અમદાવાદથી 80 કિમી દૂર બનશે ઇન્ટરનેશલ ટૂરિઝ્મની ભવ્ય સાઇટ

ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સમાં દેશના કોસ્ટલ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પેવેલિયન હશે કે જેમાં જે તે રાજ્યની દરિયાઇ સંસ્કૃતિ, કલા-કારીગરી અને ઐતિહાસિક વિરાસતને પ્રદર્શિત કરવામાં આવશે. આ સંકુલ અમદાવાદથી 80 કિલોમીટર દૂર લોથલની એએસઆઇ સાઇટની નજીકમાં કરવામાં આવશે અને તે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની રહેશે. આ હેરિટેજ કોમ્પલેક્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પરિયોજનાનું નિર્માણ કરવા માટે, જમીનનું હસ્તાંતરણ કરવાની ઔપચારિકતા પૂરી કરી દેવામાં આવી છે અને પર્યાવરણ અંગેની મંજૂરી સહિત જમીન સંબંધિત તમામ મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે.

400 એકરના વિસ્તારમાં આ સંકુલનું નિર્માણ કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય, લાઇટ હાઉસ સંગ્રહાલય, હેરિટેજ થીમ પાર્ક, સંગ્રહાલયની થીમ આધારિત હોટેલો અને મેરિટાઇમ થીમ આધારિત ઇકો રિસોર્ટ, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યુટ વગેરે સહિત વિવિધ અનન્ય માળખાઓને સમાવી લેવામાં આવશે. આ તમામ નિર્માણ તબક્કાવાર રીતે કરવામાં આવશે.

બંદર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે દેશના જે રાજ્યો કે પ્રદેશો દરિયાકિનારો ધરાવે છે તેઓ કલ્ચરલ અને અલાયદી વિરાસતથી ઓળખાય છે અને તેની પ્રસ્તૃતિ તેઓ લોથલના કોમ્પલેક્સમાં કરી શકે છે. ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ બનાવવા માટે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપીંગ અને વોટરવેઝ તેમજ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે જૂન 2021માં સમજૂતી કરાર થયો હતો.

આ સ્થળને આંતરરાષ્ટ્રીય પ્રવાસનના નકશામાં મૂકવાનું હોવાથી તેમાં ભારતના એવા રાજ્યો અને પ્રદેશો કે જ્યાં દરિયા કિનારો છે અને તેઓ ઐતિહાસિક વિરાસત ધરાવે છે તેમને પ્રદર્શનના ભાગીદાર બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી દેશના રાજ્યોને તેમનો સમુદ્રી ઇતિહાસ અને સાગરકાંઠાની પરંપરા પ્રદર્શિત કરવાનો મોકો મળશે. દેશમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હશે જે ભારતના સમુદ્રી વારસા માટે સમર્પિત હશે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.