રામલલ્લાની આરતી માટે આ શહેરમાંથી 108 રથમાં મોકલાયું 600 કિલો ઘી, કળશ તૈયાર કરાયા

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે જાન્યુઆરી 2024માં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન રામલલાની પ્રથમ આરતી રાજસ્થાનની સૂર્યનગરી જોધપુરના ઘીથી કરવામાં આવશે. આ માટે, સોમવારે, 600 કિલો શુદ્ધ દેશી ઘીના 108 કળશ પ્રાચીન રીતે સજ્જ બળદગાડામાં મુકીને અયોધ્યા રવાના કરવમાં આવ્યા હતા. આ રથની સાથે જોધપુરના ઘણા રામ ભક્તો પણ અયોધ્યા જવા રવાના થયા હતા. રથમાં 108 કળશની સાથે 108 શિવલિંગ પણ રાખવામાં આવ્યા છે ઉપરાંત ભગવાન ગણેશ અને રામભક્ત હનુમાનની મૂર્તિઓ સાથે રાખવામાં આવી છે. રથને પ્રસ્થાન કરવાવતા પહેલા ભક્તોએ ઘીના કળશની આરતી કરી હતી. જ્યારે રથને રવાના કરવામાં આવ્યો ત્યારે ભગવાન શ્રી રામના નારા સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો.

આશ્રમના મહંત મહર્ષિ સાંદીપનિ મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે સદીઓથી રાહ જોવાતી હતી, હવે મંદિર બનાવવું ખુશીની વાત છે, તેથી રામ ભક્તોમાં ઉત્સાહ છે. દરેક માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે રામકાજ માટે જોધપુરથી ખાસ ઘી મોકલવામાં આવી રહ્યું છે. આ વિશેષ ઘૃત-રથયાત્રા જોધપુરથી નીકળી જયપુર, ભરતપુર, મથુરા, લખનૌ થઈને અયોધ્યા પહોંચશે. આ દરમિયાન રસ્તામાં આવેલા મુખ્ય ગામોમાં વિવિધ સ્થળોએ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન ઐતિહાસિક મંદિરો સુધી શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.

જોધપુરના બનાર પાસે જયપુર રોડ પર શ્રી શ્રી મહર્ષિ સાંદીપનિ રામ ધર્મ ગૌશાળા છે. આ ગૌશાળાનું સંચાલન મહંત મહર્ષિ સાંદીપનિ મહારાજ કરી રહ્યા છે. મહર્ષિ સાંદીપનિ મહારાજે જણાવ્યું કે, તેમણે 20 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો કે જ્યારે પણ અયોધ્યામાં રામ મંદિર બનશે, ત્યારે તેઓ શુદ્ધ દેશી ગાયનું ઘી લઈને જશે.

તેમમે 60 ગાયોના દુધમાંથી ઘી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું, તેમણે સંકલ્પ લીધો હતો કે જેટલું પણ ઘી બનશે તેને બળદગાડામાં અયોધ્યો મોકલશે.

સાંદિપની સ્વામી છેલ્લાં 9 વર્ષથી ઘી ભેગું કરતા હતા. પહેલા ઘી વાસણમાં રાખવામાં આવતું હતું, પછી સુરક્ષિત સંગ્રહ માટે સ્ટીલની ટાંકીઓ લાવવામાં આવતી હતી. આ ઉપરાંત ઔષધિઓ દ્વારા ઘીનું જતન કરવામાં આવ્યું હતું. ઘીને દર 3 વર્ષે ઉકાળવામાં આવતું હતું. ઘીને સ્ટીલની ટાંકીઓમાં 16 ડિગ્રી તાપમાનમાં રાખવામા આવ્યું હતું જેથી ઘી બગડી ન જાય.

સાંદિપની સ્વામીએ કહ્યુ કે છેલ્લાં 9 વર્ષમાં ગાયોની સંખ્યા 60થી વધીને 350 કરી દેવામાં આવી છે.

આ યાત્રા માટે 108 રથ બનાવવામાં આવ્યા છે જેમાંથી 11 મોટા રથ છે. અને 97 નાના પ્રતિકાત્મક રથ બનાવવામાં આવ્યા છે. રથની સાથે બે બળદ પણ ચાલશે. એક રથની કિંમત લગભગ 3.5 લાખ રૂપિયા છે. રથયાત્રા જોધપુરથી પાલી, અજમેર, બ્યાવર, જયપુર, ભરતપુર, મથુરા, લખનૌ થઈને અયોધ્યા પહોંચશે. યાત્રા દરમિયાન શહેરના આગેવાનો ચારથી પાંચ મંદિરોની પણ મુલાકાત લેશે.

આ ક્રમ અયોધ્યા સુધી ચાલુ રહેશે. આ યાત્રા લખનૌ શહેરમાં પાંચ દિવસ સુધી ચાલશે. આ યાત્રા આખા લખનૌ શહેરમાં બળદ સાથે લઈ જવામાં આવશે. દરેક રથમાં 3 લોકો સેવા આપશે.

About The Author

Related Posts

Top News

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.