ચૈતર વસાવાની સભામાં માનવ મહેરામણ ઉતરી પડ્યું, જ્યાં જુઓ ત્યાં લોકો, વસાવાએ કરી આ માંગ

ક્રાંતિકારી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન એક દિવસના ગુજરાત મુલાકાતે આવ્યા હતા, ડેડીયાપાડામાં એક જનસભાને સંબોધિત કરી હતી. તો બીજી તરફ બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભરૂચ જિલ્લાના નેત્રંગમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જેમાં મોટીની સંખ્યામાં આદિવાસી ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના ધારસભ્ય અનંત પટેલ પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, અસલી આદિવાસીઓની ભીડ જોઈ લો, આ અમારી તાકાત છે! AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધિત કરતા ક્રાંતિકારી બિરસા મુંડાના ધ્યેયને યાદ કર્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે, બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સમાજ સ્વતંત્ર અને સ્વમાનભેર જીવન જીવે તે હતો. આ પૃથ્વી પર માનવ સભ્યતાનો ઉદ્ભવ થયો ત્યારે સૌ પ્રથમ આદિવાસીઓ આવ્યા. તેમણે ખેતીની શોધ કરી, કબીલાઓ બનાવીને તેઓ શાંતિથી પ્રકૃતિ સાથે જીવન જીવી રહ્યા હતા. પરંતુ સમય જતા સંપત્તિ, સત્તા અને સ્ત્રીઓ માટે લડાઈ થઈ, જેના કારણે આદિવાસીઓ પર આક્રમણ થયા અને તેમનું શોષણ કરવામાં આવ્યું.

chaitar-vasava
facebook.com/p/Mla-Chaitar-Vasava

તેમણે કહ્યું કે, દેશ પર ડચ, મુગલ, અંગ્રેજોએ શાસન કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ જ થઈ રહ્યું છે. બિરસા મુંડા, ગુરુ ગોવિંદસિંહનો ઇતિહાસ કે પછી માનગઢના હત્યાકાંડનો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ કુટનીતિ અપનાવીને નરસંહાર કર્યો, જેમાં આપણા લોકોને શહીદી વહોરવી પડી.

ચૈતર વસાવાએ દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને યાદ કરતાં બંધારણીય જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, દેશ આઝાદ થયો, લોકશાહી આવી અને બંધારણ બન્યું, જેમાં અનુસૂચિત વિસ્તારો માટે જોગવાઈઓ કરાઈ છે. દેશના આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય જેવા રાજ્યોમાં અનુસૂચિ-6 લાગૂ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ-5 પણ લાગૂ કરવામાં આવી નથી. અનુસૂચિ-5ની જોગવાઈઓ હોવા છતા સત્તામાં બેઠેલા લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીન, સંપત્તિ, કુદરતી સંસાધનો અને ખનીજો છીનવી રહ્યા છે.

chaitar-vasava1
facebook.com/p/Mla-Chaitar-Vasava

વસાવાએ કહ્યું કે, રોડ, કોરિડોર, હાઇડ્રો પાવર અને સરકારી આવાસના નામે આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં હોવા છતા આજે પણ આદિવાસી લોકો શિક્ષકો માટે, નર્મદાના પાણી માટે અને પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડિયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે. વસાવાએ 4 વર્ષ અગાઉ ડેડિયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અને RSSના લોકો સાથે મળીને ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપનાને રોકી હતી તેની વાત યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણા તમામની તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ડેડિયાપાડા આવવું પડે છે.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.