‘2029માં જ કેમ, 2026માં પણ તો લડી શકું છું ચૂંટણી.’, પોલિટિકલ કમબેક પર સ્મૃતિ ઈરાનીનો જવાબ

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીએ આજતક સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના પોલિટિકલ કમબેકને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ભાજપ 2029માં શું કહે, એ ન તો હું જાણું છુ અને ન તમે જાણો છો. ભાજપ 2029માં જ કેમ કહેશે, ભાજપ 2026માં કંઈક કહી દે... 2025માં કંઈક કહી દે તો..? મારું એવું માનવું છે કે મારી બાબતે ઘણી ચર્ચાઓ થાય છે. જો મેયરની ચૂંટણી હોય તો મારી વાત થશે, ધારાસભ્યની ચૂંટણી હોય તો મારી વાત થશે. જો સાંસદની ચૂંટણી હોય તો મારી વાત થશે, કારણ કે મારું નામ સ્મૃતિ ઈરાની છે.

તેમણે કહ્યું કે, આ પોલિટિકલ રિટાયરમેન્ટ નથી. 49ની ઉંમરમાં લોકોનું કરિયર શરૂ થાય છે. હું 3 વખતની સાંસદ રહી છું. હું 5 વિભાગોની મંત્રી રહી ચૂકી છું, અત્યારે તો લાંબુ ચાલશે. મને ખબર નથી કે પાર્ટી મને ક્યારે અને ક્યાં શું દાયિત્વ આપી દે. હું એટલું જાણું છું કે મેં સંસદ દ્વારા મારી ક્ષમતા સાબિત કરી છે. તેમણે વધુમાં કહ્યું, 'મેં 10 વર્ષ UPA સરકાર દરમિયાન પણ રાજનીતિ કરી છે. જેલવાસ પણ ભોગવ્યો છે. મેં અમેઠીમાં એ સમયે કામ કર્યું હતું, જ્યારે અખિલેશ યાદવની સરકાર ઉત્તર પ્રદેશમાં હતી. અને મેં અમેઠીની ચૂંટણી ત્યારે લડી, જ્યારે UPA સરકાર દેશમાં હતી. મતલબ મોતના કૂવામાં છલાંગ... એ બધુ હું કરી ચૂકી છુ.'

Smriti-Irani2
indiatoday.in

તેમણે અમેઠીનો ઇતિહાસ બતાવતા કહ્યું કે અમેઠી ક્યારેય જીતાય તેવી બેઠક નથી, અમેઠીમાં ઘણા રાજનીતિક દિગ્ગજો હાર્યા, શરદ યાદવ હાર્યા. મેનકા ગાંધી પોતે હારી ગયા જે ગાંધી પરિવારમાંથી છે. ગાંધી પરિવારે આ બેઠકને પસંદ જ એટલા માટે કરી કેમ કે ત્યાં સામાજિક સમીકરણ એવું હતું કે જે પણ મત પડે તે માત્ર એ પરિવારને પડે. તો કોઈ પણ સમજદાર રાજનેતા એવી બેઠક પસંદ કરતો નથી, જ્યાં તેની હાર નિશ્ચિત હોય.

જો કોઈ બેઠક આપવામાં આવી છે, તો તેને પાર્ટીની જવાબદારીના રૂપમાં સ્વીકારવી પડે છે અને તમે 90ના દાયકામાં શક્યને અશક્ય કરી દે, અને અશક્યને શક્ય કરી દેનારી પરિસ્થિતિ જોઈ. કેમ કે અમે 2014માં હારી હતી, પરંતુ 2014-2019 સુધી મેં ઘણું કામ કર્યું. ક્યાંક ને ક્યાંક લોકોમાં એવો ભાવ હતો કે દીદીએ આટલું કામ કર્યું છે, તો એક અવસર આપવો જોઈએ.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.