'હેરી ફેરી 3' માં પાછા ફર્યા પરેશ રાવલ, નિર્માતાએ આ બે લોકોનો માન્યો આભાર, કહ્યું...

રવિવારનો દિવસ ફિલ્મ 'હેરા ફેરી'ના ચાહકો માટે એક નવી સવાર લઈને આવ્યો. 'હેરા ફેરી 3'માંથી બહાર રહેલા પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ હવે ફિલ્મમાં પાછા આવી રહ્યા છે. તેમની અને અક્ષય કુમાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાનું નિવેદન પણ બહાર આવ્યું છે. તેમણે એવા લોકોના નામ આપ્યા જેમના કારણે બંને કલાકારો વચ્ચે સમાધાન શક્ય બન્યું.

ફિરોઝ નડિયાદવાલાએ માન્યો આભાર

'હેરા ફેરી 3' ના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું, 'મારા ભાઈ સાજિદ નડિયાદવાલા અને શ્રી અહેમદ ખાનના પ્રેમ, આદર અને માર્ગદર્શનને કારણે, હેરા ફેરી પરિવાર હવે ફરી સાથે થયો છે. સાજિદે ઘણા દિવસો સુધી ઘણી વખત અને પ્રયત્ન કર્યા જેથી બધું સારું થઈ જાય. અમારો સંબંધ 50 વર્ષથી પણ વધુ જૂનો છે.'

Paresh-Rawal2
theweek.in

અહમદ ખાને પણ વ્યક્તિગત સ્તરે ખૂબ જ મહેનત કરી. સાજિદ અને અહમદના પ્રેમ અને માર્ગદર્શનને કારણે, ટીમમાં હવે બધું જ પોજિટિવ અને  પ્રોડક્ટિવ છે. આ સાથે, અક્ષય કુમાર જી પણ ખૂબ જ સહાયક રહ્યા છે. આ સમગ્ર વિવાદના ઉકેલ દરમિયાન તેઓ ખૂબ જ દયા અને આદર સાથે હાજર રહ્યા હતા. પ્રિયદર્શન જી, પરેશ રાવલ જી અને સુનીલ શેટ્ટી જી પણ ખૂબ જ સહાયક હતા. હવે અમે એક સારી, હેપ્પી ફિલ્મ બનાવવા માટે ઉત્સુક છીએ.

'હેરા ફેરી 3'નું શૂટિંગ ક્યારે શરૂ થશે?

પોતાની વાતચીતમાં, ફિરોઝ નડિયાદવાલાએ 'હેરા ફેરી 3'ના શૂટિંગ અંગે અપડેટ પણ આપ્યું. તેમણે કહ્યું, 'આ ફિલ્મ હેરા ફેરી ફેમિલી ફ્રેન્ચાઇઝની બીજી એક શાનદાર મનોરંજક ફિલ્મ હશે. અમે બધા તેને વધુ સારી બનાવવા માટે ખૂબ જ મહેનત કરીશું. હવે અમારો પરિવાર એક સાથે આવી ગયો છે.' 'હેરા ફેરી 3'નું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. તો, 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મનું નિર્માણ પણ ફિરોઝ નડિયાદવાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેની રીલિઝ 2025 ના ક્રિસમસ પર થવાની વાત હતી.

Paresh-Rawal1
jagran.com

આ ફિલ્મનું 50% થી વધુ શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું, તેનું અડધું શૂટિંગ બાકી હતું. પરંતુ કોઈ કારણોસર ફિલ્મ અધવચ્ચે અટવાઈ ગઈ. ફિલ્મના દિગ્દર્શક અહેમદ ખાને જણાવ્યું હતું કે લોકેશનને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે તેના નિર્માતાએ પણ ફિલ્મના શૂટિંગ અંગે એક મોટી અપડેટ શેર કરી છે. ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું, 'અમે ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બે શૂટિંગ શેડ્યૂલ બાકી છે અને અમે તે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ. 

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.