સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર મંદીનો ઓછાયો, 1 લાખ કરતા વધુ કારીગરો બેકાર

સુરત ભારતની સિન્થેટિક કપડાંની રાજધાની છે. દેશની સિન્થેટિક કપડાંની 90 ટકા જરૂરિયાત સુરતના ઉદ્યોગો દ્વારા જ પૂરી થઈ જાય છે. આ ઉદ્યોગ હવે અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહ્યો છે. ઘણા કલરિંગ અને પ્રિન્ટિંગ યુનિટ્સ બંધ થઈ ગયા છે, જેને કારણે હજારો કર્મચારી બેરોજગાર થઈ ગયા છે. હવે ઘરેલૂં બજારમાં માંગમાં વધારો થવા પર જ ઉદ્યોગનું ઉત્પાદન સ્તર વધી શકે છે. સુરત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના આંકડાઓ અનુસાર, સુરત શહેર અને આસપાસના ક્ષેત્રોમાં આશરે 485 પ્રોસેસિંગ યુનિટ્સ હતા. તેને કારણે 4થી 5 લાખ લોકોને ડાયરેક્ટ રોજગાર મળી રહ્યો હતો.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના અધ્યક્ષ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું કે, ત્રણથી ચાર મહિનામાં સુરતમાં ઓછામાં ઓછાં 15થી 20 કલર અને પ્રિન્ટિંગ એકમો બંધ થઈ ગયા છે. તેમજ કહ્યું કે, ઉદ્યોગ 4.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરી રહ્યા હતા, પરંતુ હવે માત્ર 2.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે, પહેલા ઉપભોક્તાઓની પ્રાથમિકતા રોટી, કપડાં અને મકાન હતા હવે પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. અનાજ બાદ મોબાઈલ ફોન, ટેલીવિઝન સેટ વગેરે જેવી અન્ય જરૂરિયાતો હોય છે. પહેલા મહિલાઓ 7થી 8 મીટર લાંબી સાડીઓ ખરીદતી હતી હવે સાડીઓની માંગ ઓછી થઈ ગઈ છે. મહિલાઓ દરેક ડ્રેસની સાથે દુપટ્ટો ખરીદતી હતી, હવે તે પણ આઉટ ઓફ ફેશન થઈ ગયુ છે, લેગિંગ્સની જગ્યા ચુડીદાર, પાયજામાએ લઈ લીધી છે, જેને કારણે સિન્થેટિક કપડાંની માંગમાં ભારે ઘટાડો આવી ગયો છે.

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાતના મહાસચિવ કામરાન ઉસ્માનીનો દાવો છે કે, મંદીનું આ જ એકમાત્ર કારણ નથી. તેમના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર કલરકામ અને પ્રિન્ટિંગ ગૃહ મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે. તેમણે ટેક્સ અને અન્ય કરની ચુકવણી નથી કરવી પડી, વિવિધ વિભાગો સાથે રજિસ્ટર્ડ એકમોની સરખામણીએ તેમનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછો છે. આ અયોગ્ય પ્રતિસ્પર્ધાના કારણે છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઘણા એકમો બંધ થઈ ગયા છે.

ઉસ્માનીનું કહેવુ છે કે, ઓછામાં ઓછાં 70 હજારથી એક લાખ શ્રમિક બેરોજગાર થઈ ગયા છે. જેમાંથી ઘણા પોતાના મૂળ વતન પાછા જતા રહ્યા છે. થોડાં વર્ષો પહેલા આ મજૂરો 18થી 20 દિવસ કામ મળવા પર પણ ગુજરાન કરી લેતા હતા પરંતુ, સુરતમાં મોંઘવારી અને રહેવાના વધતા ખર્ચના કારણે હવે 24 દિવસના કામમાં પણ ગુજરાન કરવું મુશ્કેલ છે.

વખારિયાનું કહેવુ છે કે, ઉદ્યોગોને TUFના લાભની પણ જરૂર છે પરંતુ, આ યોજના ગત વર્ષે બંધ થઈ ગઈ. તેને વહેલામાં વહેલી તકે ફરીથી શરૂ કરવાની જરૂર છે. જ્યાં સુધી કન્ઝ્યુમર ડિમાન્ડનો સવાલ છે, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સ અને ફેશનની દુનિયામાં ચાલનારી પ્રોડક્ટ્સની જરૂર છે, તો ડિમાન્ડમાં વધારો અને સ્થિતિમાં સુધારાની સંભાવના છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.