કેદારનાથ: એક જ કંપનીનું હેલિકોપ્ટર બીજી વખત ક્રેશ થયું, જાણો કોણ છે તેનો મલિક અને તેનો ધંધો શું છે

ઉત્તરાખંડના કેદારનાથમાં એક દુ:ખદ અકસ્માત થયો. ત્રિજુગીનારાયણથી ગૌરીકુંડ તરફ ઉડાન ભર્યા પછી એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર આવ્યા પછી, ઘણા મુસાફરો તેમની સલામતી અંગે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જ્યારે, લોકો આ રૂટ પર હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી કંપની પ્રત્યે પણ ગુસ્સે થયા છે. જે કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે જ કંપનીનું હેલિકોપ્ટર અગાઉ પણ અકસ્માતનો ભોગ બની ચૂક્યું છે.

06

કેદારનાથ રૂટ પર જે હેલિકોપ્ટર અકસ્માતગ્રસ્ત થયું તે આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત છે. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત 7 લોકો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, પરંતુ આ અકસ્માત પછી સલામતી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હકીકતમાં, આર્યન એવિએશનનું હેલિકોપ્ટર આ અગાઉ પણ અકસ્માતનો ભોગ બની ચૂક્યું હતું.

વર્ષ 2022માં પણ કેદારનાથમાં આર્યન એવિએશનનું એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બની ચુક્યું હતું. તે હેલિકોપ્ટર અકસ્માતમાં પણ 7 લોકોના મોત થયા હતા. વર્ષ 2022માં, આર્યન એવિએશનનું બેલ 407 VT-RPN હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બે વર્ષ પછી, તે જ કંપનીનું હેલિકોપ્ટર ફરીથી ક્રેશ થયું. જેના કારણે આર્યન એવિએશનની હેલિકોપ્ટર સેવાઓની સલામતી પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. વર્ષ 2007માં રચાયેલી આર્યન એવિએશન કંપની વર્ષોથી હેલિકોપ્ટર અને ચોપર સેવામાં કાર્યરત છે.

07

આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ એક ભારતીય કંપની છે, જે મુખ્યત્વે હેલિકોપ્ટર અને ચોપર સેવાઓના ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની ફ્લાઇટ્સ, યાત્રાધામ હેલિકોપ્ટર સેવાઓ, કોર્પોરેટ મુસાફરી, હવાઈ પ્રવાસન અને કટોકટી સેવાઓ માટે હેલી-એમ્બ્યુલન્સ અને કાર્ગો પરિવહન સેવાઓ પૂરી પાડે છે. નીરજ રાઠી કંપનીના MD છે. વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેની અધિકૃત શેર મૂડી રૂ. 25.00 કરોડ છે અને કુલ ચૂકવેલ મૂડી રૂ. 25.00 કરોડ છે.

આર્યન એવિએશન ગુપ્તકાશી-કેદારનાથ-ગુપ્તકાશી યાત્રા માટે એક વ્યક્તિ પાસેથી રૂ. 7740 ભાડું વસૂલ કરે છે. કંપની એક બાજુની સેવા માટે રૂ. 3870 ભાડું વસૂલ કરે છે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.