અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે છૂટાછેડાની ચર્ચા પર આપ્યો જવાબ

અભિષેક બચ્ચને વર્ષ 2007માં ગ્લોબલ આઇકન ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ લગભગ 2 દાયકાથી મજબૂત સંબંધ અકબંધ રાખ્યા છે, બંને ઘણી વખત એક-બીજા માટેના પોતાના પ્રેમ અને પ્રશંસા બાબતે ખૂબ જ સ્પષ્ટ વાતો કરે છે. જોકે, ગયા વર્ષથી બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ સતત ફેલાઈ રહી છે, જેના પર અભિષેક બચ્ચને પોતાના ઇન્ટરવ્યૂમાં બાદ પૂર્ણવિરામ લગાવી દીધો છે.

નયનદીપ રક્ષિત સાથેની તાજેતરની વાતચીતમાં અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓનો પર ન માત્ર પૂર્ણવિરામ લગાવી દીધો, પરંતુ તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને નિઃસ્વાર્થપણે પાલન-પોષણ કરવા માટે તેની પ્રશંસા પણ કરી. પોતાના કૌટુંબિક જીવનને 'સુખી અને સ્વસ્થ' બતાવતા અભિષેક બચ્ચને સ્ક્રીનના સંદર્ભે કહ્યું કે, ‘આરાધ્યા પરિવારનું ગૌરવ અને ખુશી છે. તો હા, અમે ધન્ય છીએ. અને દિવસના અંતમાં આ ખુશી એક ખુશાલ અને સ્વસ્થ પરિવારમાં ઘરે આવી રહી છે. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

abhishek
lifestyleasia.com

આ જ ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને ઐશ્વર્ય રાયની પ્રશંસા પણ કરી કે તેણે પોતાની પુત્રી આરાધ્યા બચ્ચનને નિઃસ્વાર્થપણે પાલન-પોષણ કર્યું. મારે દરેક વસ્તુનો શ્રેય પૂરી રીતે તેની માતાને આપવો પડશે. મને આઝાદી છે અને હું મારી ફિલ્મો બનાવવા માટે બહાર જાઉં છું, પરંતુ ઐશ્વર્યા આરાધ્યા સાથે ભારે કામ કરે છે. તે અદ્ભુત છે. નિઃસ્વાર્થ. મને તે આશ્ચર્યજનક લાગે છે. અભિષેકે એમ પણ કહ્યું કે સામાન્ય માતાઓની જેમ, મને નથી લાગતું કે પિતાઓમાં આટલું આપવાની ક્ષમતા હોય છે, કદાચ આપણે અલગ રીતે બનેલા હોઈએ છીએ. એટલે આરાધ્યા માટે, હા, બિલકુલ, બધો શ્રેય ઐશ્વર્યાને જાય છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના લગ્ન ક્યારે થયા?

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ એક ખાનગી અને અતરંગ સમારોહમાં લગ્ન કર્યા હતા, જેમાં માત્ર તેમના નજીકના પરિવાર અને મિત્રો જ સામેલ થયા હતા. પોતાના લગ્નના 4 વર્ષ બાદ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે નવેમ્બર 2011માં તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું હતું.

About The Author

Related Posts

Top News

9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

Vivoએ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Vivo T5 Pro 5G લોન્ચ કરી દીધો છે. કંપની આ મિડ-રેન્જ સ્માર્ટફોન 9020...
Tech and Auto 
9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

કોંગ્રેસના નેતા શશિ થરૂર પોતાના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે કંઈક એવો દાવો કરી દીધો...
Politics 
ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યારે પાર્ટીઓ અન્ય ઉમેદવારોને ફોર્મ ખેચાવવા માટે સામ, દામ અને...
Gujarat 
25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...

ભારતીય કાર બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન, વિયેતનામી કાર ઉત્પાદક VinFastએ તેની નવી...
Tech and Auto 
ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.