સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર મંદીનો ઓછાયો, 1 લાખ કરતા વધુ કારીગરો બેકાર

સુરત ભારતની સિન્થેટિક કપડાંની રાજધાની છે. દેશની સિન્થેટિક કપડાંની 90 ટકા જરૂરિયાત સુરતના ઉદ્યોગો દ્વારા જ પૂરી થઈ જાય છે. આ ઉદ્યોગ હવે અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહ્યો છે. ઘણા કલરિંગ અને પ્રિન્ટિંગ યુનિટ્સ બંધ થઈ ગયા છે, જેને કારણે હજારો કર્મચારી બેરોજગાર થઈ ગયા છે. હવે ઘરેલૂં બજારમાં માંગમાં વધારો થવા પર જ ઉદ્યોગનું ઉત્પાદન સ્તર વધી શકે છે. સુરત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના આંકડાઓ અનુસાર, સુરત શહેર અને આસપાસના ક્ષેત્રોમાં આશરે 485 પ્રોસેસિંગ યુનિટ્સ હતા. તેને કારણે 4થી 5 લાખ લોકોને ડાયરેક્ટ રોજગાર મળી રહ્યો હતો.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના અધ્યક્ષ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું કે, ત્રણથી ચાર મહિનામાં સુરતમાં ઓછામાં ઓછાં 15થી 20 કલર અને પ્રિન્ટિંગ એકમો બંધ થઈ ગયા છે. તેમજ કહ્યું કે, ઉદ્યોગ 4.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરી રહ્યા હતા, પરંતુ હવે માત્ર 2.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે, પહેલા ઉપભોક્તાઓની પ્રાથમિકતા રોટી, કપડાં અને મકાન હતા હવે પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. અનાજ બાદ મોબાઈલ ફોન, ટેલીવિઝન સેટ વગેરે જેવી અન્ય જરૂરિયાતો હોય છે. પહેલા મહિલાઓ 7થી 8 મીટર લાંબી સાડીઓ ખરીદતી હતી હવે સાડીઓની માંગ ઓછી થઈ ગઈ છે. મહિલાઓ દરેક ડ્રેસની સાથે દુપટ્ટો ખરીદતી હતી, હવે તે પણ આઉટ ઓફ ફેશન થઈ ગયુ છે, લેગિંગ્સની જગ્યા ચુડીદાર, પાયજામાએ લઈ લીધી છે, જેને કારણે સિન્થેટિક કપડાંની માંગમાં ભારે ઘટાડો આવી ગયો છે.

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાતના મહાસચિવ કામરાન ઉસ્માનીનો દાવો છે કે, મંદીનું આ જ એકમાત્ર કારણ નથી. તેમના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર કલરકામ અને પ્રિન્ટિંગ ગૃહ મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે. તેમણે ટેક્સ અને અન્ય કરની ચુકવણી નથી કરવી પડી, વિવિધ વિભાગો સાથે રજિસ્ટર્ડ એકમોની સરખામણીએ તેમનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછો છે. આ અયોગ્ય પ્રતિસ્પર્ધાના કારણે છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઘણા એકમો બંધ થઈ ગયા છે.

ઉસ્માનીનું કહેવુ છે કે, ઓછામાં ઓછાં 70 હજારથી એક લાખ શ્રમિક બેરોજગાર થઈ ગયા છે. જેમાંથી ઘણા પોતાના મૂળ વતન પાછા જતા રહ્યા છે. થોડાં વર્ષો પહેલા આ મજૂરો 18થી 20 દિવસ કામ મળવા પર પણ ગુજરાન કરી લેતા હતા પરંતુ, સુરતમાં મોંઘવારી અને રહેવાના વધતા ખર્ચના કારણે હવે 24 દિવસના કામમાં પણ ગુજરાન કરવું મુશ્કેલ છે.

વખારિયાનું કહેવુ છે કે, ઉદ્યોગોને TUFના લાભની પણ જરૂર છે પરંતુ, આ યોજના ગત વર્ષે બંધ થઈ ગઈ. તેને વહેલામાં વહેલી તકે ફરીથી શરૂ કરવાની જરૂર છે. જ્યાં સુધી કન્ઝ્યુમર ડિમાન્ડનો સવાલ છે, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સ અને ફેશનની દુનિયામાં ચાલનારી પ્રોડક્ટ્સની જરૂર છે, તો ડિમાન્ડમાં વધારો અને સ્થિતિમાં સુધારાની સંભાવના છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.