અદાણીને વિદેશથી મળ્યો સપોર્ટ, ખરીદ્યા 15000 કરોડના શેર, ડીલ પાછળ ભારતીય કનેક્શન

હિંડનબર્ગની અસરમાંથી ઝડપથી રિકવર થઈ રહેલી ગૌતમ અદાણીની કંપનીઓમાં બ્લોક ડીલ જોવા મળી હતી. જૂથ વતી જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકન બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ (GQG Partners)એ ગ્રુપની ચાર કંપનીઓમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું છે. આ સેકન્ડરી ઇક્વિટી ટ્રાન્ઝેક્શન અથવા શેરની ખરીદી ગુરુવારે કરવામાં આવી હતી. આ કંપનીના ચેરમેન ભારતીય મૂળના રાજીવ જૈન છે.

રાજીવ જૈને વર્ષ 2016માં GQG પાર્ટનર્સની શરૂઆત કરી હતી અને આ ફર્મ ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલ છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (અદાણી પોર્ટ્સ), અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન એ કંપનીઓમાં સામેલ છે, જેમના શેર આ રોકાણ પેઢી દ્વારા ખરીદવામાં આવ્યા છે.

GQG પાર્ટનર્સ અદાણી એન્ટરપ્રાઇઝમાં 3.4% હિસ્સો લગભગ રૂ. 5,460 કરોડમાં ખરીદશે, અદાણી પોર્ટ્સમાં રૂ. 5,282 કરોડમાં 4.1% હિસ્સો, રૂ. 1,898 કરોડમાં અદાણી ટ્રાન્સમિશનનો 2.5% હિસ્સો અને અદાણી ગ્રીન એનર્જીમાં 3.5% હિસ્સો રૂ. 2806 કરોડમાં ખરીદશે. GQG એ જે અન્ય ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે તેમાં ITC, HDFC, RIL, ICICI બેંક, SBI, સન ફાર્મા, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, HDFC AMC, JSW સ્ટીલ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

ભારતમાં જન્મેલા અને ઉછરેલા રાજીવ જૈન મિયામી યુનિવર્સિટીમાંથી MBA કરવા માટે 1990માં US ગયા. ત્યારબાદ તેઓ 1994માં વોન્ટોબેલમાં જોડાયા અને 2002માં સ્વિસ ફર્મના CIO બન્યા. તાજેતરના બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જ્યારે તેણે GQG પાર્ટનર્સ શરૂ કરવા માટે માર્ચ 2016માં કંપની છોડી, ત્યારે વોન્ટોવેલના ઇમર્જિંગ માર્કેટ્સ ફંડે 10 વર્ષમાં કુલ 70%થી વધુ વળતર આપ્યું હતું, એટલે કે MSCI ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ કરતાં બમણા કરતાં વધુ.

સૌથી મહત્વની વાત એ છે કે, US સ્થિત આ ફર્મે એવા સમયે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કર્યું છે જ્યારે તેમના શેર સતત ઘટી રહ્યા છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી, તેઓ ચોક્કસપણે દરરોજ વધી રહ્યા છે. રિપોર્ટમાં રાજીવ જૈનને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, 'અદાણીની કંપનીઓ ભારત અને સમગ્ર વિશ્વમાં કેટલીક સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટનું સંચાલન કરે છે. ગૌતમ અદાણી વ્યાપકપણે તેમની પેઢીના શ્રેષ્ઠ સાહસિકોમાંના એક તરીકે ગણવામાં આવે છે. અમારું માનવું છે કે આ કંપનીઓમાં નોંધપાત્ર લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના છે અને તે કંપનીઓમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છીએ, જે ભારતીય અર્થતંત્ર અને ઊર્જા માળખાને આગળ વધારવામાં મદદ કરશે.'

Top News

વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણકે આ બેઠક પર 18 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. ગુજરાત...
Gujarat 
વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનને 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન...
Sports 
બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર

કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?

કેનેડા દ્વારા 15-17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવામાં આવશે. આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટ શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ...
World 
કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?

નવી હેરિયર ઇલેક્ટ્રિકમાં લેન્ડ રોવર જેવી શક્તિ, 627 km રેન્જ, લાઇફટાઇમ વોરંટી, જાણો કિંમત

કેટલાક ઉત્પાદનો છે જે બજારને બદલવાની ક્ષમતા ધરાવે છે. આજે, ટાટા મોટર્સે EV સેગમેન્ટમાં પણ કંઈક આવું જ કરવાનો...
Tech and Auto 
નવી હેરિયર ઇલેક્ટ્રિકમાં લેન્ડ રોવર જેવી શક્તિ, 627 km રેન્જ, લાઇફટાઇમ વોરંટી, જાણો કિંમત
Copyright (c) Khabarchhe All Rights Reserved.