કેદારનાથ: એક જ કંપનીનું હેલિકોપ્ટર બીજી વખત ક્રેશ થયું, જાણો કોણ છે તેનો મલિક અને તેનો ધંધો શું છે

ઉત્તરાખંડના કેદારનાથમાં એક દુ:ખદ અકસ્માત થયો. ત્રિજુગીનારાયણથી ગૌરીકુંડ તરફ ઉડાન ભર્યા પછી એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર આવ્યા પછી, ઘણા મુસાફરો તેમની સલામતી અંગે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જ્યારે, લોકો આ રૂટ પર હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી કંપની પ્રત્યે પણ ગુસ્સે થયા છે. જે કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે જ કંપનીનું હેલિકોપ્ટર અગાઉ પણ અકસ્માતનો ભોગ બની ચૂક્યું છે.

06

કેદારનાથ રૂટ પર જે હેલિકોપ્ટર અકસ્માતગ્રસ્ત થયું તે આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત છે. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત 7 લોકો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, પરંતુ આ અકસ્માત પછી સલામતી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હકીકતમાં, આર્યન એવિએશનનું હેલિકોપ્ટર આ અગાઉ પણ અકસ્માતનો ભોગ બની ચૂક્યું હતું.

વર્ષ 2022માં પણ કેદારનાથમાં આર્યન એવિએશનનું એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બની ચુક્યું હતું. તે હેલિકોપ્ટર અકસ્માતમાં પણ 7 લોકોના મોત થયા હતા. વર્ષ 2022માં, આર્યન એવિએશનનું બેલ 407 VT-RPN હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બે વર્ષ પછી, તે જ કંપનીનું હેલિકોપ્ટર ફરીથી ક્રેશ થયું. જેના કારણે આર્યન એવિએશનની હેલિકોપ્ટર સેવાઓની સલામતી પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. વર્ષ 2007માં રચાયેલી આર્યન એવિએશન કંપની વર્ષોથી હેલિકોપ્ટર અને ચોપર સેવામાં કાર્યરત છે.

07

આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ એક ભારતીય કંપની છે, જે મુખ્યત્વે હેલિકોપ્ટર અને ચોપર સેવાઓના ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની ફ્લાઇટ્સ, યાત્રાધામ હેલિકોપ્ટર સેવાઓ, કોર્પોરેટ મુસાફરી, હવાઈ પ્રવાસન અને કટોકટી સેવાઓ માટે હેલી-એમ્બ્યુલન્સ અને કાર્ગો પરિવહન સેવાઓ પૂરી પાડે છે. નીરજ રાઠી કંપનીના MD છે. વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેની અધિકૃત શેર મૂડી રૂ. 25.00 કરોડ છે અને કુલ ચૂકવેલ મૂડી રૂ. 25.00 કરોડ છે.

આર્યન એવિએશન ગુપ્તકાશી-કેદારનાથ-ગુપ્તકાશી યાત્રા માટે એક વ્યક્તિ પાસેથી રૂ. 7740 ભાડું વસૂલ કરે છે. કંપની એક બાજુની સેવા માટે રૂ. 3870 ભાડું વસૂલ કરે છે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.