20 વર્ષ બાદ લાલુ પરિવાર પાસે કેમ છીનવાયો 10 સર્ક્યૂલર બંગલો? છુપાયું છે રહસ્ય?

બિહારમાં ફરી એકવાર NDA સરકાર બની ચૂકી છે. નીતિશ કુમાર આ સરકારના મુખ્યમંત્રી છે. સરકાર બની તેના થોડા જ દિવસ થયા છે. આ સાથે કેટલાક નિર્ણયોની ચર્ચા ઠેર-ઠેર થવા લાગી છે. ગઈકાલે લેવાયેલો એક નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર રચાયા બાદ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને તેમનો બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમને બીજી જગ્યાએ શિફ્ટ થવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. નીતિશ સરકારના આ નિર્ણયને ભાજપની કઠોરતા સાથે જોડવામાં આવી રહી છે. નોટિસ પર લાલુ પરિવાર એકજૂથ છે. રોહિણી આચાર્ય અને તેજ પ્રતાપે નીતિશ કુમારને ઘેર્યા છે.

લાલુ પરિવાર છેલ્લા 20 વર્ષથી, 10 સર્ક્યૂલર રોડ પરનો સરકારી બંગલામાં રહે છે. રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ અહીંથી ચાલતું હતું. આ બંગલો પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને ફાળવવામાં આવ્યો હતો. હવે, નવી NDA સરકારે આ બંગલો પાછો લેવાનો આદેશ જાહેર કરી દીધો છે. લગભગ 20 વર્ષમાં પહેલી વાર લાલુ પરિવાર માટે આ બંગલો એક સમયે પોલિટિકલ નર્વ સેન્ટર રહેતો હતો, જે હવે તેમના હાથમાંથી સરકી રહ્યો છે. આ જ કારણ છે કે રાજકીય વર્તુળોમાં આ મુદ્દાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

બિહારમાં, નીતિશ કુમારે NDA અને મહાગઠબંધન બંને સાથે ઘણી વખત સરકારો બનાવી છે. 2000 થી અત્યાર સુધી નીતિશ કુમારે 10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જોકે, જ્યારે પણ નીતિશ કુમારે NDA સાથે સરકાર બનાવી છે, ત્યારે રાબડી દેવીના નિવાસસ્થાનને કોઈ અસર થઈ નથી. આ પહેલી વાર છે, જ્યારે સરકાર બન્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

lalu1
indiatoday.in

જોકે, આ વખતે રાજકીય માહોલ અલગ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ બાદ ભાજપ ખૂબ મજબૂત બનીને ઉભરી આવી છે. તેની અસર સરકારના નિર્ણયોમાં સ્પષ્ટપણે દેખાય છે. વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકે રાબડી દેવીને હવે એક અલગ ઘર ફાળવવામાં આવ્યું છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટે ફાળવણીની સત્તાવાર સૂચના આપી છે. આનાથી રાબડી દેવી પાસે 10 સર્ક્યૂલર રોડ ખાલી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

જ્યારે 2015માં ગઠબંધન સત્તામાં આવ્યું, ત્યારે તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે તેમને 5 દેશરત્ન માર્ગનો બંગલો આપવામાં આવ્યો હતો. બંગલાના શાનદાર નવીનીકરણે ખૂબ ધ્યાન ખેંચ્યું. તેજસ્વીના વિભાગે 5 દેશરત્ન માર્ગને નાયબ મુખ્યમંત્રીનું કાયમી ઘર બનાવી દીધું હતું.

જોકે, 2017માં સમીકરણ ફરી એકવાર બદલાઈ ગયું. નીતિશ કુમાર પક્ષ બદલીને ભાજપમાં જોડાયા બાદ, સુશિલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી બન્યા. નવી સરકારે તેજસ્વીને દેશરત્ન માર્ગ બંગલો ખાલી કરવાનો આદેશ આપી દીધો. ત્યારબાદ તેજસ્વીએ આ સરકારના નિર્ણય સામે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. ત્યાં પણ તેમને ઝટકો લાગ્યો. કોર્ટે રાજ્યને તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ પાસેથી બંગલો, કાર, સુરક્ષા અને સ્ટાફના વિશેષાધિકારો પાછા ખેંચવાનો પણ નિર્દેશ આપ્યો.

JDU-BJP
hindi.news18.com

બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ, લાલુ પરિવાર એકજૂથ દેખાય છે.આવું એટલે કારણ કે રોહિણી આચાર્યથી લઈને તેજ પ્રતાપ યાદવ સુધી આ મુદ્દા અંગે નિવેદનો સામે આવ્યા છે. તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નાના ભાઈએ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને મોટા ભાઈના બંગલાને ખાલી કરવાનો આદેશ આપ્યો. લાલુજી અને તેમનો પરિવાર હવે 10 સર્ક્યૂલર રોડ પરના બંગલામાં નહીં રહે.

તેમણે લખ્યું કે, 28 વર્ષથી જે આવાસથી બિહાર અને RJDના લાખો કાર્યકરોનો ભાવનાત્મક સંબંધ જોડાયેલોહતો, તેણે એક સરકારી નોટિસમાં ખતમ કરી દેવામાં આવ્યું છે. આ ઘર ગુમાવવા સાથે જ, નીતિશજી અને લાલુજી વચ્ચેનો ભાઈચારો અને નૈતિક સંબંધ પણ સમાપ્ત થઈ ગયો છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.