મોંઘવારીનો માર, હજુ વધશે ટામેટાના ભાવ, જાણો કારણ

ટામેટાના ભાવ આસમાને છે. જેના કારણે ઘરના બજેટ ખોરવાઇ ગયા છે. 15 દિવસ પહેલા સુધી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાતા ટામેટા હવે લાલ થઇને 150 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન, ખબરો અનુસાર, ટામેટાની કિંમતોમાં હજુ વધારો થવાની શક્યતા છે. પહેલા આશા કરવામાં આવી રહી હતી કે, 15મી જુલાઇ પછી ટામેટાની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. પણ હાલ એક સપ્તાહ સુધી તેના ભાવમાં ઘટાડો આવવાની કોઇ શક્યતા નથી. ટામેટા સિવાય કોબીજ, ફ્લાવર, કાકડી, પાંદડા વાળા શાકભાજી વગેરે શાકભાજી પણ મોંઘા થવાની શક્યતા છે.

કેટલાક રાજ્યોમાં ટામેટા 200 રૂપિયા કિલો સુધી પણ વેચાઇ રહ્યા છે. ભાવ વધવાના કારણે ગૃહિણિઓની રસોઇમાંથી ટામેટા હવે ગાયબ થઇ રહ્યા છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, હિમાચલ પ્રદેશમાં જ્યારે ભારે વરસાદના કારણે પાકની કાપણી અને સપ્લાઇમાં બાધા આવી રહી છે. એક્સપર્ટ્સના હવાલાથી અખબારે લખ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા બજારમાં નથી આવી રહ્યા. સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભારે મુશ્કેલીઓ આવી રહી છે.

હાલમાં હિમાચલ પ્રદેશ દેશમાં ટામેટાનું મુખ્ય સ્ત્રોત છે. આખા દેશમાં હિમાચલથી જ વધારે પડતા ટામેટા સહિત અન્ય શાકભાજીઓની પણ સપ્લાઇ થાય છે. પણ હાલ દેશના અધિકાંશ હિસ્સાઓમાં કર્ણાટકની રાજધાની બેંગલુરૂથી સપ્લાઇ થઇ રહ્યું છે. ટામેટા સિવાય ફ્લાવર, કોબીજ, કાકડી જેવા શાકભાજી જેવા શાકભાજીનું સપ્લાઇ થાય છે.

દેશના કેટલાક રાજ્યોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ટામેટા સાથે સાથે ફ્લાવર, કોબીજ, ભાજી, કાકડી વગેરેના ભાવ પણ વધી શકે છે. બેંગલુરૂ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હોર્ટીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટરે મીડિયાને કહ્યું કે, ઉત્તરના રાજ્યો ખાસકરીને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ટામેટા, ફ્લાવર, કોબીજ અને કેપ્સીકમનો વધારે પડતો પાક બરબાદ થઇ જશે. પાણીના ભરાવાને કારણે વાયરસ પાકને ખરાબ કરી દેશે. તેના કારણે આ શાકભાજીઓની સપ્લાઇ પ્રભાવિત થશે અને ભાવમાં વધારો થશે.

આ સીઝનમાં કોબીજ, ફ્લાવર અને કેપ્સીકમની વધારે પડતી સપ્લાઇ હિમાચલ પ્રદેશથી જ થાય છે. હિમાચલ પ્રદેશથી ફક્ત દિલ્હી જ નહીં પણ દેશના વધારે પડતા રાજ્યોમાં આ શાકભાજીઓની સપ્લાઇ થાય છે. એસકે સિંહે કહ્યું કે, શાકભાજીઓની કિંમત વધવાથી લોકો કઠોળ તરફ વળે છે. તેનાથી કઠોળની કિંમતમાં પણ વધારો થઇ શકે છે. હિમાચલ પ્રદેશમા ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે સહિત સેંકડો રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તેનાથી પહાડોથી મેદાન માટે ફળો અને શાકભાજીઓનું ટ્રાસ્પોર્ટેશન અટકી ગયું છે.

બટાકા, ટામેટા અને કાંદા જેવા શાકભાજી અધિકાંશ ભારતીય ભાજનનો હિસ્સો છે, પણ આ શાકભાજીઓના ભાવમાં વધારાના કારણે ઘરોના માસિક બજેટમાં ગરબડ પેદા કરી દીધી છે. 2016માં કાંદાના કારણે લોકોની આંખમાં આંસુ આવ્યા હતા અને હવે ટામેટાની કિંમત ખૂબ જ વધી ગઇ છે.

હાલના રિપોર્ટ અનુસાર, આખા દેશમાં વિભિન્ન ક્ષેત્રોમાં ટામેટાની કિંમત મે મહિનાના પહેલા સપ્તાહમાં 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને આશ્ચર્યજનક રૂપે 120થી 150 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. હોલસેલરોનું કહેવું છે કે, એક સપ્તાહમાં શાકભાજીઓના ભાવ બેગણા વધી ગયા છે અને તેમનું વેચાણ 40 ટકા સુધી ઓછું થઇ ગયું છે.

Related Posts

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.