હવે કેન્સર પણ જડમૂળથી નાબૂદ થશે, 2030 પહેલા વેક્સીન આવી જશે

કેન્સરનું નામ સાંભળતા જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે. આધુનિક વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે કેન્સરની ફુલપ્રૂફ સારવાર હજુ સુધી સામે આવી નથી. તે હોય તો પણ તેમાં એટલા પૈસા ખર્ચવામાં આવે છે કે, તેની સારવાર કરાવવી સામાન્ય લોકોના હાથમાં રહેતી નથી. આવી સ્થિતિમાં, જો કેન્સરની રસી આવે છે, તો તે લાખો લોકો માટે અંધારામાં પ્રકાશ સમાન હશે. જો કે, સારા સમાચાર એ છે કે કોવિડ 19 માટે રસી તૈયાર કરનાર વૈજ્ઞાનિક દંપતીએ દાવો કર્યો છે કે, વિશ્વને 2030 પહેલા કેન્સરની રસી મળી જશે.

વાસ્તવમાં, બાયો એન્ટેકની સ્થાપના વૈજ્ઞાનિક પ્રોફેસર ઓઝલેમ ટ્યુરેશિયા અને તેમની પત્ની ઉગુર સાહિને કરી હતી. આ બાયોએન ટેકએ ફાઈઝર કંપની સાથે મળીને કોવિડ-19 માટેની રસી વિકસાવી છે. મેસેન્જર RNA પર આધારિત આ રસી મોટાભાગના સમૃદ્ધ દેશોમાં લગાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રોફેસર ઓઝલેમ ટ્યુરેશિયા દંપતીએ મીડિયા સાથેના એક કાર્યક્રમમાં કહ્યું કે, અમને ચોક્કસપણે લાગે છે કે, ખૂબ જ ટૂંક સમયમાં કેન્સરનો ઈલાજ અથવા કેન્સરના દર્દીઓના જીવનને બદલવાની ઈલાજ અમારી મુઠ્ઠીમાં આવી જશે. પ્રોફેસર ઉગુર સાહિને કહ્યું, 'કેન્સરની રસી કોવિડ -19 રસીના વિકાસ દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત કરેલી સફળતાઓ પર આધારિત હશે.' તેમણે કહ્યું કે, હવે માત્ર 8 વર્ષમાં કેન્સરની રસી વ્યાપકપણે ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમને ખાતરી છે કે 2030 પહેલા વિશ્વમાં કેન્સરની રસી ચોક્કસપણે આવી જશે.

વૈજ્ઞાનિક દંપતીએ કહ્યું કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હાલમાં જે કેન્સરની રસી વિકસાવવામાં આવી રહી છે, તે મેસેન્જર RNA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેન્સરના કોષોને ઓળખવા અને હુમલો કરવા માટે તાલીમ આપશે. આ અંગે ખુલાસો કરતાં સાહિને કહ્યું કે, અત્યારે અમારું લક્ષ્ય એ જોવાનું છે કે, શું અમે સર્જરી પછી તરત જ દર્દીઓને વ્યક્તિગત રસી આપી શકીએ કે નહીં. આ પછી, અમે ખાતરી કરીશું કે, કેન્સરના દર્દીને આપવામાં આવેલી રસીની અસર રોગપ્રતિકારક પ્રતિભાવ T કોશિકાઓને સક્રિય કરે છે, જે કેન્સરના કોષને ઓળખે છે અને તેને ગાંઠના કોષોથી અલગ કરે છે.

બાયો એન્ટેક મૂળભૂત રીતે કેન્સરના દર્દીઓની સારવાર માટે ખાસ કરીને મેસેન્જર RNA ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રોફેસર તુરેશિયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ એક યુવાન ચિકિત્સક તરીકે કેન્સરના દર્દીઓને જોતા હતા, ત્યારે તેમનો ઇલાજ ન કરી શકવાનો અનુભવ અત્યંત નિરાશાજનક હતો. આ અનુભવનો ઉપયોગ કેન્સરની રસી બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે કોવિડ-19ની રસી વિકસાવતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આશા છે કે, કેન્સર પર સંશોધન દરમિયાન આ બધું ઉપયોગી થશે. જ્યારે વૈજ્ઞાનિક દંપતીને પૂછવામાં આવ્યું કે, શું તેમને પણ ડર છે કે આટલી મહેનત કરવા છતાં કેન્સરની કોઈ રસી આવી શકે છે જે કામ ન કરી શકે. તેના પર તેણે કહ્યું કે, આમાં કોઈ શંકા નથી. અમે રોગપ્રતિકારક તંત્ર પર કરેલા તમામ કાર્ય સાથે, અમે કેન્સરના કોષોને મારવા માટે કિલર T કોશિકાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા છીએ.

About The Author

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.