અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે છૂટાછેડાની ચર્ચા પર આપ્યો જવાબ

અભિષેક બચ્ચને વર્ષ 2007માં ગ્લોબલ આઇકન ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ લગભગ 2 દાયકાથી મજબૂત સંબંધ અકબંધ રાખ્યા છે, બંને ઘણી વખત એક-બીજા માટેના પોતાના પ્રેમ અને પ્રશંસા બાબતે ખૂબ જ સ્પષ્ટ વાતો કરે છે. જોકે, ગયા વર્ષથી બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ સતત ફેલાઈ રહી છે, જેના પર અભિષેક બચ્ચને પોતાના ઇન્ટરવ્યૂમાં બાદ પૂર્ણવિરામ લગાવી દીધો છે.

નયનદીપ રક્ષિત સાથેની તાજેતરની વાતચીતમાં અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓનો પર ન માત્ર પૂર્ણવિરામ લગાવી દીધો, પરંતુ તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને નિઃસ્વાર્થપણે પાલન-પોષણ કરવા માટે તેની પ્રશંસા પણ કરી. પોતાના કૌટુંબિક જીવનને 'સુખી અને સ્વસ્થ' બતાવતા અભિષેક બચ્ચને સ્ક્રીનના સંદર્ભે કહ્યું કે, ‘આરાધ્યા પરિવારનું ગૌરવ અને ખુશી છે. તો હા, અમે ધન્ય છીએ. અને દિવસના અંતમાં આ ખુશી એક ખુશાલ અને સ્વસ્થ પરિવારમાં ઘરે આવી રહી છે. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

abhishek
lifestyleasia.com

આ જ ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને ઐશ્વર્ય રાયની પ્રશંસા પણ કરી કે તેણે પોતાની પુત્રી આરાધ્યા બચ્ચનને નિઃસ્વાર્થપણે પાલન-પોષણ કર્યું. મારે દરેક વસ્તુનો શ્રેય પૂરી રીતે તેની માતાને આપવો પડશે. મને આઝાદી છે અને હું મારી ફિલ્મો બનાવવા માટે બહાર જાઉં છું, પરંતુ ઐશ્વર્યા આરાધ્યા સાથે ભારે કામ કરે છે. તે અદ્ભુત છે. નિઃસ્વાર્થ. મને તે આશ્ચર્યજનક લાગે છે. અભિષેકે એમ પણ કહ્યું કે સામાન્ય માતાઓની જેમ, મને નથી લાગતું કે પિતાઓમાં આટલું આપવાની ક્ષમતા હોય છે, કદાચ આપણે અલગ રીતે બનેલા હોઈએ છીએ. એટલે આરાધ્યા માટે, હા, બિલકુલ, બધો શ્રેય ઐશ્વર્યાને જાય છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના લગ્ન ક્યારે થયા?

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ એક ખાનગી અને અતરંગ સમારોહમાં લગ્ન કર્યા હતા, જેમાં માત્ર તેમના નજીકના પરિવાર અને મિત્રો જ સામેલ થયા હતા. પોતાના લગ્નના 4 વર્ષ બાદ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે નવેમ્બર 2011માં તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.