પંજાબમાં BJP સરકાર કેમ બનાવી શકતી નથી, કેપ્ટન અમરિંદર સિંહે સમજાવ્યું અને એક ફોર્મ્યુલા પણ આપી

પંજાબના ભૂતપૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભારતીય જનતા પાર્ટી (BJP)ને રાજ્યમાં સરકાર બનાવવા માટે એક ફોર્મ્યુલા ઓફર કરી છે. તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, તેમણે BJP સાથે જોડાણ અને રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિમાં BJP એકલા ચૂંટણી જીતી શકશે નહીં. કેપ્ટન અમરિંદર સિંહ 2022માં કોંગ્રેસથી અલગ થયા પછી BJPમાં જોડાઈ ગયા હતા.

એક ન્યુઝ ચેનલની પોડકાસ્ટમાં, કેપ્ટન અમરિંદર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, શું BJP પંજાબને ચૂંટણીલક્ષી રીતે સમજવામાં નિષ્ફળ ગયું છે. આના પર, કેપ્ટન અમરિંદર સિંહે જવાબ આપ્યો, '...શરૂઆતના BJPના નેતાઓએ જે કર્યું તે ખોટું હતું. તમારે દરેક ચૂંટણી લડવી જોઈતી હતી. તમે યુદ્ધથી ભાગી શકતા નથી. પહેલી ચૂંટણી 1950માં થઈ હતી. BJPએ જેટલી પણ બેઠક હતી તે દરેક બેઠક પર લડવું જોઈતું હતું. તમારે દરેક બેઠક પર લડવું જોઈતું હતું; પછી તમારા કાર્યકર્તા તૈયાર થાય છે.'

Amrinder-Singh

તેમણે કહ્યું, 'તેઓ એવું કરી રહ્યા હતા કે, અકાલી દળ સાથે ગઠબંધન કરી 10 થી 15 લોકોને ચૂંટણી લડાવતા હતા. અકાલીઓને તેમનાથી ફાયદો થઈ રહ્યો હતો, પરંતુ તેમને કોઈથી ફાયદો થઈ રહ્યો ન હતો. જો તમે આજે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, તો તેનું કારણ એ છે કે તમે તમારા પોતાના કાર્યકર્તા જ તૈયાર નથી કર્યા.

તેમણે કહ્યું, 'જો તેઓ આ વખતે જીતવા માંગતા હોય તો... જુઓ, આને બે રીતે જોઈ શકાય છે. કાં તો તમે તમારી પોતાની કેડર બનાવો અથવા ગઠબંધન બનાવો અને સરકાર બનાવો. જો તમે સરકાર બનાવવા માંગતા હો, તો તમારે અકાલી દળ સાથે બનાવવી પડશે. BJP માટે સરકાર બનાવવાનો અથવા પંજાબમાં કોઈપણ પ્રકારની સરકારમાં જોડાવાનો બીજો કોઈ રસ્તો નથી.'

Amrinder-Singh.jpg-3

તેમણે કહ્યું, 'જો તમે તમારી પોતાની કેડર બનાવવા માંગતા હો, તો બધી બેઠકો પર લડવા માટે બે કે ત્રણ ચૂંટણીઓ સુધી રાહ જુઓ.'

શિરોમણી અકાલી દળના પ્રવક્તા દલજીત સિંહ ચીમાએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 'અમે કોઈપણ ગઠબંધનની શક્યતાઓ પર સંબંધિત પક્ષો ઔપચારિક રીતે સંમત થયા પછી જ ચર્ચા કરીશું. આ કેપ્ટન અમરિંદર સિંહનો વ્યક્તિગત અભિપ્રાય લાગે છે.' તેમણે ઉમેર્યું કે, અકાલી દળ આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.