ચૈતર વસાવાની સભામાં માનવ મહેરામણ ઉતરી પડ્યું, જ્યાં જુઓ ત્યાં લોકો, વસાવાએ કરી આ માંગ

ક્રાંતિકારી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન એક દિવસના ગુજરાત મુલાકાતે આવ્યા હતા, ડેડીયાપાડામાં એક જનસભાને સંબોધિત કરી હતી. તો બીજી તરફ બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભરૂચ જિલ્લાના નેત્રંગમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જેમાં મોટીની સંખ્યામાં આદિવાસી ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના ધારસભ્ય અનંત પટેલ પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, અસલી આદિવાસીઓની ભીડ જોઈ લો, આ અમારી તાકાત છે! AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધિત કરતા ક્રાંતિકારી બિરસા મુંડાના ધ્યેયને યાદ કર્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે, બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સમાજ સ્વતંત્ર અને સ્વમાનભેર જીવન જીવે તે હતો. આ પૃથ્વી પર માનવ સભ્યતાનો ઉદ્ભવ થયો ત્યારે સૌ પ્રથમ આદિવાસીઓ આવ્યા. તેમણે ખેતીની શોધ કરી, કબીલાઓ બનાવીને તેઓ શાંતિથી પ્રકૃતિ સાથે જીવન જીવી રહ્યા હતા. પરંતુ સમય જતા સંપત્તિ, સત્તા અને સ્ત્રીઓ માટે લડાઈ થઈ, જેના કારણે આદિવાસીઓ પર આક્રમણ થયા અને તેમનું શોષણ કરવામાં આવ્યું.

chaitar-vasava
facebook.com/p/Mla-Chaitar-Vasava

તેમણે કહ્યું કે, દેશ પર ડચ, મુગલ, અંગ્રેજોએ શાસન કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ જ થઈ રહ્યું છે. બિરસા મુંડા, ગુરુ ગોવિંદસિંહનો ઇતિહાસ કે પછી માનગઢના હત્યાકાંડનો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ કુટનીતિ અપનાવીને નરસંહાર કર્યો, જેમાં આપણા લોકોને શહીદી વહોરવી પડી.

ચૈતર વસાવાએ દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને યાદ કરતાં બંધારણીય જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, દેશ આઝાદ થયો, લોકશાહી આવી અને બંધારણ બન્યું, જેમાં અનુસૂચિત વિસ્તારો માટે જોગવાઈઓ કરાઈ છે. દેશના આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય જેવા રાજ્યોમાં અનુસૂચિ-6 લાગૂ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ-5 પણ લાગૂ કરવામાં આવી નથી. અનુસૂચિ-5ની જોગવાઈઓ હોવા છતા સત્તામાં બેઠેલા લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીન, સંપત્તિ, કુદરતી સંસાધનો અને ખનીજો છીનવી રહ્યા છે.

chaitar-vasava1
facebook.com/p/Mla-Chaitar-Vasava

વસાવાએ કહ્યું કે, રોડ, કોરિડોર, હાઇડ્રો પાવર અને સરકારી આવાસના નામે આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં હોવા છતા આજે પણ આદિવાસી લોકો શિક્ષકો માટે, નર્મદાના પાણી માટે અને પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડિયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે. વસાવાએ 4 વર્ષ અગાઉ ડેડિયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અને RSSના લોકો સાથે મળીને ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપનાને રોકી હતી તેની વાત યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણા તમામની તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ડેડિયાપાડા આવવું પડે છે.

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.