, પરંતુ 5 T20 ઇન્ટરનેશનલ રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા બાબતે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અગાઉ, અમીરાત ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશ મે મહિનામાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં UAE વિરુદ્ધ બે T20 મેચ રમશે. આ મેચો 17 અને 19 મેના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે 7:00 વાગ્યે રમાશે. પાકિસ્તાન વિરુદ્ધ 5 T20 મેચ 25 મે થી 3 જૂન સુધી રમવાની હતી.

pakistan1
economictimes.com

બાંગ્લાદેશે આ સીરિઝ બાદ પાકિસ્તાન જવાનું હતું. જોકે, BCBએ કહ્યું કે તેમણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સીમા પર તણાવને જોતા આ નિર્ણય ટાળી દીધો છે, જેના કારણે IPL અને PSL બંને સ્થગિત થઈ ગયા છે. BCBના ડિરેક્ટરોએ શનિવારે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બેઠક કરીને પોતાની આગામી રણનીતિ પર ચર્ચા કરી હતી. BCBએ એક નિવેદનમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય જોડાણ અને તૈયારી માટે પોતાની નિરંતર પ્રતિબદ્ધતા હેઠળ, બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મેજબાન દેશ વિરુદ્ધ 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)નો પ્રવાસ કરશે. આ સીરિઝ આગામી અઠવાડિયે શરૂ થવાની છે.

bangladesh-cricket-board1
indiatoday.in

તેમાં કહેવામાં આવ્યું છે કે, BCB એ વાતનો પુનરોચ્ચાર કરવા માગે છે કે તેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા બોર્ડની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રવાસ સાથે સંબંધિત તમામ નિર્ણયો પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિનો સાવધાનીપૂર્વક વિચાર કર્યા બાદ  લેવામાં આવશે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે ટીમ અને બાંગ્લાદેશ ક્રિકેટના સર્વોત્તમ હિતોને અનુરૂપ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે બાંગ્લાદેશે આ નિર્ણય લીધો છે. બાંગલાદેશ આ પ્રવાસો બાદ, શ્રીલંકાના પ્રવાસે જશે. જ્યાં વન-ડે, T20 અને ટેસ્ટ મેચોની સીરિઝ રમાશે. વર્ષ 2021 બાદ બાંગ્લાદેશ પહેલી વખત શ્રીલંકાનો પ્રવાસ કરશે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.