જો તમે પણ આ ભૂલ કરી છે, તો તમારા ઘરે આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ

આજનો સમય ડિજિટલ વ્યવહારનો છે, કેમ કે તે ખૂબ જ સરળ અને ઝડપી છે. સરકારે પણ મહત્તમ પેમેન્ટસ માટે ડિજિટલ ટ્રાન્જેક્શનને અનિવાર્ય બનાવ્યા છે, જેથી નાણાકીય વ્યવહાર પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત પણ કેશમાં પેમેન્ટ કરનાર લોકો ઓછા નથી, પણ તે લોકો આ વાતથી અજાણ છે કે, ઇન્કમટેક્ષ વિભાગની નજર તેમના પર રહે છે. એક લિમિટથી વધુ રોકડના વ્યવહાર પર ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ આવી શકે છે.

બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટારની પાસે જો કોઈ મોટી રકમ ટ્રાન્જેક્શન કરે છે, તો તેની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવાની હોય છે. જો તમે પણ આવા લોકોમાંથી છો, જે ડિજિટલ સિવાય કેશ ટ્રાન્જેક્શન વધુ કરો છો, તો તમે પોતે મુશ્કેલીઓને નિમંત્રણ આપી રહ્યા છો.

પ્રોપર્ટીની ખરીદી

30 લાખ અથવા તેનાથી વધુ કિંમતની પ્રોપર્ટીને વધુ કિંમતમાં ખરીદો છો અથવા વેચો છો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર તરફથી આની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવામાં આવશે. તેવી સ્થિતિમાં ઇન્કમટેક્ષ વિભાગ તમને આ કેશ ડીલ વિશે પૂછતાછ કરી શકે છે, પૈસાઓના સ્ત્રોત વિશે સ્પષ્ટતા માગી શકે છે.

Credit Card બિલનું પેમેન્ટ

જો તમે Credit Cardનું બિલ પણ કેશમાં જમા કરો છો, તો તમારા માટે મુશ્કેલીઓ નિર્માણ થઇ શકે છે. જો તમે એક વારમાં 1 લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડીટ કાર્ડના બિલના સ્વરૂપે જમા કરો છો, તો ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ તમને મળી શકે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવો છો, તો તમને પૈસાના માધ્યમ વિશે પૂછવામાં આવી શકે છે.

શેર, MFની ખરીદી

જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટી સંખ્યામાં રોકડ વ્યવહાર કરો છો, તો અલર્ટ થઇ જાઓ. કેમ કે, એક નાણાકીય વિત્ત વર્ષમાં  10 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરવાથી તમને ઇન્કમટેક્ષનું નિમંત્રણ આવી શકે છે.

FDમાં કેશ ડિપોઝીટ કરવું

જો તમે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરો છો, ભલે તે એક વારમાં હોય કે પછી અનેક વારમાં. ઇન્કમટેક્ષ વિભાગ તમને આ રકમના સ્ત્રોત વિશે પૂછી શકે છે. એટલે જ સારૂ રહેશે કે, તમે ડિજિટલ રીતથી પૈસા FDમાં જમા કરો, જેથી ઇન્કમટેક્ષ વિભાગની પાસે તમારા ટ્રાન્જેક્શનનો રેકોર્ડ રહેશે,જેથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. 

 

બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરવું

જેવી રીતે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરવા પર ઇન્કમટેક્ષ વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે, બરાબર તેવી જ રીતે જો તમે કોઈ પણ બેંક અથવા કો-ઓપરેટીવ બેંકમાં વર્ષભરમાં 10 લાખ અથવા તેથી વધુ રકમ કેશમાં જમા કરો છો, તો તમે ઇન્કમટેક્ષ વિભાગના તપાસમાં આવી શકો છો.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.