અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે છૂટાછેડાની ચર્ચા પર આપ્યો જવાબ

અભિષેક બચ્ચને વર્ષ 2007માં ગ્લોબલ આઇકન ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ લગભગ 2 દાયકાથી મજબૂત સંબંધ અકબંધ રાખ્યા છે, બંને ઘણી વખત એક-બીજા માટેના પોતાના પ્રેમ અને પ્રશંસા બાબતે ખૂબ જ સ્પષ્ટ વાતો કરે છે. જોકે, ગયા વર્ષથી બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ સતત ફેલાઈ રહી છે, જેના પર અભિષેક બચ્ચને પોતાના ઇન્ટરવ્યૂમાં બાદ પૂર્ણવિરામ લગાવી દીધો છે.

નયનદીપ રક્ષિત સાથેની તાજેતરની વાતચીતમાં અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓનો પર ન માત્ર પૂર્ણવિરામ લગાવી દીધો, પરંતુ તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને નિઃસ્વાર્થપણે પાલન-પોષણ કરવા માટે તેની પ્રશંસા પણ કરી. પોતાના કૌટુંબિક જીવનને 'સુખી અને સ્વસ્થ' બતાવતા અભિષેક બચ્ચને સ્ક્રીનના સંદર્ભે કહ્યું કે, ‘આરાધ્યા પરિવારનું ગૌરવ અને ખુશી છે. તો હા, અમે ધન્ય છીએ. અને દિવસના અંતમાં આ ખુશી એક ખુશાલ અને સ્વસ્થ પરિવારમાં ઘરે આવી રહી છે. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

abhishek
lifestyleasia.com

આ જ ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને ઐશ્વર્ય રાયની પ્રશંસા પણ કરી કે તેણે પોતાની પુત્રી આરાધ્યા બચ્ચનને નિઃસ્વાર્થપણે પાલન-પોષણ કર્યું. મારે દરેક વસ્તુનો શ્રેય પૂરી રીતે તેની માતાને આપવો પડશે. મને આઝાદી છે અને હું મારી ફિલ્મો બનાવવા માટે બહાર જાઉં છું, પરંતુ ઐશ્વર્યા આરાધ્યા સાથે ભારે કામ કરે છે. તે અદ્ભુત છે. નિઃસ્વાર્થ. મને તે આશ્ચર્યજનક લાગે છે. અભિષેકે એમ પણ કહ્યું કે સામાન્ય માતાઓની જેમ, મને નથી લાગતું કે પિતાઓમાં આટલું આપવાની ક્ષમતા હોય છે, કદાચ આપણે અલગ રીતે બનેલા હોઈએ છીએ. એટલે આરાધ્યા માટે, હા, બિલકુલ, બધો શ્રેય ઐશ્વર્યાને જાય છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના લગ્ન ક્યારે થયા?

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ એક ખાનગી અને અતરંગ સમારોહમાં લગ્ન કર્યા હતા, જેમાં માત્ર તેમના નજીકના પરિવાર અને મિત્રો જ સામેલ થયા હતા. પોતાના લગ્નના 4 વર્ષ બાદ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે નવેમ્બર 2011માં તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું હતું.

Related Posts

Top News

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.