LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ વચ્ચે જનતાને એક અનોખી અપીલ કરી છે. કલેક્ટરે સૂચન કર્યું છે કે, લોકો રસોઈ ગેસ અને ઇંધણ પર બચત કરવા માટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના ખાવાના મેનુમાં ફેરફાર કરે.

મધ્યપ્રદેશના બરવાની કલેક્ટરે જિલ્લાના લોકોને ઇંધણનો વપરાશ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ એક સારી તક છે, જ્યારે આપણે આપણી ઇંધણની જરૂરિયાતોની સમીક્ષા કરી શકીએ છીએ. તેમણે વધારે ઇંધણ વપરાય તેવી વાનગીઓને બદલે આપણે આપણી ખાવાની વાનગી જ બદલી નાખીએ, જેથી ખાવાનું બનાવવામાં ઓછું ઇંધણ વપરાય અને આપણને ખાવાનું પણ મળી રહે, ઉપરાંત આપણે ગેસ પણ બચાવી શકીએ.

IAS Jayati Singh
ndtv.in

કલેક્ટરે જિલ્લાના નાગરિકોને ઇંધણ બચાવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ તેમની ઇંધણની જરૂરિયાતો પર ફરીથી વિચાર કરવો જોઈએ. આપણે વિચારવાની જરૂર છે કે આપણે આપણા ઇંધણનો વપરાશ કેવી રીતે ઘટાડી શકીએ.

IAS અધિકારીએ સૂચન કર્યું કે, લોકો તેમના ખાવાના મેનુમાં પણ ફેરફાર કરી શકે છે. ખાસ કરીને, જે વાનગીઓ ખૂબ ઇંધણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તેને થોડા સમય માટે ઘટાડી શકાય છે. ઉદાહરણો આપતા તેમણે કહ્યું કે રોટલી અને પરાઠા જેવી વાનગીઓની જગ્યાએ ઓછા ઇંધણના વપરાશથી જે વાનગી બનતી હોય તેના વડે બદલી શકાય છે.

કલેક્ટર માને છે કે, જો દરેક વ્યક્તિ થોડું યોગદાન આપે તો બળતણની બચત શક્ય છે. આ ઉપરાંત, ગેસની ઉપલબ્ધતામાં પણ સરળતાથી સુધારો કરી શકાય છે.

IAS જયતિ સિંહે કહ્યું, 'હું દરેકને વિનંતી કરીશ કે આ તેમની બળતણની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવાની સારી તક છે. આપણે આપણા ખાવાના મેનુમાં પણ ફેરફાર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, રોટલી અને પરાઠા બનાવવા માટે ઘણું બળતણની જરૂર પડે છે. આને આપણે બદલીને આમાંથી ઓછા બળતણનો ઉપયોગ કરતી અન્ય વાનગીઓના વિકલ્પો તરફ વળી શકીએ છીએ.'

11

હકીકતમાં, ઈરાન, ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવને કારણે, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગેસ સિલિન્ડરોની અછત જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓની બહાર સિલિન્ડર માટે લાંબી કતારો લાગી રહી છે. ઘણી જગ્યાએ કાળાબજારીની ફરિયાદો પણ છે. દરેક ઘરના લોકો ગેસની અછતથી ચિંતિત છે. જોકે, સરકાર દાવો કરે છે કે LPGની કોઈ અછત નથી.

LPG-Cylinder2
dynamitenews.com

મધ્યપ્રદેશમાં, બરવાની જિલ્લા કલેક્ટર IAS જયતિ સિંહને તેમની આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમનો વીડિયો, જેમાં 'રોટલી અને પરાઠાને અન્ય વિકલ્પોથી બદલવા અને લગ્નમાં ઇન્ડક્શન સ્ટવ અને ડીઝલ ભઠ્ઠીઓનો ઉપયોગ કરવાની' સૂચના આપવામાં આવી છે, તે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમને તેમના AC રૂમમાંથી બહાર નીકળીને વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરવાની સલાહ આપી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે, તેમને LPG સિલિન્ડરની સમસ્યાની ખરી હકીકતની સમજ નથી.

About The Author

Related Posts

Top News

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...
Politics 
‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ વચ્ચે જનતાને એક અનોખી અપીલ...
National 
LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મહારાણા મેવાડ ફાઉન્ડેશન 42મા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને યુવા પ્રતિભાઓનું સન્માન

ઉદયપુર (રાજસ્થાન) [ભારત], 17 માર્ચ:  મેવાડની સમૃદ્ધ અને ઐતિહાસિક પરંપરાઓને આગળ ધપાવતા, મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનએ તેના 42મા વાર્ષિક પુરસ્કાર...
Gujarat 
 મહારાણા મેવાડ ફાઉન્ડેશન 42મા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને યુવા પ્રતિભાઓનું સન્માન

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...

(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર...
Opinion 
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.