પંજાબમાં BJP સરકાર કેમ બનાવી શકતી નથી, કેપ્ટન અમરિંદર સિંહે સમજાવ્યું અને એક ફોર્મ્યુલા પણ આપી

પંજાબના ભૂતપૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભારતીય જનતા પાર્ટી (BJP)ને રાજ્યમાં સરકાર બનાવવા માટે એક ફોર્મ્યુલા ઓફર કરી છે. તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, તેમણે BJP સાથે જોડાણ અને રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિમાં BJP એકલા ચૂંટણી જીતી શકશે નહીં. કેપ્ટન અમરિંદર સિંહ 2022માં કોંગ્રેસથી અલગ થયા પછી BJPમાં જોડાઈ ગયા હતા.

એક ન્યુઝ ચેનલની પોડકાસ્ટમાં, કેપ્ટન અમરિંદર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, શું BJP પંજાબને ચૂંટણીલક્ષી રીતે સમજવામાં નિષ્ફળ ગયું છે. આના પર, કેપ્ટન અમરિંદર સિંહે જવાબ આપ્યો, '...શરૂઆતના BJPના નેતાઓએ જે કર્યું તે ખોટું હતું. તમારે દરેક ચૂંટણી લડવી જોઈતી હતી. તમે યુદ્ધથી ભાગી શકતા નથી. પહેલી ચૂંટણી 1950માં થઈ હતી. BJPએ જેટલી પણ બેઠક હતી તે દરેક બેઠક પર લડવું જોઈતું હતું. તમારે દરેક બેઠક પર લડવું જોઈતું હતું; પછી તમારા કાર્યકર્તા તૈયાર થાય છે.'

Amrinder-Singh

તેમણે કહ્યું, 'તેઓ એવું કરી રહ્યા હતા કે, અકાલી દળ સાથે ગઠબંધન કરી 10 થી 15 લોકોને ચૂંટણી લડાવતા હતા. અકાલીઓને તેમનાથી ફાયદો થઈ રહ્યો હતો, પરંતુ તેમને કોઈથી ફાયદો થઈ રહ્યો ન હતો. જો તમે આજે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, તો તેનું કારણ એ છે કે તમે તમારા પોતાના કાર્યકર્તા જ તૈયાર નથી કર્યા.

તેમણે કહ્યું, 'જો તેઓ આ વખતે જીતવા માંગતા હોય તો... જુઓ, આને બે રીતે જોઈ શકાય છે. કાં તો તમે તમારી પોતાની કેડર બનાવો અથવા ગઠબંધન બનાવો અને સરકાર બનાવો. જો તમે સરકાર બનાવવા માંગતા હો, તો તમારે અકાલી દળ સાથે બનાવવી પડશે. BJP માટે સરકાર બનાવવાનો અથવા પંજાબમાં કોઈપણ પ્રકારની સરકારમાં જોડાવાનો બીજો કોઈ રસ્તો નથી.'

Amrinder-Singh.jpg-3

તેમણે કહ્યું, 'જો તમે તમારી પોતાની કેડર બનાવવા માંગતા હો, તો બધી બેઠકો પર લડવા માટે બે કે ત્રણ ચૂંટણીઓ સુધી રાહ જુઓ.'

શિરોમણી અકાલી દળના પ્રવક્તા દલજીત સિંહ ચીમાએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 'અમે કોઈપણ ગઠબંધનની શક્યતાઓ પર સંબંધિત પક્ષો ઔપચારિક રીતે સંમત થયા પછી જ ચર્ચા કરીશું. આ કેપ્ટન અમરિંદર સિંહનો વ્યક્તિગત અભિપ્રાય લાગે છે.' તેમણે ઉમેર્યું કે, અકાલી દળ આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.