કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?

કેનેડા દ્વારા 15-17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવામાં આવશે. આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટ શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને ભારતને હજુ સુધી આ સમિટ માટે આમંત્રણ મળ્યું નથી. આવી સ્થિતિમાં, જો ભારતને સમિટમાં આમંત્રણ આપવામાં નહીં આવે, તો 2019 પછી આ પહેલી વાર બનશે કે ભારત સમિટમાં હાજર રહેશે નહીં.

Canada-G7-Summit2
tribuneindia-com.translate.goog

દિલ્હી-ઓટાવા સંબંધોમાં આવેલી કડવાશ કોઈના ધ્યાન બહાર રહી નથી. 2023માં, કેનેડાના તત્કાલીન PM જસ્ટિન ટ્રુડોએ કેનેડા સ્થિત ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યા પછી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ભારતે આ આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા.

સામાન્ય રીતે, G-7નો યજમાન દેશ કેટલાક દેશોને મહેમાન દેશો અથવા આઉટરીચ ભાગીદારો તરીકે આમંત્રણ આપે છે. કેનેડા અત્યાર સુધી યુક્રેન અને ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપી ચૂક્યું છે. તેણે અન્ય મહેમાન દેશોના નામ જાહેર કર્યા નથી.

Canada-PM-Mark-Carney4
indianexpress.com

G-7 સમિટની સમય મર્યાદા જોતાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આમંત્રણો માટે ખૂબ જ ઓછો સમય બાકી છે અને સુરક્ષા અને સંપર્ક ટીમો સામાન્ય રીતે PMની મુલાકાત પહેલા જ સ્થળ પર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, જો આમંત્રણ હવે મળે તો પણ PM નરેન્દ્ર મોદી G-7 સમિટમાં હાજરી આપે તેવી શક્યતા બહુ ઓછી છે. પરંતુ, જો આમંત્રણ આપવામાં આવે છે, તો એવી શક્યતા છે કે, કોઈ મંત્રી અથવા સરકારી પ્રતિનિધિ પણ હાજરી આપી શકે છે. આમંત્રણ મળ્યા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

PM-Narendra-Modi3
spokesmanhindi.com

2020 ને છોડીને જ્યારે યજમાન દેશ US દ્વારા G-7 બેઠક રદ કરવામાં આવી હતી, PM નરેન્દ્ર મોદી 2019થી દરેક સમિટમાં હાજરી આપી છે. ઓગસ્ટ 2019માં બિયારિટ્ઝમાં ફ્રાન્સ G-7 નેતાઓની સમિટનું યજમાન હતું. 2014માં નરેન્દ્ર મોદી PM બન્યા પછી આ પહેલું આમંત્રણ હતું.

25 મે 2025ના રોજ, કેનેડાના નવા વિદેશ પ્રધાન અનિતા આનંદે વિદેશ પ્રધાન S જયશંકર સાથે ફોન પર વાત કરી. માર્ક કાર્ને કેનેડાની ચૂંટણી જીતીને PM બન્યા પછી દિલ્હી અને ઓટાવા વચ્ચે આ પ્રથમ સત્તાવાર રાજકીય સ્તરનો સંપર્ક હતો, જેનાથી સંબંધોમાં સુધારો થવાની આશા જાગી છે. આનંદે કહ્યું કે, કેનેડા અમેરિકાથી દૂર વેપારમાં વૈવિધ્ય લાવવાના પ્રયાસમાં ભારત સાથે સંબંધો ફરીથી સ્થાપિત કરવા માટે ઉત્સુક છે, ભલે કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંદર્ભમાં RCMP તપાસ ચાલુ હોય.

Canada-G7-Summit1
m.khaskhabar.com

એક મુલાકાતમાં નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કરતા, અનિતા આનંદે કહ્યું, 'અમે ચોક્કસપણે એક સમયમાં એક પગલું ભરી રહ્યા છીએ. જેમ મેં કહ્યું હતું, કાયદા સાથે ક્યારેય સમાધાન કરવામાં આવશે નહીં અને તમે જે કેસનો ઉલ્લેખ કર્યો છે તેના સંદર્ભમાં તપાસ ચાલુ છે.'

About The Author

Top News

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ

દિલ્હીના બૂરાડીમાં રહેતા એક પરિવાર પર ત્યારે દુઃખોનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીનું મગજે લગભગ કામ...
National 
મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.