કૃષિ સહાય સાથે વેરા વસૂલાતનો વિવાદ:કાલાવડ TDOને શોકોઝ, DDOની તાત્કાલિક કાર્યવાહી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિવાદાસ્પદ પરિપત્રને કારણે વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ આદેશમાં જણાવાયું હતું કે ખેડૂતો કૃષિ સહાયના ફોર્મ ભરવા આવે ત્યારે તેમની પાસેથી પહેલા ગ્રામ પંચાયતનો બાકી વેરો વસૂલવો. આ નિર્ણયનો સીધો અર્થ એવો થતો હતો કે વેરીયા ખેડૂતને સહાય ન મળવાની શક્યતા ઊભી થાય. પરિપત્ર વાયરલ થતા જ મામલો ગરમાયો અને ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો.

Farmers1
bbc.com

શું હતું આદેશમાં?

માવઠાના કારણે નુકસાન વેઠેલા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ વચ્ચે કાલાવડ TDOનો પત્ર બહાર આવ્યો, જેમાં ઉલ્લેખ હતો કે મોટાભાગના ગામોમાં મહેસૂલી આવક ઘટી છે, તેથી સહાય ફોર્મ લેવા આવતા ખેડૂતો પાસેથી બાકી વેરો વસૂલવો. પોર્ટલની તકલીફોને કારણે પહેલેથી જ હેરાન ખેડૂતોએ આ નિર્ણયને ‘અન્યાય’ ગણાવ્યો હતો.

DDOનો તાત્કાલિક હસ્તક્ષેપ

પરિસ્થિતિ અંગે જાણ થતાં જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અંકિત પન્નુએ તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે વેરા વસૂલાત અને કૃષિ સહાય – બન્ને પ્રક્રિયાઓ સંપૂર્ણપણે અલગ છે અને કોઈ પણ અધિકારી સહાય મેળવવાનું વેરા સાથે જોડીને નહીં જોઈ શકે. તેમણે કાલાવડ TDOને શોકોઝ નોટિસ આપીને પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે સંતોષકારક સ્પષ્ટીકરણ ન મળ્યું તો કડક શિસ્તભંગની કાર્યવાહી થશે.

તમામ TDOને સખત સૂચના

વિવાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ખેડૂતોને સહાય માટેના ફોર્મ અને જરૂરી પ્રક્રિયા કોઈપણ વિલંબ વગર પૂરી પાડવી. ખેડૂતો પર દબાણ સર્જે એવા કોઈ પણ પ્રકારના આદેશને સહન નહીં કરવામાં આવે.

વિપક્ષ કોંગ્રેસનો સવાલ

વિપક્ષ કોંગ્રેસે આ ઘટનાને લીધે સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે સરકાર સહાયના નામે ખરેખર મદદ કરતી છે કે પછી ઉઘરાણી? તેઓએ કહ્યું કે જો સરકારને સાચે ખેડૂતો સાથે સહાનુભૂતિ હોત, તો આવા સમયે વેરા વસૂલાતને જોડતા પરિપત્રો બહાર ન પડાય.

વિવાદ બાદ હવે સમગ્ર જિલ્લાની એડમિનિસ્ટ્રેશન હરકતમાં આવી છે અને ખેડૂતોને નિભરતો મળે તે સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.

About The Author

Top News

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.