હવે કેન્સર પણ જડમૂળથી નાબૂદ થશે, 2030 પહેલા વેક્સીન આવી જશે

કેન્સરનું નામ સાંભળતા જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે. આધુનિક વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે કેન્સરની ફુલપ્રૂફ સારવાર હજુ સુધી સામે આવી નથી. તે હોય તો પણ તેમાં એટલા પૈસા ખર્ચવામાં આવે છે કે, તેની સારવાર કરાવવી સામાન્ય લોકોના હાથમાં રહેતી નથી. આવી સ્થિતિમાં, જો કેન્સરની રસી આવે છે, તો તે લાખો લોકો માટે અંધારામાં પ્રકાશ સમાન હશે. જો કે, સારા સમાચાર એ છે કે કોવિડ 19 માટે રસી તૈયાર કરનાર વૈજ્ઞાનિક દંપતીએ દાવો કર્યો છે કે, વિશ્વને 2030 પહેલા કેન્સરની રસી મળી જશે.

વાસ્તવમાં, બાયો એન્ટેકની સ્થાપના વૈજ્ઞાનિક પ્રોફેસર ઓઝલેમ ટ્યુરેશિયા અને તેમની પત્ની ઉગુર સાહિને કરી હતી. આ બાયોએન ટેકએ ફાઈઝર કંપની સાથે મળીને કોવિડ-19 માટેની રસી વિકસાવી છે. મેસેન્જર RNA પર આધારિત આ રસી મોટાભાગના સમૃદ્ધ દેશોમાં લગાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રોફેસર ઓઝલેમ ટ્યુરેશિયા દંપતીએ મીડિયા સાથેના એક કાર્યક્રમમાં કહ્યું કે, અમને ચોક્કસપણે લાગે છે કે, ખૂબ જ ટૂંક સમયમાં કેન્સરનો ઈલાજ અથવા કેન્સરના દર્દીઓના જીવનને બદલવાની ઈલાજ અમારી મુઠ્ઠીમાં આવી જશે. પ્રોફેસર ઉગુર સાહિને કહ્યું, 'કેન્સરની રસી કોવિડ -19 રસીના વિકાસ દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત કરેલી સફળતાઓ પર આધારિત હશે.' તેમણે કહ્યું કે, હવે માત્ર 8 વર્ષમાં કેન્સરની રસી વ્યાપકપણે ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમને ખાતરી છે કે 2030 પહેલા વિશ્વમાં કેન્સરની રસી ચોક્કસપણે આવી જશે.

વૈજ્ઞાનિક દંપતીએ કહ્યું કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હાલમાં જે કેન્સરની રસી વિકસાવવામાં આવી રહી છે, તે મેસેન્જર RNA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેન્સરના કોષોને ઓળખવા અને હુમલો કરવા માટે તાલીમ આપશે. આ અંગે ખુલાસો કરતાં સાહિને કહ્યું કે, અત્યારે અમારું લક્ષ્ય એ જોવાનું છે કે, શું અમે સર્જરી પછી તરત જ દર્દીઓને વ્યક્તિગત રસી આપી શકીએ કે નહીં. આ પછી, અમે ખાતરી કરીશું કે, કેન્સરના દર્દીને આપવામાં આવેલી રસીની અસર રોગપ્રતિકારક પ્રતિભાવ T કોશિકાઓને સક્રિય કરે છે, જે કેન્સરના કોષને ઓળખે છે અને તેને ગાંઠના કોષોથી અલગ કરે છે.

બાયો એન્ટેક મૂળભૂત રીતે કેન્સરના દર્દીઓની સારવાર માટે ખાસ કરીને મેસેન્જર RNA ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રોફેસર તુરેશિયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ એક યુવાન ચિકિત્સક તરીકે કેન્સરના દર્દીઓને જોતા હતા, ત્યારે તેમનો ઇલાજ ન કરી શકવાનો અનુભવ અત્યંત નિરાશાજનક હતો. આ અનુભવનો ઉપયોગ કેન્સરની રસી બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે કોવિડ-19ની રસી વિકસાવતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આશા છે કે, કેન્સર પર સંશોધન દરમિયાન આ બધું ઉપયોગી થશે. જ્યારે વૈજ્ઞાનિક દંપતીને પૂછવામાં આવ્યું કે, શું તેમને પણ ડર છે કે આટલી મહેનત કરવા છતાં કેન્સરની કોઈ રસી આવી શકે છે જે કામ ન કરી શકે. તેના પર તેણે કહ્યું કે, આમાં કોઈ શંકા નથી. અમે રોગપ્રતિકારક તંત્ર પર કરેલા તમામ કાર્ય સાથે, અમે કેન્સરના કોષોને મારવા માટે કિલર T કોશિકાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા છીએ.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.