રાજનીતિમાં રસ નથી, સનાતન ધર્મ પરિવારની આસ્થા છેઃ અનંત અંબાણી

અંબાણી પરિવારને વર્ષોથી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવનારાઓમાં અગ્રણી માનવામાં આવે છે. હવે અનંત અંબાણી, આકાશ અંબાણી અને ઈશા અંબાણી પોતાના પરિવારના આ વારસાને વધારી રહ્યા છે. મુકેશ અને નીતા અંબાણીનો સૌથી નાનો પુત્ર અનંત અંબાણી પોતાના પારિવારિક બિઝનેસમાં ઉત્તરાધિકારી છે. જલદી જ અનંત પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનને હોસ્ટ કરવા જઇ રહ્યો છે. આ અગાઉ અનંત અંબાણીએ જણાવ્યું કે, તેને કોઈ પણ પ્રકારનું કોઈ પ્રેશર અનુભાવાઈ રહ્યું નથી.

તેણે કહ્યું કે, કોઈ પ્રેશર નથી. મને લાગે છે કે હું પ્રીવિલેજ્ડ છું, જેનો જન્મ એવા પરિવારમાં થયો. હું પ્રીવિલેજ્ડ છું કે મારા જે પિતા છે, તેઓ મારા પિતા થયા. તેમણે માત્ર મને જ નહીં, પરંતુ ઘણાને સારું કામ કરવાનું અને ભારતમાં ઇન્ડસ્ટ્રઝ ક્રિએટ કરવાનું શીખવ્યું છે. મારા પિતા અને મારા દાદાજી રિલાયન્સને ઊંચાઈઓ પર લઈ આવ્યા અને મને લાગે છે કે મારા પિતાનું સંપૂર્ણ વિઝન પૂરું થઈ શકે, એ નક્કી કરવું મારી, મારા ભાઈની અને મારી બહેનની જવાબદારી છે.

અનંતે એ પણ જણાવ્યું કે, એક વર્લ્ડ ક્લાસ બિઝનેસ પરિવાર હોવા સિવાય તેઓ બધા ખૂબ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં આસ્થા રાખે છે. તેણે કહ્યું કે, મારો ભાઈ ખૂબ મોટો શિવ ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારા મા નવરાત્રિમાં 9 દિવસ વ્રત કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક ભગવાનનો ભક્ત છે. અમારી પાસે જે પણ છે, બધુ તેમનું જ આપેલું છે. અમારો વિશ્વાસ છે કે ઈશ્વર દરેક જગ્યાએ છે. મારો આખો પરિવાર સનાતન ધર્મને માને છે.

જ્યારે અનંતને પૂછવામાં આવ્યું કે, શું તે રાજનીતિમાં આવવા માગે છે? તો તેણે તરત જ જવાબ આપતા કહ્યું કે, રાજનીતિમાં કોઈ રસ નથી. ઉલ્લેખનીય છે કે, જામનગર આ સમયે હજારો મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે, જેમાં ઘણી નામિત હસ્તીઓ, સેલિબ્રિટીઓ અને પોપ સ્ટાર્સ સામેલ છે. અંબાણી પરિવારની ખુશીઓમાં ઘણા દિગ્ગજ સામેલ થવાના છે.

મહેમાનોની લિસ્ટમાં મેટાના CEO માર્ક જુકરબર્ગ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત જેવા નામ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્લોબલપોપ સ્ટાર રિહાના પણ આ પ્રી વેડિંગ સેરેમની પરફોર્મ કરવાની છે. 3 દિવસની આ સેરેમની 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરમાં અંબાણી રેસિડેન્ટ પર ચાલશે.

About The Author

Related Posts

Top News

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.