મોંઘવારીનો માર, હજુ વધશે ટામેટાના ભાવ, જાણો કારણ

ટામેટાના ભાવ આસમાને છે. જેના કારણે ઘરના બજેટ ખોરવાઇ ગયા છે. 15 દિવસ પહેલા સુધી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાતા ટામેટા હવે લાલ થઇને 150 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન, ખબરો અનુસાર, ટામેટાની કિંમતોમાં હજુ વધારો થવાની શક્યતા છે. પહેલા આશા કરવામાં આવી રહી હતી કે, 15મી જુલાઇ પછી ટામેટાની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. પણ હાલ એક સપ્તાહ સુધી તેના ભાવમાં ઘટાડો આવવાની કોઇ શક્યતા નથી. ટામેટા સિવાય કોબીજ, ફ્લાવર, કાકડી, પાંદડા વાળા શાકભાજી વગેરે શાકભાજી પણ મોંઘા થવાની શક્યતા છે.

કેટલાક રાજ્યોમાં ટામેટા 200 રૂપિયા કિલો સુધી પણ વેચાઇ રહ્યા છે. ભાવ વધવાના કારણે ગૃહિણિઓની રસોઇમાંથી ટામેટા હવે ગાયબ થઇ રહ્યા છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, હિમાચલ પ્રદેશમાં જ્યારે ભારે વરસાદના કારણે પાકની કાપણી અને સપ્લાઇમાં બાધા આવી રહી છે. એક્સપર્ટ્સના હવાલાથી અખબારે લખ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા બજારમાં નથી આવી રહ્યા. સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભારે મુશ્કેલીઓ આવી રહી છે.

હાલમાં હિમાચલ પ્રદેશ દેશમાં ટામેટાનું મુખ્ય સ્ત્રોત છે. આખા દેશમાં હિમાચલથી જ વધારે પડતા ટામેટા સહિત અન્ય શાકભાજીઓની પણ સપ્લાઇ થાય છે. પણ હાલ દેશના અધિકાંશ હિસ્સાઓમાં કર્ણાટકની રાજધાની બેંગલુરૂથી સપ્લાઇ થઇ રહ્યું છે. ટામેટા સિવાય ફ્લાવર, કોબીજ, કાકડી જેવા શાકભાજી જેવા શાકભાજીનું સપ્લાઇ થાય છે.

દેશના કેટલાક રાજ્યોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા સાથે સાથે ફ્લાવર, કોબીજ, ભાજી, કાકડી વગેરેના ભાવ પણ વધી શકે છે. બેંગલુરૂ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હોર્ટીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટરે મીડિયાને કહ્યું કે, ઉત્તરના રાજ્યો ખાસકરીને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ટામેટા, ફ્લાવર, કોબીજ અને કેપ્સીકમનો વધારે પડતો પાક બરબાદ થઇ જશે. પાણીના ભરાવાને કારણે વાયરસ પાકને ખરાબ કરી દેશે. તેના કારણે આ શાકભાજીઓની સપ્લાઇ પ્રભાવિત થશે અને ભાવમાં વધારો થશે.

આ સીઝનમાં કોબીજ, ફ્લાવર અને કેપ્સીકમની વધારે પડતી સપ્લાઇ હિમાચલ પ્રદેશથી જ થાય છે. હિમાચલ પ્રદેશથી ફક્ત દિલ્હી જ નહીં પણ દેશના વધારે પડતા રાજ્યોમાં આ શાકભાજીઓની સપ્લાઇ થાય છે. એસકે સિંહે કહ્યું કે, શાકભાજીઓની કિંમત વધવાથી લોકો કઠોળ તરફ વળે છે. તેનાથી કઠોળની કિંમતમાં પણ વધારો થઇ શકે છે. હિમાચલ પ્રદેશમા ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે સહિત સેંકડો રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તેનાથી પહાડોથી મેદાન માટે ફળો અને શાકભાજીઓનું ટ્રાસ્પોર્ટેશન અટકી ગયું છે.

બટાકા, ટામેટા અને કાંદા જેવા શાકભાજી અધિકાંશ ભારતીય ભાજનનો હિસ્સો છે, પણ આ શાકભાજીઓના ભાવમાં વધારાના કારણે ઘરોના માસિક બજેટમાં ગરબડ પેદા કરી દીધી છે. 2016માં કાંદાના કારણે લોકોની આંખમાં આંસુ આવ્યા હતા અને હવે ટામેટાની કિંમત ખૂબ જ વધી ગઇ છે.

હાલના રિપોર્ટ અનુસાર, આખા દેશમાં વિભિન્ન ક્ષેત્રોમાં ટામેટાની કિંમત મે મહિનાના પહેલા સપ્તાહમાં 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને આશ્ચર્યજનક રૂપે 120થી 150 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. હોલસેલરોનું કહેવું છે કે, એક સપ્તાહમાં શાકભાજીઓના ભાવ બેગણા વધી ગયા છે અને તેમનું વેચાણ 40 ટકા સુધી ઓછું થઇ ગયું છે.

About The Author

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.