રવિ શાસ્ત્રી ભારતની પ્લેઇંગ XIથી નાખુશ, બૂમરાહને બહાર કરવામાં આવતા કહી દીધી આ વાત

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ ગુમાવ્યો અને તેને પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યું છે. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી છે અને કેએલ રાહુલ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ટોસ બાદ રવિ શાસ્ત્રી ભારતીય ટીમ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા અને તેનું કારણ હતું ગૌતમ ગંભીર અને શુભમન ગિલનો મોટો નિર્ણય હતો. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી જસપ્રીત બૂમરાહ ગાયબ હતો અને રવિ શાસ્ત્રીએ તેના પર સવાલ ઉઠાવ્યો હતો. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જો જસપ્રીત બૂમરાહ આ મેચ માટે ફિટ હતો, તો તેણે આ મેચ રમવી જ જોઈતી હતી.

રવિ શાસ્ત્રીએ જિયો હોટસ્ટાર સાથેની વાતચીતમાં કહ્યું કે, બૂમરાહને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ ન કરવું એ ખૂબ જ અજીબ છે. જો બૂમરાહ રમવા માટે ફિટ હતો, તો આ એક અજીબ નિર્ણય છે. આ એક મહત્ત્વપૂર્ણ ટેસ્ટ મેચ છે. ભારતીય ટીમ માટે આ મેચમાં જીત જરૂરી છે. બૂમરાહ એક મહત્ત્વનો ખેલાડી છે, કોઈ કિન્તુ-પરંતુ નથી, બૂમરાહે રમવું જોઈતું હતું.

ravi shastri
indiatvnews.com

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ પહેલી ટેસ્ટ ગુમાવી ચૂકી છે અને એજબેસ્ટનમાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી, આ જ કારણ છે કે શાસ્ત્રી આ પ્રકારની વાતો કહેતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ મેચના એક દિવસ અગાઉ કહ્યું હતું કે જસપ્રીત બૂમરાહ પસંદગી માટે ફિટ છે. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે જો બૂમરાહ ન રમે તો પણ તેની પાસે 20 વિકેટ લેવાના વિકલ્પ છે.

ઉલ્લેખનીય કે, બૂમરાહની જગ્યાએ ભારતીય ટીમે આકાશદીપને ચાન્સ આપ્યો છે, જે બૉલ સ્વિંગ કરવામાં માહિર છે. એટલું જ નહીં, ભારતીય ટીમે વધુ 2 બદલાવ કર્યા છે. સાઈ સુદર્શનની જગ્યાએ નીતિશ રેડ્ડી અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ વોશિંગ્ટન સુંદર પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા છે. રિપોર્ટ્સ હતા કે અર્શદીપ સિંહને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે પરંતુ એવું થયું નથી.

IND Vs ENG
espncricinfo.com

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ XI

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.