રાજનીતિમાં રસ નથી, સનાતન ધર્મ પરિવારની આસ્થા છેઃ અનંત અંબાણી

અંબાણી પરિવારને વર્ષોથી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવનારાઓમાં અગ્રણી માનવામાં આવે છે. હવે અનંત અંબાણી, આકાશ અંબાણી અને ઈશા અંબાણી પોતાના પરિવારના આ વારસાને વધારી રહ્યા છે. મુકેશ અને નીતા અંબાણીનો સૌથી નાનો પુત્ર અનંત અંબાણી પોતાના પારિવારિક બિઝનેસમાં ઉત્તરાધિકારી છે. જલદી જ અનંત પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનને હોસ્ટ કરવા જઇ રહ્યો છે. આ અગાઉ અનંત અંબાણીએ જણાવ્યું કે, તેને કોઈ પણ પ્રકારનું કોઈ પ્રેશર અનુભાવાઈ રહ્યું નથી.

તેણે કહ્યું કે, કોઈ પ્રેશર નથી. મને લાગે છે કે હું પ્રીવિલેજ્ડ છું, જેનો જન્મ એવા પરિવારમાં થયો. હું પ્રીવિલેજ્ડ છું કે મારા જે પિતા છે, તેઓ મારા પિતા થયા. તેમણે માત્ર મને જ નહીં, પરંતુ ઘણાને સારું કામ કરવાનું અને ભારતમાં ઇન્ડસ્ટ્રઝ ક્રિએટ કરવાનું શીખવ્યું છે. મારા પિતા અને મારા દાદાજી રિલાયન્સને ઊંચાઈઓ પર લઈ આવ્યા અને મને લાગે છે કે મારા પિતાનું સંપૂર્ણ વિઝન પૂરું થઈ શકે, એ નક્કી કરવું મારી, મારા ભાઈની અને મારી બહેનની જવાબદારી છે.

અનંતે એ પણ જણાવ્યું કે, એક વર્લ્ડ ક્લાસ બિઝનેસ પરિવાર હોવા સિવાય તેઓ બધા ખૂબ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં આસ્થા રાખે છે. તેણે કહ્યું કે, મારો ભાઈ ખૂબ મોટો શિવ ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારા મા નવરાત્રિમાં 9 દિવસ વ્રત કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક ભગવાનનો ભક્ત છે. અમારી પાસે જે પણ છે, બધુ તેમનું જ આપેલું છે. અમારો વિશ્વાસ છે કે ઈશ્વર દરેક જગ્યાએ છે. મારો આખો પરિવાર સનાતન ધર્મને માને છે.

જ્યારે અનંતને પૂછવામાં આવ્યું કે, શું તે રાજનીતિમાં આવવા માગે છે? તો તેણે તરત જ જવાબ આપતા કહ્યું કે, રાજનીતિમાં કોઈ રસ નથી. ઉલ્લેખનીય છે કે, જામનગર આ સમયે હજારો મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે, જેમાં ઘણી નામિત હસ્તીઓ, સેલિબ્રિટીઓ અને પોપ સ્ટાર્સ સામેલ છે. અંબાણી પરિવારની ખુશીઓમાં ઘણા દિગ્ગજ સામેલ થવાના છે.

મહેમાનોની લિસ્ટમાં મેટાના CEO માર્ક જુકરબર્ગ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત જેવા નામ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્લોબલપોપ સ્ટાર રિહાના પણ આ પ્રી વેડિંગ સેરેમની પરફોર્મ કરવાની છે. 3 દિવસની આ સેરેમની 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરમાં અંબાણી રેસિડેન્ટ પર ચાલશે.

About The Author

Related Posts

Top News

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.