'હેરી ફેરી 3' માં પાછા ફર્યા પરેશ રાવલ, નિર્માતાએ આ બે લોકોનો માન્યો આભાર, કહ્યું...

રવિવારનો દિવસ ફિલ્મ 'હેરા ફેરી'ના ચાહકો માટે એક નવી સવાર લઈને આવ્યો. 'હેરા ફેરી 3'માંથી બહાર રહેલા પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ હવે ફિલ્મમાં પાછા આવી રહ્યા છે. તેમની અને અક્ષય કુમાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાનું નિવેદન પણ બહાર આવ્યું છે. તેમણે એવા લોકોના નામ આપ્યા જેમના કારણે બંને કલાકારો વચ્ચે સમાધાન શક્ય બન્યું.

ફિરોઝ નડિયાદવાલાએ માન્યો આભાર

'હેરા ફેરી 3' ના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું, 'મારા ભાઈ સાજિદ નડિયાદવાલા અને શ્રી અહેમદ ખાનના પ્રેમ, આદર અને માર્ગદર્શનને કારણે, હેરા ફેરી પરિવાર હવે ફરી સાથે થયો છે. સાજિદે ઘણા દિવસો સુધી ઘણી વખત અને પ્રયત્ન કર્યા જેથી બધું સારું થઈ જાય. અમારો સંબંધ 50 વર્ષથી પણ વધુ જૂનો છે.'

Paresh-Rawal2
theweek.in

અહમદ ખાને પણ વ્યક્તિગત સ્તરે ખૂબ જ મહેનત કરી. સાજિદ અને અહમદના પ્રેમ અને માર્ગદર્શનને કારણે, ટીમમાં હવે બધું જ પોજિટિવ અને  પ્રોડક્ટિવ છે. આ સાથે, અક્ષય કુમાર જી પણ ખૂબ જ સહાયક રહ્યા છે. આ સમગ્ર વિવાદના ઉકેલ દરમિયાન તેઓ ખૂબ જ દયા અને આદર સાથે હાજર રહ્યા હતા. પ્રિયદર્શન જી, પરેશ રાવલ જી અને સુનીલ શેટ્ટી જી પણ ખૂબ જ સહાયક હતા. હવે અમે એક સારી, હેપ્પી ફિલ્મ બનાવવા માટે ઉત્સુક છીએ.

'હેરા ફેરી 3'નું શૂટિંગ ક્યારે શરૂ થશે?

પોતાની વાતચીતમાં, ફિરોઝ નડિયાદવાલાએ 'હેરા ફેરી 3'ના શૂટિંગ અંગે અપડેટ પણ આપ્યું. તેમણે કહ્યું, 'આ ફિલ્મ હેરા ફેરી ફેમિલી ફ્રેન્ચાઇઝની બીજી એક શાનદાર મનોરંજક ફિલ્મ હશે. અમે બધા તેને વધુ સારી બનાવવા માટે ખૂબ જ મહેનત કરીશું. હવે અમારો પરિવાર એક સાથે આવી ગયો છે.' 'હેરા ફેરી 3'નું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. તો, 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મનું નિર્માણ પણ ફિરોઝ નડિયાદવાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેની રીલિઝ 2025 ના ક્રિસમસ પર થવાની વાત હતી.

Paresh-Rawal1
jagran.com

આ ફિલ્મનું 50% થી વધુ શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું, તેનું અડધું શૂટિંગ બાકી હતું. પરંતુ કોઈ કારણોસર ફિલ્મ અધવચ્ચે અટવાઈ ગઈ. ફિલ્મના દિગ્દર્શક અહેમદ ખાને જણાવ્યું હતું કે લોકેશનને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે તેના નિર્માતાએ પણ ફિલ્મના શૂટિંગ અંગે એક મોટી અપડેટ શેર કરી છે. ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું, 'અમે ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બે શૂટિંગ શેડ્યૂલ બાકી છે અને અમે તે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ. 

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.