મોંઘવારીનો માર, હજુ વધશે ટામેટાના ભાવ, જાણો કારણ

ટામેટાના ભાવ આસમાને છે. જેના કારણે ઘરના બજેટ ખોરવાઇ ગયા છે. 15 દિવસ પહેલા સુધી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાતા ટામેટા હવે લાલ થઇને 150 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન, ખબરો અનુસાર, ટામેટાની કિંમતોમાં હજુ વધારો થવાની શક્યતા છે. પહેલા આશા કરવામાં આવી રહી હતી કે, 15મી જુલાઇ પછી ટામેટાની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. પણ હાલ એક સપ્તાહ સુધી તેના ભાવમાં ઘટાડો આવવાની કોઇ શક્યતા નથી. ટામેટા સિવાય કોબીજ, ફ્લાવર, કાકડી, પાંદડા વાળા શાકભાજી વગેરે શાકભાજી પણ મોંઘા થવાની શક્યતા છે.

કેટલાક રાજ્યોમાં ટામેટા 200 રૂપિયા કિલો સુધી પણ વેચાઇ રહ્યા છે. ભાવ વધવાના કારણે ગૃહિણિઓની રસોઇમાંથી ટામેટા હવે ગાયબ થઇ રહ્યા છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, હિમાચલ પ્રદેશમાં જ્યારે ભારે વરસાદના કારણે પાકની કાપણી અને સપ્લાઇમાં બાધા આવી રહી છે. એક્સપર્ટ્સના હવાલાથી અખબારે લખ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા બજારમાં નથી આવી રહ્યા. સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભારે મુશ્કેલીઓ આવી રહી છે.

હાલમાં હિમાચલ પ્રદેશ દેશમાં ટામેટાનું મુખ્ય સ્ત્રોત છે. આખા દેશમાં હિમાચલથી જ વધારે પડતા ટામેટા સહિત અન્ય શાકભાજીઓની પણ સપ્લાઇ થાય છે. પણ હાલ દેશના અધિકાંશ હિસ્સાઓમાં કર્ણાટકની રાજધાની બેંગલુરૂથી સપ્લાઇ થઇ રહ્યું છે. ટામેટા સિવાય ફ્લાવર, કોબીજ, કાકડી જેવા શાકભાજી જેવા શાકભાજીનું સપ્લાઇ થાય છે.

દેશના કેટલાક રાજ્યોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા સાથે સાથે ફ્લાવર, કોબીજ, ભાજી, કાકડી વગેરેના ભાવ પણ વધી શકે છે. બેંગલુરૂ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હોર્ટીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટરે મીડિયાને કહ્યું કે, ઉત્તરના રાજ્યો ખાસકરીને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ટામેટા, ફ્લાવર, કોબીજ અને કેપ્સીકમનો વધારે પડતો પાક બરબાદ થઇ જશે. પાણીના ભરાવાને કારણે વાયરસ પાકને ખરાબ કરી દેશે. તેના કારણે આ શાકભાજીઓની સપ્લાઇ પ્રભાવિત થશે અને ભાવમાં વધારો થશે.

આ સીઝનમાં કોબીજ, ફ્લાવર અને કેપ્સીકમની વધારે પડતી સપ્લાઇ હિમાચલ પ્રદેશથી જ થાય છે. હિમાચલ પ્રદેશથી ફક્ત દિલ્હી જ નહીં પણ દેશના વધારે પડતા રાજ્યોમાં આ શાકભાજીઓની સપ્લાઇ થાય છે. એસકે સિંહે કહ્યું કે, શાકભાજીઓની કિંમત વધવાથી લોકો કઠોળ તરફ વળે છે. તેનાથી કઠોળની કિંમતમાં પણ વધારો થઇ શકે છે. હિમાચલ પ્રદેશમા ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે સહિત સેંકડો રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તેનાથી પહાડોથી મેદાન માટે ફળો અને શાકભાજીઓનું ટ્રાસ્પોર્ટેશન અટકી ગયું છે.

બટાકા, ટામેટા અને કાંદા જેવા શાકભાજી અધિકાંશ ભારતીય ભાજનનો હિસ્સો છે, પણ આ શાકભાજીઓના ભાવમાં વધારાના કારણે ઘરોના માસિક બજેટમાં ગરબડ પેદા કરી દીધી છે. 2016માં કાંદાના કારણે લોકોની આંખમાં આંસુ આવ્યા હતા અને હવે ટામેટાની કિંમત ખૂબ જ વધી ગઇ છે.

હાલના રિપોર્ટ અનુસાર, આખા દેશમાં વિભિન્ન ક્ષેત્રોમાં ટામેટાની કિંમત મે મહિનાના પહેલા સપ્તાહમાં 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને આશ્ચર્યજનક રૂપે 120થી 150 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. હોલસેલરોનું કહેવું છે કે, એક સપ્તાહમાં શાકભાજીઓના ભાવ બેગણા વધી ગયા છે અને તેમનું વેચાણ 40 ટકા સુધી ઓછું થઇ ગયું છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.