જો તમે પણ આ ભૂલ કરી છે, તો તમારા ઘરે આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ

આજનો સમય ડિજિટલ વ્યવહારનો છે, કેમ કે તે ખૂબ જ સરળ અને ઝડપી છે. સરકારે પણ મહત્તમ પેમેન્ટસ માટે ડિજિટલ ટ્રાન્જેક્શનને અનિવાર્ય બનાવ્યા છે, જેથી નાણાકીય વ્યવહાર પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત પણ કેશમાં પેમેન્ટ કરનાર લોકો ઓછા નથી, પણ તે લોકો આ વાતથી અજાણ છે કે, ઇન્કમટેક્ષ વિભાગની નજર તેમના પર રહે છે. એક લિમિટથી વધુ રોકડના વ્યવહાર પર ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ આવી શકે છે.

બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટારની પાસે જો કોઈ મોટી રકમ ટ્રાન્જેક્શન કરે છે, તો તેની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવાની હોય છે. જો તમે પણ આવા લોકોમાંથી છો, જે ડિજિટલ સિવાય કેશ ટ્રાન્જેક્શન વધુ કરો છો, તો તમે પોતે મુશ્કેલીઓને નિમંત્રણ આપી રહ્યા છો.

પ્રોપર્ટીની ખરીદી

30 લાખ અથવા તેનાથી વધુ કિંમતની પ્રોપર્ટીને વધુ કિંમતમાં ખરીદો છો અથવા વેચો છો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર તરફથી આની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવામાં આવશે. તેવી સ્થિતિમાં ઇન્કમટેક્ષ વિભાગ તમને આ કેશ ડીલ વિશે પૂછતાછ કરી શકે છે, પૈસાઓના સ્ત્રોત વિશે સ્પષ્ટતા માગી શકે છે.

Credit Card બિલનું પેમેન્ટ

જો તમે Credit Cardનું બિલ પણ કેશમાં જમા કરો છો, તો તમારા માટે મુશ્કેલીઓ નિર્માણ થઇ શકે છે. જો તમે એક વારમાં 1 લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડીટ કાર્ડના બિલના સ્વરૂપે જમા કરો છો, તો ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ તમને મળી શકે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવો છો, તો તમને પૈસાના માધ્યમ વિશે પૂછવામાં આવી શકે છે.

શેર, MFની ખરીદી

જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટી સંખ્યામાં રોકડ વ્યવહાર કરો છો, તો અલર્ટ થઇ જાઓ. કેમ કે, એક નાણાકીય વિત્ત વર્ષમાં  10 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરવાથી તમને ઇન્કમટેક્ષનું નિમંત્રણ આવી શકે છે.

FDમાં કેશ ડિપોઝીટ કરવું

જો તમે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરો છો, ભલે તે એક વારમાં હોય કે પછી અનેક વારમાં. ઇન્કમટેક્ષ વિભાગ તમને આ રકમના સ્ત્રોત વિશે પૂછી શકે છે. એટલે જ સારૂ રહેશે કે, તમે ડિજિટલ રીતથી પૈસા FDમાં જમા કરો, જેથી ઇન્કમટેક્ષ વિભાગની પાસે તમારા ટ્રાન્જેક્શનનો રેકોર્ડ રહેશે,જેથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. 

 

બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરવું

જેવી રીતે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરવા પર ઇન્કમટેક્ષ વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે, બરાબર તેવી જ રીતે જો તમે કોઈ પણ બેંક અથવા કો-ઓપરેટીવ બેંકમાં વર્ષભરમાં 10 લાખ અથવા તેથી વધુ રકમ કેશમાં જમા કરો છો, તો તમે ઇન્કમટેક્ષ વિભાગના તપાસમાં આવી શકો છો.

About The Author

Top News

ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલી દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. ત્યારે કચ્છમાંથી નકલી વિદેશી દારૂ...
Gujarat 
ગુજરાતમાં વધુ એક નકલી દારુની ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 600 ભરેલી અને 9 હજાર ખાલી બોટલો પકડી

BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીનો રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યની 'આધી આબાદી' એટલે કે મહિલા મતદારોને રીઝવવા...
Politics 
BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી...
Politics 
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.