આ ઝાડની એક એકરની ખેતીથી 1 કરોડ રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, જાણી લો રીત

ભારતમાં હરિયાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, બિહાર, કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ,ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં મોટા પાયા પર નિલગીરીના ઝાડની ખેતી કરવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ ફર્નીચરથી લઈને પાર્ટીકલ બોર્ડ અને ઈમારતોને બનાવવામાં પણ કરવામાં આવે છે. નિલગીરીન ઘણી જગ્યાઓએ સફેદાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ કોઈ પણ પ્રકારની આબોહવામાં ઉગી શકે છે. સાથે જ કોઈ પણ પ્રકારની માટીમાં તેની ખેતી કરવામાં આવી શકે છે. જોકે 6.5 થી 7.5 વચ્ચેના P.H વાળી જમીન પર આ છોડ ઘણો ઝડપથી વિકાસ પામે છે.

નિલગીરીની ખેતી કરનારા ખેડૂતો માટે સૌથી સારી વાત એ છે કે તમે આ છોડવાઓની વચ્ચે ઓછા સમયમાં નફો આપનારો પાક પણ ઉગાડી શકો છો. આ પાક નિલગીરીની ખેતીનો ખર્ચ કાઢી આપે છે. આ સિવાય સારો નફો પણ મળે છે. આ ઝાડની વચ્ચે તમે હળદર, આદુ, અળસી અને લસણ જેવા નફાકારક પાકને ઉગાડી શકો છો. નિલગીરીની ખેતીને સરકાર દ્વારા એટલું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. માનવામાં આવે છે કે તેની ખેતીથી ભૂજલ સ્તર નીચે જતું રહે છે. જોકે તેને લઈને સરકાર તરફથી કોઈ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું નથી.

તેમછતાં પણ જો ખેડૂત તેની ખેતી કરે છે તો તે માત્ર 10 વર્ષમાં જ એક એકરની જમીનમાં કરોડ રૂપિયા સુધીનો નફો હાંસલ કરવામાં આવી શકે તેમ છે. નિલગીરીના છોડને સંપૂર્ણ તૈયાર થઈને ઝાડ બનવામાં 10 થી 12 વર્ષના સમય લાગી જાય છે. તેની ખેતીમાં ખર્ચ પણ ઓછો થાય છે.

એક ઝાડનું વજન 400 કિલોની આસપાસ હોય છે. એક હેક્ટરના ખેતરમાં આશરે એક થી દોઢ હજાર ઝાડ ઉગાડી શકાય તેમ છે. ઝાડ તૈયાર થયા પછી તેના લાકડાંને વેચીને ખેડૂત સરળતાથી 70 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. આ સિવાય ગ્રામીમ વિસ્તારોમાં વાંસની ખેતી પણ ઘણા મોટા પાયે કરવામાં આવે છે. આ એવી ખેતી છે જેને  એક વખત લગાવ્યા પછી તમે 30 થી 40 વર્ષ સુધી નફો મેળવી શકો છો. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર વાંસી ખેતી માટે પ્રોત્સાહન આપતી જોવા મળી છે.    

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.