અમદાવાદ રેલવે સ્ટેશન પર પકડાયો નકલી TTE, ઓછા ભણેલા-ગણેલા યાત્રીઓ પાસે આ રીતે વસૂલતો હતો પૈસા

ગુજરાતમાં નકલી અધિકારીઓના મામલા સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી એક નકલી TTE પકડાયો છે. રેલવે સુરક્ષા બળ (RPF)એ જણાવ્યું હતું કે, 2 જૂનની રાત્રે લગભગ 10:00 વાગ્યે, સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ પર સુરક્ષા તપાસ દરમિયાન એક વ્યક્તિ TTEની વર્દીમાં શંકાસ્પદ અવસ્થામાં નજરે પડ્યો હતો.

Fake-TTE2
trishulnews.com

RPFના SIPF પિયુષ ચૌધરીએ જ્યારે તેની પૂછપરછ કરી, ત્યારે તે સંતોષકારક જવાબ ન આપી શક્યો. તેને તાત્કાલિક પોસ્ટ પર લઇ જવામાં આવ્યો અને સઘન પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ શિવ શંકર જાયસ્વાલ, ઉંમર 45 વર્ષ, સુંદરપુર, વારાણસી (ઉત્તર પ્રદેશ)નો રહેવાસી બતાવ્યો હતો. આરોપીએ સ્વીકાર્યું કે તે નકલી વર્દી પહેરતો હતો અને ટિકિટ ચેકિંગના નામે QR કોડ સ્કેન કરાવીને મુસાફરો પાસેથી પૈસા વસૂલતો હતો. આ અગાઉ 30 મેના રોજ પણ, તે આવી જ ગતિવિધિઓમાં અમદાવાદ સ્ટેશન પર જોવા મળ્યો હતો. શંકા ન જાય તેના માટે તે ફેસ માસ્ક પહેરતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેની પાસે કોઈ માન્ય રેલવે ઓળખ કાર્ડ અથવા EFT નહોતું. તેની પાસે માત્ર આધાર કાર્ડ અને ATM કાર્ડ મળી આવ્યું હતું.

Fake-TTE
english.gujaratsamachar.com

આરોપી મજૂર વર્ગ અને ઓછા શિક્ષિત મુસાફરોને નિશાનો બનાવતો હતો. ટિકિટમાં ત્રુટિ અથવા વેઇટિંગ લિસ્ટમાં બર્થ અપાવવાના નામ પર QR કોડથી પૈસા પડાવતો હતો. હવે આરોપીને આગળની કાર્યવાહી માટે GRP અમદાવાદને સોંપી દેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ માત્ર અધિકૃત ટિકિટ નિરીક્ષકોને જ ટિકિટ બતાવે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની સૂચના તાત્કાલિક પોલીસને આપે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.