કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?

કેનેડા દ્વારા 15-17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવામાં આવશે. આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટ શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને ભારતને હજુ સુધી આ સમિટ માટે આમંત્રણ મળ્યું નથી. આવી સ્થિતિમાં, જો ભારતને સમિટમાં આમંત્રણ આપવામાં નહીં આવે, તો 2019 પછી આ પહેલી વાર બનશે કે ભારત સમિટમાં હાજર રહેશે નહીં.

Canada-G7-Summit2
tribuneindia-com.translate.goog

દિલ્હી-ઓટાવા સંબંધોમાં આવેલી કડવાશ કોઈના ધ્યાન બહાર રહી નથી. 2023માં, કેનેડાના તત્કાલીન PM જસ્ટિન ટ્રુડોએ કેનેડા સ્થિત ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યા પછી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ભારતે આ આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા.

સામાન્ય રીતે, G-7નો યજમાન દેશ કેટલાક દેશોને મહેમાન દેશો અથવા આઉટરીચ ભાગીદારો તરીકે આમંત્રણ આપે છે. કેનેડા અત્યાર સુધી યુક્રેન અને ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપી ચૂક્યું છે. તેણે અન્ય મહેમાન દેશોના નામ જાહેર કર્યા નથી.

Canada-PM-Mark-Carney4
indianexpress.com

G-7 સમિટની સમય મર્યાદા જોતાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આમંત્રણો માટે ખૂબ જ ઓછો સમય બાકી છે અને સુરક્ષા અને સંપર્ક ટીમો સામાન્ય રીતે PMની મુલાકાત પહેલા જ સ્થળ પર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, જો આમંત્રણ હવે મળે તો પણ PM નરેન્દ્ર મોદી G-7 સમિટમાં હાજરી આપે તેવી શક્યતા બહુ ઓછી છે. પરંતુ, જો આમંત્રણ આપવામાં આવે છે, તો એવી શક્યતા છે કે, કોઈ મંત્રી અથવા સરકારી પ્રતિનિધિ પણ હાજરી આપી શકે છે. આમંત્રણ મળ્યા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

PM-Narendra-Modi3
spokesmanhindi.com

2020 ને છોડીને જ્યારે યજમાન દેશ US દ્વારા G-7 બેઠક રદ કરવામાં આવી હતી, PM નરેન્દ્ર મોદી 2019થી દરેક સમિટમાં હાજરી આપી છે. ઓગસ્ટ 2019માં બિયારિટ્ઝમાં ફ્રાન્સ G-7 નેતાઓની સમિટનું યજમાન હતું. 2014માં નરેન્દ્ર મોદી PM બન્યા પછી આ પહેલું આમંત્રણ હતું.

25 મે 2025ના રોજ, કેનેડાના નવા વિદેશ પ્રધાન અનિતા આનંદે વિદેશ પ્રધાન S જયશંકર સાથે ફોન પર વાત કરી. માર્ક કાર્ને કેનેડાની ચૂંટણી જીતીને PM બન્યા પછી દિલ્હી અને ઓટાવા વચ્ચે આ પ્રથમ સત્તાવાર રાજકીય સ્તરનો સંપર્ક હતો, જેનાથી સંબંધોમાં સુધારો થવાની આશા જાગી છે. આનંદે કહ્યું કે, કેનેડા અમેરિકાથી દૂર વેપારમાં વૈવિધ્ય લાવવાના પ્રયાસમાં ભારત સાથે સંબંધો ફરીથી સ્થાપિત કરવા માટે ઉત્સુક છે, ભલે કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંદર્ભમાં RCMP તપાસ ચાલુ હોય.

Canada-G7-Summit1
m.khaskhabar.com

એક મુલાકાતમાં નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કરતા, અનિતા આનંદે કહ્યું, 'અમે ચોક્કસપણે એક સમયમાં એક પગલું ભરી રહ્યા છીએ. જેમ મેં કહ્યું હતું, કાયદા સાથે ક્યારેય સમાધાન કરવામાં આવશે નહીં અને તમે જે કેસનો ઉલ્લેખ કર્યો છે તેના સંદર્ભમાં તપાસ ચાલુ છે.'

About The Author

Related Posts

Top News

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.