બેંક કર્મચારીઓને જલ્દી મળશે ખુશખબરી, દર અઠવાડિયે 2 રજા, પણ કામ...

બેંક કર્મચારીઓને ટૂંક સમયમાં 2 દિવસની સાપ્તાહિક રજા મળી શકે એમ લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) બેંક યુનિયનોની 5 દિવસ કામકાજ અને 2 દિવસની રજાની કર્મચારીઓની માંગ પર વિચાર કરી રહી છે. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાથી રોજના કામકાજના કલાકોમાં 40 મિનિટનો વધારો કરી શકાય એમ છે. હાલમાં બેંક કર્મચારીને એક અઠવાડિયું છોડીને શનિવારે એક દિવસની રજા મળે છે. જો આ નિયમ સ્વીકારવામાં આવશે, તો બેંક કર્મચારીઓને 6 દિવસની સાપ્તાહિક રજાને બદલે મહિનામાં 8 દિવસની રજા મળી શકશે.

IBA અને યુનાઈટેડ ફોરમ ઑફ બેંક એમ્પ્લોઈઝ (UFBI) વચ્ચે અઠવાડિયામાં 5 કામકાજના દિવસો અને 2 દિવસની રજા માટે વાટાઘાટો ચાલી રહી છે. અહેવાલો અનુસાર, એસોસિએશન અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થઇ ગયું છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (IIBOA)ના જનરલ સેક્રેટરી S નાગરાજને મીડિયાને જણાવ્યું છે કે, સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ તમામ શનિવારને રજા તરીકે સૂચિત કરવા પડશે. હાલમાં બેંક કર્મચારીઓને મહિનાના ફક્ત બીજા અને ચોથા શનિવારે રજા મળે છે.

તેમણે કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોના માલિક તરીકે સરકારનો પણ અભિપ્રાય છે. RBIએ પણ દરખાસ્ત સ્વીકારવાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધુ કામ કરવાની જરૂર પડશે.

માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 12 દિવસ બેંકો બંધ રહેશે. જ્યારે કેટલીક બેંક રજાઓ દેશભરમાં હશે, તો કેટલીક સ્થાનિક રજાઓ હશે, એટલે કે, રાજ્યમાં ઉજવાતા તહેવાર અનુસાર. જાહેર રજાના દિવસે તમામ બેંકો બંધ રહે છે. કેટલીક બેંકો પ્રાદેશિક તહેવારો અને રજાઓ ઉજવે છે, તેથી તે રાજ્યમાં બેંકો તે દિવસે બંધ રહે છે. માર્ચ 2023માં ઘણા તહેવારો છે, જેમ કે હોળી, ચૈત્ર નવરાત્રી, રામ નવમી વગેરે.

આજના ડિજિટલ સમયમાં, ઘણા લોકો તેમનું બેંકિંગ કામકાજ ઓનલાઈન કરવાનું પસંદ કરે છે, જ્યારે બેંકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી રહેતી હોય છે. હવે આ નવા પ્રસ્તાવને કારણે લોકો પાસે વીકએન્ડમાં તેમની બેંકોમાં જવાનો વિકલ્પ નહીં હોય.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.