બેંક કર્મચારીઓને જલ્દી મળશે ખુશખબરી, દર અઠવાડિયે 2 રજા, પણ કામ...

બેંક કર્મચારીઓને ટૂંક સમયમાં 2 દિવસની સાપ્તાહિક રજા મળી શકે એમ લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) બેંક યુનિયનોની 5 દિવસ કામકાજ અને 2 દિવસની રજાની કર્મચારીઓની માંગ પર વિચાર કરી રહી છે. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાથી રોજના કામકાજના કલાકોમાં 40 મિનિટનો વધારો કરી શકાય એમ છે. હાલમાં બેંક કર્મચારીને એક અઠવાડિયું છોડીને શનિવારે એક દિવસની રજા મળે છે. જો આ નિયમ સ્વીકારવામાં આવશે, તો બેંક કર્મચારીઓને 6 દિવસની સાપ્તાહિક રજાને બદલે મહિનામાં 8 દિવસની રજા મળી શકશે.

IBA અને યુનાઈટેડ ફોરમ ઑફ બેંક એમ્પ્લોઈઝ (UFBI) વચ્ચે અઠવાડિયામાં 5 કામકાજના દિવસો અને 2 દિવસની રજા માટે વાટાઘાટો ચાલી રહી છે. અહેવાલો અનુસાર, એસોસિએશન અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થઇ ગયું છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (IIBOA)ના જનરલ સેક્રેટરી S નાગરાજને મીડિયાને જણાવ્યું છે કે, સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ તમામ શનિવારને રજા તરીકે સૂચિત કરવા પડશે. હાલમાં બેંક કર્મચારીઓને મહિનાના ફક્ત બીજા અને ચોથા શનિવારે રજા મળે છે.

તેમણે કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોના માલિક તરીકે સરકારનો પણ અભિપ્રાય છે. RBIએ પણ દરખાસ્ત સ્વીકારવાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધુ કામ કરવાની જરૂર પડશે.

માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 12 દિવસ બેંકો બંધ રહેશે. જ્યારે કેટલીક બેંક રજાઓ દેશભરમાં હશે, તો કેટલીક સ્થાનિક રજાઓ હશે, એટલે કે, રાજ્યમાં ઉજવાતા તહેવાર અનુસાર. જાહેર રજાના દિવસે તમામ બેંકો બંધ રહે છે. કેટલીક બેંકો પ્રાદેશિક તહેવારો અને રજાઓ ઉજવે છે, તેથી તે રાજ્યમાં બેંકો તે દિવસે બંધ રહે છે. માર્ચ 2023માં ઘણા તહેવારો છે, જેમ કે હોળી, ચૈત્ર નવરાત્રી, રામ નવમી વગેરે.

આજના ડિજિટલ સમયમાં, ઘણા લોકો તેમનું બેંકિંગ કામકાજ ઓનલાઈન કરવાનું પસંદ કરે છે, જ્યારે બેંકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી રહેતી હોય છે. હવે આ નવા પ્રસ્તાવને કારણે લોકો પાસે વીકએન્ડમાં તેમની બેંકોમાં જવાનો વિકલ્પ નહીં હોય.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.