અમદાવાદ રેલવે સ્ટેશન પર પકડાયો નકલી TTE, ઓછા ભણેલા-ગણેલા યાત્રીઓ પાસે આ રીતે વસૂલતો હતો પૈસા

ગુજરાતમાં નકલી અધિકારીઓના મામલા સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી એક નકલી TTE પકડાયો છે. રેલવે સુરક્ષા બળ (RPF)એ જણાવ્યું હતું કે, 2 જૂનની રાત્રે લગભગ 10:00 વાગ્યે, સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ પર સુરક્ષા તપાસ દરમિયાન એક વ્યક્તિ TTEની વર્દીમાં શંકાસ્પદ અવસ્થામાં નજરે પડ્યો હતો.

Fake-TTE2
trishulnews.com

RPFના SIPF પિયુષ ચૌધરીએ જ્યારે તેની પૂછપરછ કરી, ત્યારે તે સંતોષકારક જવાબ ન આપી શક્યો. તેને તાત્કાલિક પોસ્ટ પર લઇ જવામાં આવ્યો અને સઘન પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ શિવ શંકર જાયસ્વાલ, ઉંમર 45 વર્ષ, સુંદરપુર, વારાણસી (ઉત્તર પ્રદેશ)નો રહેવાસી બતાવ્યો હતો. આરોપીએ સ્વીકાર્યું કે તે નકલી વર્દી પહેરતો હતો અને ટિકિટ ચેકિંગના નામે QR કોડ સ્કેન કરાવીને મુસાફરો પાસેથી પૈસા વસૂલતો હતો. આ અગાઉ 30 મેના રોજ પણ, તે આવી જ ગતિવિધિઓમાં અમદાવાદ સ્ટેશન પર જોવા મળ્યો હતો. શંકા ન જાય તેના માટે તે ફેસ માસ્ક પહેરતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેની પાસે કોઈ માન્ય રેલવે ઓળખ કાર્ડ અથવા EFT નહોતું. તેની પાસે માત્ર આધાર કાર્ડ અને ATM કાર્ડ મળી આવ્યું હતું.

Fake-TTE
english.gujaratsamachar.com

આરોપી મજૂર વર્ગ અને ઓછા શિક્ષિત મુસાફરોને નિશાનો બનાવતો હતો. ટિકિટમાં ત્રુટિ અથવા વેઇટિંગ લિસ્ટમાં બર્થ અપાવવાના નામ પર QR કોડથી પૈસા પડાવતો હતો. હવે આરોપીને આગળની કાર્યવાહી માટે GRP અમદાવાદને સોંપી દેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ માત્ર અધિકૃત ટિકિટ નિરીક્ષકોને જ ટિકિટ બતાવે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની સૂચના તાત્કાલિક પોલીસને આપે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.