EDનો આરોપ- સોનિયા ગાંધી-રાહુલે ઘડ્યું 2000 કરોડની સંપત્તિ હડપવાનું કાવતરું

નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની દૈનિક સુનાવણી આજે (બુધવાર) દિલ્હીની એક ખાસ કોર્ટમાં શરૂ થઈ છે. આ દરમિયાન, કેસની તપાસ કરતી એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) V રાજુએ દાવો કર્યો હતો કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 2000 કરોડ રૂપિયાની સંપત્તિ હડપ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની મિલકત હડપ કરવા માંગતી હતી, જેની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયા હતી. આ પછી, ASGએ કહ્યું કે, આ કાવતરું સોનિયા અને રાહુલ ગાંધી દ્વારા રચવામાં આવ્યું હતું.

National Herald Case
businesstoday-in.translate.goog

કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ કેસમાં મુખ્ય આરોપી છે. આ હાઇ-પ્રોફાઇલ કેસની સુનાવણી CBIના વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગને કરી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, AJL નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરતું હતું, જેની સ્થાપના ભૂતપૂર્વ PM જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી.

National Herald Case
amarujala.com

સુનાવણી દરમિયાન રાજુએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયન બનાવવા માટે એક કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 76 ટકા શેર હતા, જેથી કોંગ્રેસ પાસેથી લીધેલા 90 કરોડ રૂપિયાના લોન માટે 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ હડપ કરી શકાય. EDએ કહ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિર્દેશ પર AJLને જાહેરાતના પૈસા પણ આપવામાં આવ્યા હતા અને આ નકલી કંપનીમાંથી જે પણ આવક થઈ હતી તે ગુનાની આવક હતી. 21 મેના રોજ થયેલી છેલ્લી સુનાવણી દરમિયાન, EDએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કથિત નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ સંબંધિત 142 કરોડ રૂપિયાના ગુનાની કમાણી કરી છે.

National Herald Case
performindia.com

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દાખલ કરાયેલી ફરિયાદ ફરિયાદમાં, EDએ ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સભ્ય 78 વર્ષીય સોનિયા ગાંધીને આરોપી નંબર એક અને તેમના પુત્ર અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને આરોપી નંબર બે તરીકે નામ આપ્યું છે. આ ઉપરાંત, આ કેસમાં અન્ય પાંચ લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

National Herald Case
hindi.newsbytesapp.com

નેશનલ હેરાલ્ડ-AJL-યંગ ઇન્ડિયન કેસ યંગ ઇન્ડિયનના 'લાભકારી માલિકો' અને બહુમતી શેરધારકો (સોનિયા અને રાહુલ) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ ગેરકાયદેસર રીતે હસ્તગત કરવા માટે રચવામાં આવેલા કથિત કાવતરા સાથે સંબંધિત છે. AJL 'નેશનલ હેરાલ્ડ' ન્યૂઝ પ્લેટફોર્મ (સમાચાર અને વેબ પોર્ટલ)નું પ્રકાશક છે અને તે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની માલિકીની છે.

About The Author

Related Posts

Top News

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા...
National 
દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026...
National 
BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...
Politics 
‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ વચ્ચે જનતાને એક અનોખી અપીલ...
National 
LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.