જો તમે પણ આ ભૂલ કરી છે, તો તમારા ઘરે આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ

આજનો સમય ડિજિટલ વ્યવહારનો છે, કેમ કે તે ખૂબ જ સરળ અને ઝડપી છે. સરકારે પણ મહત્તમ પેમેન્ટસ માટે ડિજિટલ ટ્રાન્જેક્શનને અનિવાર્ય બનાવ્યા છે, જેથી નાણાકીય વ્યવહાર પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત પણ કેશમાં પેમેન્ટ કરનાર લોકો ઓછા નથી, પણ તે લોકો આ વાતથી અજાણ છે કે, ઇન્કમટેક્ષ વિભાગની નજર તેમના પર રહે છે. એક લિમિટથી વધુ રોકડના વ્યવહાર પર ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ આવી શકે છે.

બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટારની પાસે જો કોઈ મોટી રકમ ટ્રાન્જેક્શન કરે છે, તો તેની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવાની હોય છે. જો તમે પણ આવા લોકોમાંથી છો, જે ડિજિટલ સિવાય કેશ ટ્રાન્જેક્શન વધુ કરો છો, તો તમે પોતે મુશ્કેલીઓને નિમંત્રણ આપી રહ્યા છો.

પ્રોપર્ટીની ખરીદી

30 લાખ અથવા તેનાથી વધુ કિંમતની પ્રોપર્ટીને વધુ કિંમતમાં ખરીદો છો અથવા વેચો છો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર તરફથી આની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવામાં આવશે. તેવી સ્થિતિમાં ઇન્કમટેક્ષ વિભાગ તમને આ કેશ ડીલ વિશે પૂછતાછ કરી શકે છે, પૈસાઓના સ્ત્રોત વિશે સ્પષ્ટતા માગી શકે છે.

Credit Card બિલનું પેમેન્ટ

જો તમે Credit Cardનું બિલ પણ કેશમાં જમા કરો છો, તો તમારા માટે મુશ્કેલીઓ નિર્માણ થઇ શકે છે. જો તમે એક વારમાં 1 લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડીટ કાર્ડના બિલના સ્વરૂપે જમા કરો છો, તો ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ તમને મળી શકે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવો છો, તો તમને પૈસાના માધ્યમ વિશે પૂછવામાં આવી શકે છે.

શેર, MFની ખરીદી

જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટી સંખ્યામાં રોકડ વ્યવહાર કરો છો, તો અલર્ટ થઇ જાઓ. કેમ કે, એક નાણાકીય વિત્ત વર્ષમાં  10 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરવાથી તમને ઇન્કમટેક્ષનું નિમંત્રણ આવી શકે છે.

FDમાં કેશ ડિપોઝીટ કરવું

જો તમે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરો છો, ભલે તે એક વારમાં હોય કે પછી અનેક વારમાં. ઇન્કમટેક્ષ વિભાગ તમને આ રકમના સ્ત્રોત વિશે પૂછી શકે છે. એટલે જ સારૂ રહેશે કે, તમે ડિજિટલ રીતથી પૈસા FDમાં જમા કરો, જેથી ઇન્કમટેક્ષ વિભાગની પાસે તમારા ટ્રાન્જેક્શનનો રેકોર્ડ રહેશે,જેથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. 

 

બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરવું

જેવી રીતે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરવા પર ઇન્કમટેક્ષ વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે, બરાબર તેવી જ રીતે જો તમે કોઈ પણ બેંક અથવા કો-ઓપરેટીવ બેંકમાં વર્ષભરમાં 10 લાખ અથવા તેથી વધુ રકમ કેશમાં જમા કરો છો, તો તમે ઇન્કમટેક્ષ વિભાગના તપાસમાં આવી શકો છો.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.