- Entertainment
- ‘હેરા ફેરી’માં બાબૂ રાવની થઈ વાપસી, અક્ષય સાથે મામલો ઉકેલાયો? જાણો પરેશ રાવલે શું કહ્યું?
‘હેરા ફેરી’માં બાબૂ રાવની થઈ વાપસી, અક્ષય સાથે મામલો ઉકેલાયો? જાણો પરેશ રાવલે શું કહ્યું?

કહેવાય છે કે જો કોઈ વસ્તુને દિલથી ઈચ્છો તો આખું બ્રહ્માંડ તેને સાકાર કરવામાં લાગી જાય છે. આ કહેવત 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના ફેન્સ પર એકદમ ફિટ બેસતી નજરે પડી છે કેમ કે 'બાબૂ રાવ' એટલે કે એક્ટર પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે ચાલી રહેલા 'હેરા ફેરી 3'નો વિવાદ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. પરેશ રાવલે પોતે આ વાતની પુષ્ટિ કરી છે અને ફેન્સને આ ગૂડ ન્યૂઝ આપ્યા છે.
તાજેતરમાં પરેશ રાવલે એક ઇન્ટરવ્યૂમાં ‘હેરા ફેરી 3’ સાથે જોડાયેલા વિવાદ પર ખૂલીને વાત કરી છે. તેનું કહેવું છે કે આ કોઈ વિવાદ નહોતો. તે માત્ર ઇચ્છતો હતો કે બધા સાથે આવીને મહેનત કરે. હવે બધા મામલા ઉકેલાઈ ચૂક્યા છે. હિમાંશુ મહેતા સાથેની વાતચીતમાં પરેશ રાવલે કહ્યું કે, 'નહીં, કોઈ વિવાદ નથી. શું થાય છે કે જ્યારે કોઈ વસ્તુ આટલા લોકોને ગમે છે, ત્યારે આપણે થોડી વધુ સાવધાન થવાની જરૂરિયાત છે.’ ઓડિયન્સ માટે અમારી એક જવાબદારી છે કે તેઓ અહીં બેઠા છે, તેઓ તમને ખૂબ પ્રેમ કરે છે. તમે વસ્તુઓને નજરઅંદાજ કે હળવાશથી નહીં લઈ શકો. તેમને મહેનત કરવા દો. તો મારો મત એજ છે કે બધા સાથે આવે અને મહેનત કરે, બીજું કંઈ નહીં. પરંતુ આ કોઈ વિવાદ નથી. હવે અમારી વચ્ચે બધું ઉકેલાઈ ગયું છે.'

પરેશ રાવલે ફિલ્મ 'હેરા ફેરી 3'ની મેકિંગ પર વાત કહી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ પહેલા જેવી રીતે આવવાની હતી એવી જ રીતે આવશે. તેણે કહ્યું કે, 'ફિલ્મ પહેલા પણ આવવાની હતી. પરંતુ શું થાય છે કે આપણે એક-બીજાને થોડું ફાઇન ટ્યૂન કરવું પડે છે. કેમ કે બધા ક્રિએટિવ લોકો છે. જેમ કે પ્રિયદર્શન, અક્ષય કે સુનિલ શેટ્ટી. તે બધા ઘણા વર્ષોથી મારા મિત્રો છે.
થોડા સમય અગાઉ જ્યારે પરેશ રાવલ 'હેરા ફેરી 3'માંથી બહાર થયા હતા, ત્યારે 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના ફેન્સનું દિલ તૂટી ગયું હતું. આ સમાચારથી અક્ષય કુમાર પોતે પણ નાખુશ હતો. બંને એક્ટર્સ વચ્ચે વિવાદના સમાચારો પણ આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે અક્ષય કુમારે પરેશ રાવલ સામે કેસ દાખલ કર્યો હતો, જેનો જવાબ એક્ટરે પોતાના વકીલ સાથે મળીને આપ્યો છે. અક્ષયે પણ કહ્યું હતું કે તેમના અને પરેશ રાવલ વચ્ચે ચાલી રહેલો મામલો ખૂબ જ ગંભીર છે અને તેનો ઉકેલ કોર્ટમાં જ આવશે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘હેરા ફેરી 3’ બનાવવાની વાત 2015થી ચાલી રહી છે. પહેલા અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ આ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. પરંતુ થોડા સમય બાદ બંનેએ ફિલ્મ છોડી દીધી. ત્યારબાદ ફિલ્મને લઈને ઘણી વાતો સામે આવી. પહેલા અક્ષય કુમાર ફિલ્મનો હિસ્સો નહોતો, પરંતુ જ્યારે ફિલ્મમાં ડિરેક્ટર ફરહાદ સામજીની એન્ટ્રી થઈ, ત્યારે તે તેની સાથે જોડાઈ ગયો. જોકે, તેમને પણ આ પ્રોજેક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા. હવે આ પ્રોજેક્ટને પહેલો ભાગ ડિરેક્ટર કરનારા પ્રિયદર્શન ડિરેક્ટ કરશે.
Related Posts
Top News
રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'
સુરત ઓફિસર જીમખાનાના શૂટર ભાઈઓ અને બહેનોએ 29 મેડલ જીત્યા
‘સંબંધ બાંધવાની ઉંમર 18ની જગ્યાએ 16 વર્ષ કરો..’, સુપ્રીમ કોર્ટમાં ઉઠી આ માગ
Opinion
