4 સ્ટાર સેફ્ટી રેટિંગ, છતાં આ 2 કોમ્પેક્ટ SUV કારો કેમ વેચાતી નથી

ભારતીય બજારમાં SUV કારો ઝડપથી પોપ્યુલર થઇ રહી છે. આ સેગમેન્ટમાં પણ કોમ્પેક્ટ એસયૂવી ગાડીઓનો ક્રેઝ વધી રહ્યો છે. ઓછી કિંમતમાં અવેલેબલ થવાને લઇ લોકો હવે હેચબેક કારોના સ્થાને કોમ્પેક્ટ SUV લેવાનું પસંદ કરી રહ્યા છે. આ કારોમાં મળતી વધારે સ્પેસ, કમ્ફર્ટ અને મોટી કારનો અહેસાસ લોકોને સૌથી વધારે પસંદ આવી રહ્યો છે. આ ખાસિયતોને કારણે ટાટા પંચ, મારુતિ સુઝુકી બ્રેઝા, હ્યુંડૈ વેન્યૂ અને ટાટા નેક્સોન જેવી સબકોમ્પેક્ટ SUV કારોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે.

જોકે, આ સેગમેન્ટમાં પહેલાથી મોજૂદ અમુક સારા ફીચર્સવાળી કારો વધારે કમાલ દેખાડી રહી નથી. આ કારો પછી લોન્ચ થનારી કારોના વેચાણમાં આગળ નીકળી ગઇ છે. કોમ્પેક્ટ એસયૂવી સેગમેન્ટમાં અમુક સૌથી વધારે વેચાતી કારોની વાત કરીએ તો આમાં મારુતિ બ્રેઝા, ટાટા પંચ, હ્યુંડૈ ક્રેટા, મારુતિ ફ્રોંક્સ, હ્યૂંડૈ વેન્યૂ સામેલ છે. આમાંથી અમુક કારોનું વેચાણ મહિને 15000 યૂનિટ્સથી પણ વધારે છે.

આ કારોનો જલવો ઓછો દેખાયો

ભારતીય માર્કેટમાં નિસાન અને રેનો કંપની ઘણાં સમયથી બિઝનેસ કરી રહી છે. આ બંને કંપનીઓ માર્કેટમાં પોતાની કોમ્પેક્ટ એસયૂવી કારો વેચી રહી છે. જોકે વેચાણની વાત કરીએ તો બંને કંપનીઓની કારોનું માસિક વેચાણ અન્ય કંપનીઓની તુલનામાં ઘણું ઓછું છે. નિસાન ભારતીય બજારમાં મેગ્નાઇટનું વેચાણ કરી રહી છે. જેની જુલાઈમાં સેલ્સ માત્ર 2152 યૂનિટ્સ રહી. તો રેનોની કોમ્પેક્ટ એસયૂવી કાઇગરનું વેચાણ માત્ર 3607 યૂનિટ્સ રહ્યું છે.

આ બે કારોની તુલના અમુક ટોપ સેલિંગ કોમ્પેક્ટ એસયૂવી સાથે કરીએ તો પાછલા મહિને મારુતિ બ્રેઝાએ 14,572 યૂનિટ્સ, પંચની 14,523 યૂનિટ્સ ,ફ્રોંક્સની 12,164 યૂનિટ્સ , વેન્યૂની 10,948 યૂનિટ્સ અને નેક્સૉનની 8049 યૂનિટ્સ વેચાઇ છે.

સેફ્ટીના મામલે આ કારો કમાલ છે

નિસાન મેગ્નાઇટ અને રેનો કાઇગર સેફ્ટીની દ્રષ્ટિએ પણ આગળ છે. બંને કારોને 4 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ મળી છે. આ ઉપરાંત બંને કારોમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ(ESP), હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એબીએસ અને એયર પ્યોરિફાયર જેવા એડવાંસ ફીચર્સ પણ મળે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.