રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યા પછી કે મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024ની ચૂંટણીમાં 'ગડબડ' થઈ છે, ભારતના ચૂંટણી પંચે તેમના દાવાઓને દરેક પોઇન્ટ ગણીને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે, હકીકતોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહી છે. ECIએ કહ્યું, 'મહારાષ્ટ્રની મતદાર યાદી પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપો કાયદાના શાસનનું અપમાન છે. ચૂંટણી પંચે 24 ડિસેમ્બર 2024ના રોજ કોંગ્રેસને આપેલા જવાબમાં આ બધી હકીકતો રજૂ કરી હતી, જે ECI વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એવું લાગે છે કે વારંવાર આવા મુદ્દાઓ ઉઠાવતી વખતે આ બધી હકીકતોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહી છે.'

Rahul Gandhi, Election Commission
hindi.news18.com

રાહુલ ગાંધીએ BJP પર પાંચ તબક્કાની પ્રક્રિયા દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે BJP પર ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરવાનો અને મતદાન ટકાવારીને વધારવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતાએ ચેતવણી આપી હતી કે, આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ આવી જ પેટર્નનું પુનરાવર્તન થઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ચિંતાઓ શેર કરતા, રાહુલ ગાંધીએ એક અખબારમાં લખેલા તેમના લેખની લિંક પોસ્ટ કરી, જેમાં તેમણે મહારાષ્ટ્રમાં વ્યવસ્થિત ચૂંટણી હેરાફેરીનું વર્ણન કર્યું. 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BJPની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને 288 બેઠકોમાંથી 235 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યો. આ પરિણામો BJP માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયા, જે 132 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો.

Rahul Gandhi, Election Commission
hindi.moneycontrol.com

રાહુલ ગાંધીના આરોપોને રદિયો આપતા, ECI એ કહ્યું કે, કોંગ્રેસના નેતા દ્વારા વારંવાર તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે કહ્યું કે, આવા તથ્યહીન આરોપો ફક્ત કાયદા પ્રત્યે સંપૂર્ણ અવગણના જ નહીં પરંતુ પક્ષ દ્વારા નિયુક્ત હજારો પ્રતિનિધિઓની પ્રામાણિકતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે અને ચૂંટણી દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી અધિકારીઓનું મનોબળ પણ નીચું કરે છે. મતદારોના સમર્થનના અભાવે ચૂંટણી પરિણામો તેમના પક્ષ વિરુદ્ધ આવ્યા પછી, ચૂંટણી પંચે 'સમજૂતી' કરી લીધી છે એમ કહીને ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરવો સંપૂર્ણપણે વાહિયાત છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં કથિત અનિયમિતતાઓની તબક્કાવાર રૂપરેખા આપી. રાહુલ ગાંધીએ પોતાના લખેલા એક લેખને શેર કરતા આરોપ લગાવ્યો હતો કે, મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવામાં આવે છે, મતદાનની ટકાવારી વધારી દેવામાં આવે છે, નકલી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે અને પુરાવા પાછળથી છુપાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ચૂંટણી કેવી રીતે ચોરી કરવી? 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લોકશાહીમાં ગોટાળાનો એક બ્લુપ્રિન્ટ હતો. રાહુલ ગાંધીએ લખ્યું, 'મારો લેખ સ્ટેપ બાય સ્ટેપ બતાવે છે કે તે કેવી રીતે થયું. સ્ટેપ 1: ચૂંટણી પંચની નિમણૂક માટેની પેનલમાં ગોટાળા કરવામાં આવ્યા હતા. સ્ટેપ 2: મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવામાં આવ્યા હતા. સ્ટેપ 3: મતદાન ટકાવારી વધારવામાં આવી હતી. સ્ટેપ 4: BJP જ્યાં જીતવાનું હતું તે જ બૂથ પર નકલી મતદાન કરવામાં આવ્યું હતું. સ્ટેપ 5: પુરાવા છુપાવવામાં આવ્યા હતા.'

Rahul Gandhi, Election Commission
livehindustan.com

લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, 'મહારાષ્ટ્રમાં BJP આટલી નિરાશ કેમ થઇ હતી, તે સમજવું મુશ્કેલ નથી. પરંતુ આ ગડબડ મેચ ફિક્સિંગ જેવી જ છે, જે પક્ષ છેતરપિંડી કરે છે, તે રમત જીતી શકે છે. પરંતુ તેનાથી સંસ્થાઓને નુકસાન પહોંચતું હોય છે અને તેમના પર જનતાનો વિશ્વાસ બંધ થઇ જાય છે. બધા સંબંધિત ભારતીયોએ પુરાવા જોવા જોઈએ. પોતે જ નિર્ણય કરો અને જવાબો માંગો. કારણ કે મહારાષ્ટ્રનું મેચ ફિક્સિંગ હવે બિહારમાં પણ થશે, અને પછી જ્યાં પણ BJP હારી રહ્યું હશે ત્યાં થશે.'

રાહુલ ગાંધીના આરોપોને ફગાવતા, ECIએ તેના નિવેદનમાં કહ્યું, 'મહારાષ્ટ્ર સહિત ભારતમાં મતદાર યાદીઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદારો નોંધણી નિયમો, 1960 અનુસાર તૈયાર કરવામાં આવે છે. કાયદા મુજબ, ચૂંટણી પહેલા અને/અથવા દર વર્ષે એકવાર, મતદાર યાદીઓમાં સુધારો કરવામાં આવે છે અને મતદાર યાદીઓની અંતિમ નકલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) સહિત તમામ રાષ્ટ્રીય/રાજ્ય રાજકીય પક્ષોને સોંપવામાં આવે છે.' ECIના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન આ મતદાર યાદીઓને અંતિમ સ્વરૂપ આપ્યા પછી, 9,77,90,752 મતદારો સામે, પ્રથમ અપીલ અધિકારી (DM) સમક્ષ ફક્ત 89 અપીલ દાખલ કરવામાં આવી હતી અને બીજા અપીલ અધિકારી (CEO) સમક્ષ ફક્ત 1 અપીલ દાખલ કરવામાં આવી હતી. તેથી, તે સ્પષ્ટ છે કે 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તે પહેલાં કોંગ્રેસ અથવા અન્ય કોઈ રાજકીય પક્ષ દ્વારા મતદાર યાદી અંગે કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી.'

Rahul Gandhi, Election Commission
theindiadaily.com

ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે, 'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન મથક પર પહોંચેલા 6,40,87,588 મતદારોએ મતદાન કર્યું હતું. સરેરાશ, પ્રતિ કલાક લગભગ 58 લાખ મતદાન થયું હતું. આ સરેરાશ વલણો અનુસાર, છેલ્લા બે કલાકમાં લગભગ 1 કરોડ 16 લાખ મતદારોએ મતદાન કર્યું હશે. તેથી, બે કલાકમાં મતદારો દ્વારા પડેલા 65 લાખ મતદાન પ્રતિ કલાક સરેરાશ મતદાન વલણો કરતા ઘણા ઓછા છે. વધુમાં, દરેક મતદાન મથક પર ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા ઔપચારિક રીતે નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટોની સામે મતદાન થયું હતું. બીજા દિવસે રિટર્નિંગ ઓફિસર (RO) અને ચૂંટણી નિરીક્ષકો સમક્ષ ચકાસણી દરમિયાન કોંગ્રેસના નામાંકિત ઉમેદવારો અથવા તેમના અધિકૃત એજન્ટો દ્વારા કોઈપણ અસામાન્ય મતદાનના કોઈ પુરાવારૂપ આરોપો મૂકવામાં આવ્યા ન હતા.'

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.