ગુજરાતના આ જિલ્લામાં ખેતરમાં ઇયળો ફરી વળવાને કારણે ખેડૂતોને લાખોનું નુકશાન

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કમોસમી વરસાદને કારણે જગતના તાત ખેડુતોની હાલત કફોડી થયેલી જ હતી તેમાં વરસાદ પછી ખેતરોમાં ઇયળો ફરી વળવાને કારણે આખા ખેતરો સાફ થઇ ગયા છે અને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. ખેડુતોનું કહેવું છે કે એટલું મોટું નુકશાન થઇ રહ્યું છે કે અમારે ગળે ટુપોં ખાવાની નોબત આવી ગઇ છે. ખેડુતોએ વિનંતી કરી છે સરકાર અમારી સમસ્યા પર ધ્યાન આપે અને દવાનો છંટકાવ કરે. ઇંયળોને કારણે સૌથી વધારે માર બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને થઇ રહ્યું છે. ઇયળને કારણે ખેડુતોના બાજરી, એરંડા જેવા અનેક પાકોને નુકશાન થઇ રહ્યું છે.

બનાસકાંઠાના મોટાભાગના લોકો ખેતી અને પુશપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેડુતો દર વર્ષે કોઇકને કોઇક આફતોનો સામનો કરી રહ્યા છે. બેમાં વર્ષે તીડના ત્રાસને કારણે ખેડુતો પરેશાન થઇ ગયા હતા આ વખતે ઇયળને કારણે ખેતરમાં આખો ઉભો પાક નાશ થઇ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ, નાનોટા ગામ સહિત આજુબાજુના અનેક ગામોમાં ભરઉનાળે માવઠાને કારણે ખેતરોમાં અચાનક  ઇયળનો ઉપદ્રવ વધી ગયો છે. ખેડુતોનું કહેવું છે કે ઇયળોને કારણે એરંડા, તમાકુ, બાજરીનો પાક નાશ થઇ ગયો છે.

બનાસકાંઠાના ખેડુતોએ કહ્યું કે વર્ષ 2021માં તીડનો ઉપદ્રવ વધી ગયો હતો તેને કારણે જીરૂ, મગફળી, બટાટાના પાકને મોટું નુકશાન અમે ભોગવ્યું હતું. હવે કમોસમી વરસાદમાં તો નુકશાન થયું છે પરંતુ ઇયળો અમારા ખેતરોમાં ફરી વળી છે અને આખે આખા ખેતરને બરબાદ કરી રહી છે.

બનાસકાંઠાના એક મહિલા ખેડુતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ ઇયળોએ એટલો ત્રાસ વર્તાવ્યો છે કે આખે આખા ખેતરો સાફ કરી નાંખ્યા છે. બાજરી અને પશુનો ઘાસચારો પણ સાફ કરી નાંખ્યો છે. ઘરમાં લોટ બનાવીએ તો એમાં પણ ઇયળો ચઢી જાય છે, બાળકોના શરીર પર પણ ઇયળો ફરવા માંડે છે. અમે ઇયળોના ઉપદ્રવથી પરેશાન થઇ ગયા છે. એરંડામાં પણ જીવાતો ઘુસી ગઇ છે. અમારે અત્યારે ખાવા ખાવાના ફાંફા પડી રહ્યા છે.

ખેડુતોની સરકારને માંગણી છે કે ખેતરોમાં તાત્કાલિક દવાનો છંટકાવ કરે તો અમને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. કમસોમી વરસાદને કારણે અમને પહેલેથી જ મોટું નુકશાન થયેલું છે તેમાં ઇયળને કારણે અમને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.