‘હેરા ફેરી’માં બાબૂ રાવની થઈ વાપસી, અક્ષય સાથે મામલો ઉકેલાયો? જાણો પરેશ રાવલે શું કહ્યું?

કહેવાય છે કે જો કોઈ વસ્તુને દિલથી ઈચ્છો તો આખું બ્રહ્માંડ તેને સાકાર કરવામાં લાગી જાય છે. આ કહેવત 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના ફેન્સ પર એકદમ ફિટ બેસતી નજરે પડી છે કેમ કે 'બાબૂ રાવ' એટલે કે એક્ટર પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે ચાલી રહેલા 'હેરા ફેરી 3'નો વિવાદ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. પરેશ રાવલે પોતે આ વાતની પુષ્ટિ કરી છે અને ફેન્સને આ ગૂડ ન્યૂઝ આપ્યા છે.

તાજેતરમાં પરેશ રાવલે એક ઇન્ટરવ્યૂમાં હેરા ફેરી 3’ સાથે જોડાયેલા વિવાદ પર ખૂલીને વાત કરી છે. તેનું કહેવું છે કે આ કોઈ વિવાદ નહોતો. તે માત્ર ઇચ્છતો હતો કે બધા સાથે આવીને મહેનત કરે. હવે બધા મામલા ઉકેલાઈ ચૂક્યા છે. હિમાંશુ મહેતા સાથેની વાતચીતમાં પરેશ રાવલે કહ્યું કે, 'નહીં, કોઈ વિવાદ નથી. શું થાય છે કે જ્યારે કોઈ વસ્તુ આટલા લોકોને ગમે છે, ત્યારે આપણે થોડી વધુ સાવધાન થવાની જરૂરિયાત છે. ઓડિયન્સ માટે અમારી એક જવાબદારી છે કે તેઓ અહીં બેઠા છે, તેઓ તમને ખૂબ પ્રેમ કરે છે. તમે વસ્તુઓને નજરઅંદાજ કે હળવાશથી નહીં લઈ શકો. તેમને મહેનત કરવા દો. તો મારો મત એજ છે કે બધા સાથે આવે અને મહેનત કરે, બીજું કંઈ નહીં. પરંતુ આ કોઈ વિવાદ નથી. હવે અમારી વચ્ચે બધું ઉકેલાઈ ગયું છે.'

Zumba Sessions
onmanorama-com.translate.goog

પરેશ રાવલે ફિલ્મ 'હેરા ફેરી 3'ની મેકિંગ  પર વાત કહી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ પહેલા જેવી રીતે આવવાની હતી એવી જ રીતે આવશે. તેણે કહ્યું કે, 'ફિલ્મ પહેલા પણ આવવાની હતી. પરંતુ શું થાય છે કે આપણે એક-બીજાને થોડું ફાઇન ટ્યૂન કરવું પડે છે. કેમ કે બધા ક્રિએટિવ લોકો છે. જેમ કે પ્રિયદર્શન, અક્ષય કે સુનિલ શેટ્ટી. તે બધા ઘણા વર્ષોથી મારા મિત્રો છે.

થોડા સમય અગાઉ જ્યારે પરેશ રાવલ 'હેરા ફેરી 3'માંથી બહાર થયા હતા, ત્યારે 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના ફેન્સનું દિલ તૂટી ગયું હતું. આ સમાચારથી અક્ષય કુમાર પોતે પણ નાખુશ હતો. બંને એક્ટર્સ વચ્ચે વિવાદના સમાચારો પણ આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે અક્ષય કુમારે પરેશ રાવલ સામે કેસ દાખલ કર્યો હતો, જેનો જવાબ એક્ટરે પોતાના વકીલ સાથે મળીને આપ્યો છે. અક્ષયે પણ કહ્યું હતું કે તેમના અને પરેશ રાવલ વચ્ચે ચાલી રહેલો મામલો ખૂબ જ ગંભીર છે અને તેનો ઉકેલ કોર્ટમાં જ આવશે.

paresh rawal
filmfare.com

તમને જણાવી દઈએ કે, ફિલ્મ હેરા ફેરી 3’ બનાવવાની વાત 2015થી ચાલી રહી છે. પહેલા અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ આ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. પરંતુ થોડા સમય બાદ બંનેએ ફિલ્મ છોડી દીધી. ત્યારબાદ ફિલ્મને લઈને ઘણી વાતો સામે આવી. પહેલા અક્ષય કુમાર ફિલ્મનો હિસ્સો નહોતો, પરંતુ જ્યારે ફિલ્મમાં ડિરેક્ટર ફરહાદ સામજીની એન્ટ્રી થઈ, ત્યારે તે તેની સાથે જોડાઈ ગયો. જોકે, તેમને પણ આ પ્રોજેક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા. હવે આ પ્રોજેક્ટને પહેલો ભાગ ડિરેક્ટર કરનારા પ્રિયદર્શન ડિરેક્ટ કરશે.

About The Author

Related Posts

Top News

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

US અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યા છે, અને ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. એકબીજાના...
Tech and Auto 
ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.