મુકેશ અંબાણીએ રિલાયન્સમાં ટોપ લીડરશિપ માટે 'આઈ કોન્ટેક્ટ'ના નિયમો નક્કી કર્યા,જણાવ્યું શું થશે ફાયદા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ટોપ લીડરશિપ માટે આઈ કોન્ટેક્ટ પોલિસી નક્કી કરી છે. હકીકતમાં, McKinsey & Co  સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ જોખમ વ્યવસ્થાપન વિશે શું વિચારે છે, ત્યારે મુકેશ અંબાણીએ કહ્યું કે સિદ્ધાંત એ છે કે શું તમે સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ ટકી શકો છો. તમે પહેલા વિચારો કે સૌથી ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે છે, અને પછી તમારે તેમાંથી બચવું પડશે. આ મારા સિદ્ધાંતોમાંનો એક રહ્યો છે. લગભગ 30 કે 40 વર્ષ પહેલાં, મેં કહ્યું હતું કે બીજો સિદ્ધાંત જે મારે વ્યક્તિગત રીતે અપનાવવો જોઈએ તે છે મારા કોઈપણ કર્મચારીની આંખોમાં જોવું. રિલાયન્સમાં, અમે અમારા નેતૃત્વને કહીએ છીએ કે આંખનો સંપર્ક મહત્વપૂર્ણ છે કારણ કે પછી તમે તમારી પ્રામાણિકતા વ્યક્ત કરો છો.

mukesh-ambani1
livemint.com

અમે તે કરશું જે યોગ્ય છે 

તેમણે વધુમાં કહ્યું કે મને લાગે છે કે આપણે આપણા ટોચના 100 નેતાઓ સમક્ષ આપણા બધા સિદ્ધાંતો એમ કહીને મૂકી શકીએ છીએ કે આ અમારા સિદ્ધાંતો છે. અમે તે જ કરશું જે યોગ્ય છે. આપણે જે પણ કરીએ છીએ, આપણે એકબીજા તરફ જોઈને તે કહેવા માટે સક્ષમ હોવા જોઈએ કે અમે શરમાતા નથી. આ રીતે અમે અમારી સંસ્થાકીય સંસ્કૃતિ બનાવી છે. અને આ સંસ્થાકીય સંસ્કૃતિ કોઈપણ પ્રકારના જોખમ સામે અમારો શ્રેષ્ઠ વીમો છે.

ધીરુભાઈ અંબાણીના શબ્દો જે બની ગયા એક પાઠ  

મુકેશ અંબાણીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા પિતા કહેતા હતા કે જો તમે અબજોપતિ બનવા માટે વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમે મૂર્ખ છો; તમે ક્યારેય ત્યાં પહોંચી શકશો નહીં. જો તમે એક એવો વ્યવસાય શરૂ કરવા માંગો છો જે એક અબજ લોકોને અસર કરે છે, તો તમારી પાસે સફળ થવાની સારી તક છે, અને પરિણામે તમે સારી રકમ કમાઈ શકો છો. અંબાણીએ કહ્યું કે આ રિલાયન્સના ડીએનએમાં છે. અમે એ શોધીશું કે અમે જે કરવા માંગીએ છીએ તે ક્યાંથી પ્રાપ્ત કરવું - જ્યાં સુધી અમારી પાસે યોગ્ય પ્રતિભા છે અને અમારી પાસે યોગ્ય લક્ષ્ય છે. આપણે ત્યા એક કહેવત છે કે જો તમે અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તમે ક્યારેય તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં; પરંતુ જો તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તમે બધા અવરોધોને દૂર કરી શકશો.

mukesh-ambani4
telecom.economictimes.indiatimes.com

જિયોના રૂપમાં કંપનીએ એક મોટું જોખમ લીધું હતું

વ્યવસાયમાં જોખમ સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતા, તેમણે કહ્યું કે અમે હંમેશા મોટા જોખમો લીધા છે, કારણ કે અમારા માટે, સ્કેલ મહત્વપૂર્ણ છે. અમે અત્યાર સુધી જે સૌથી મોટું જોખમ લીધું છે તે જિયો હતું. તે સમયે, તે અમારા પોતાના પૈસા હતા જે અમે રોકાણ કરી રહ્યા હતા, અને હું બહુમતી શેરહોલ્ડર હતો. અમારી સૌથી ખરાબ પરિસ્થિતિ એ હતી કે તે નાણાકીય રીતે કામ ન કરી શકે કારણ કે કેટલાક વિશ્લેષકોને લાગ્યું કે ભારત સૌથી અદ્યતન ડિજિટલ ટેકનોલોજી માટે તૈયાર નથી. પરંતુ મેં મારા બોર્ડને કહ્યું કે સૌથી ખરાબ સ્થિતિમાં, અમે વધુ વળતર મેળવી શકીશું નહીં. તે ઠીક છે કારણ કે તે અમારા પોતાના પૈસા છે. પરંતુ પછી, રિલાયન્સ તરીકે, તે ભારતમાં કરવામાં આવેલ શ્રેષ્ઠ પરોપકાર હશે કારણ કે અમે ભારતને ડિજિટલ બનાવી દીધું હશે, અને આમ ભારતને સંપૂર્ણપણે બદલી નાખ્યું હશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.