- Art & Culture
- સંઘના વડાએ જણાવ્યું- રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે તમારે શું કરવાનું છે
સંઘના વડાએ જણાવ્યું- રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે તમારે શું કરવાનું છે

મગળવારે વિજ્યા દશમીના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કાર્યકરો સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 22 જાન્યુઆરી 2023ના દિવસે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બધા માટે અયોધ્યા પહોંચવુ શક્ય નથી. એટલે તમારી નજીકના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરીને દેશને રામમય બનાવી દેજો
અયોધ્યામાં 16 જાન્યુઆરી 2023થી 24 જાન્યુઆરી 2023 એટલે કે 9 દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી ખાસ 50 રામભક્તોને આમંત્રણ અપાયું છે. ઉપરાંત દેશભરમાંથી 7,000 સાધુ સંતો અને રામભક્તો અયોધ્યા આવશે.
મુખ્ય કાર્યક્રમ 22 જાન્યુઆરીએ રહેશે. રામલલ્લાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે તે પહેલાં અયોધ્યામાં રામલલ્લાને રથમાં બેસાડીને ફેરવવામાં આવશે.