શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ

શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુ & મેડીકલ ટ્રસ્ટ સુરત પ્રેરીત શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન

સુરતમાં વસતા પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરતના આયોજન હેઠળ પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. આ ભવ્ય સમારોહમાં જળશકિત મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારમાં નવ નિયુક્તિ પામેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને  આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાનું અને સુરત શહેર મેયર દક્ષેશ માવાણીનું પાટીદાર સમાજ તરફથી હાર્દિક અભિનંદન તથા સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ, મેડીકલ એસોસિએશન, ઔદ્યોગિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, બિલ્ડર્સ એસોસિએશન જેવી 200 જેટલી સંસ્થાઓ મળી આ યુવા મંત્રીને ઉત્સાહભેર અભિવાદન આપશે, જેથી તેઓ રાજ્ય અને સમાજના વિકાસમાં વધુ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી સેવા આપી શકે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

surat
Khabarchhe.com

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવશે. આ કાર્યક્રમ પાટીદાર સમાજની એકતા, સમાજસેવા અને રાષ્ટ્રીય ઉત્કર્ષના વિચારને વધુ બળ આપશે.

આ કાર્યક્રમને અનુલક્ષીને સુરતમાં કતારગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં યુવાનો દ્વારા મોટા વરાછા બ્રોકર એસોસિએશન, સરથાણા - લસકાણાના જાગ્રુત નાગરીકો દ્વારા જે.બી ડાયમંડ સ્કુલ ખાતે તથા વીવર્સ એસોસીયેશન દ્વારા અંજની ઇન્ડસ્ટિઝમા મીટીંગ કરવામા આવી હતી. 

આ કાર્યક્રમ જે.બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ, ડાયમંડ નગર સામે, કામરેજ રોડ, લસકાણા, સુરત ખાતે શુક્રવાર, 14 નવેમ્બર 2025 - સાંજે 5:00 વાગ્યે યોજાશે. 

About The Author

Related Posts

Top News

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડાકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડાકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.