શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ

શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુ & મેડીકલ ટ્રસ્ટ સુરત પ્રેરીત શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન

સુરતમાં વસતા પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરતના આયોજન હેઠળ પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. આ ભવ્ય સમારોહમાં જળશકિત મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારમાં નવ નિયુક્તિ પામેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને  આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાનું અને સુરત શહેર મેયર દક્ષેશ માવાણીનું પાટીદાર સમાજ તરફથી હાર્દિક અભિનંદન તથા સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ, મેડીકલ એસોસિએશન, ઔદ્યોગિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, બિલ્ડર્સ એસોસિએશન જેવી 200 જેટલી સંસ્થાઓ મળી આ યુવા મંત્રીને ઉત્સાહભેર અભિવાદન આપશે, જેથી તેઓ રાજ્ય અને સમાજના વિકાસમાં વધુ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી સેવા આપી શકે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

surat
Khabarchhe.com

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવશે. આ કાર્યક્રમ પાટીદાર સમાજની એકતા, સમાજસેવા અને રાષ્ટ્રીય ઉત્કર્ષના વિચારને વધુ બળ આપશે.

આ કાર્યક્રમને અનુલક્ષીને સુરતમાં કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં યુવાનો દ્વારા મોટા વરાછા બ્રોકર એસોસિએશન, સરથાણા - લસકાણાના જાગ્રુત નાગરીકો દ્વારા જે.બી ડાયમંડ સ્કુલ ખાતે તથા વીવર્સ એસોસીયેશન દ્વારા અંજની ઇન્ડસ્ટિઝમા મીટીંગ કરવામા આવી હતી. 

આ કાર્યક્રમ જે.બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ, ડાયમંડ નગર સામે, કામરેજ રોડ, લસકાણા, સુરત ખાતે શુક્રવાર, 14 નવેમ્બર 2025 - સાંજે 5:00 વાગ્યે યોજાશે. 

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.