નૌકાદણના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ એમ કેમ કહ્યું કે- નેવીએ તૈયાર રહેવું પડશે

એડમિરલ દિનેશ K. ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું હતું કે, આતંકવાદને યુદ્ધ તરીકે લેવાના ભારતના નવા અભિગમથી નૌકાદળની કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. પાકિસ્તાન સામે 'ઓપરેશન સિંદૂર' પછી આ પરિવર્તન આવ્યું છે. એડમિરલ ત્રિપાઠીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે આ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપણે આ આતંકવાદીઓને મજબુતીથી જવાબ આપવો પડશે.

ગયા મહિને, ઉત્તર અરબી સમુદ્રમાં પાકિસ્તાન સામે INS વિક્રાંત અને તેના MiG-29K ફાઇટર એરક્રાફ્ટ સહિત ભારતના 35થી વધુ યુદ્ધ જહાજો અને સબમરીન તૈનાત કરવામાં આવ્યા હતા. તેનો હેતુ પાકિસ્તાનને ડરાવવાનો હતો. એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે, અમારા જહાજો, સબમરીન અને વિમાનો સંપૂર્ણપણે તૈયાર હતા. તેઓ આપણી તાકાત બતાવી રહ્યા હતા, જેથી પાકિસ્તાન કંઈ હિમ્મત ન કરે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી ઝડપથી થયેલી કાર્યવાહી દર્શાવે છે કે, અમે કેટલા શક્તિશાળી છીએ. આનાથી પાકિસ્તાનને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરવાની ફરજ પડી. હું કહીશ કે આ યોગ્ય સમયે થયું.

06

7 મેના રોજ, જ્યારે ભારતીય વાયુસેના (IAF) અને સેનાએ પાકિસ્તાન અને PoKમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, ત્યારે નૌકાદળની તૈનાતીએ ખાતરી કરી કે, પાકિસ્તાની નૌકાદળ તેની સરહદોની અંદર રહે અને પોતાનો બચાવ કરતી રહે.

ભારત માટે નૌકાદળની ભૂમિકા હવે વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. સુરક્ષાના સંદર્ભમાં દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. એડમિરલ ત્રિપાઠીએ કહ્યું, 'વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો અને ભૂ-રાજકીય ફેરફારોને કારણે અમારા કાર્યની સંખ્યા, વિવિધતા અને જટિલતામાં વધારો થયો છે.'

05

તેમણે વધુમાં કહ્યું, 'સૌથી ઝડપથી વિકસતી સેના હોવાને કારણે, નૌકાદળ સતત નવી તકનીકો અપનાવી રહ્યું છે. અમે આધુનિક જહાજો, સબમરીન, વિમાન, માનવરહિત પ્રણાલીઓ (ડ્રોન), અવકાશ સંસાધનો અને AI (કૃત્રિમ બુદ્ધિ) સંચાલિત પ્લેટફોર્મનો સમાવેશ કરી રહ્યા છીએ. આ અમારી શક્તિમાં વધુ વધારો કરી રહ્યું છે.

આનો અર્થ એ છે કે, ભારતીય નૌકાદળ હવે પહેલા કરતાં ઘણું વધુ શક્તિશાળી છે અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓ નવી તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે અને દેશને સુરક્ષિત રાખવા માટે સતત તેમની શક્તિમાં વધારો કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.