શું 4 જૂને ચૂંટણી પરિણામો પહેલા શેર વેચવા જોઈએ? જાણો શું કહે છે રામદેવ અગ્રવાલ

જેમ જેમ 4 જૂન નજીક આવી રહી છે તેમ તેમ રોકાણકારોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. ઘણા રોકાણકારો એ જાણવા માંગે છે કે, શું લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા તેઓએ તેમના શેર વેચી દેવા જોઈએ? અથવા તો બજારમાં ટકી રહેવું જોઈએ? આ સવાલનો જવાબ દેશના મોટા રોકાણકાર અને જાણીતા નિષ્ણાત રામદેવ અગ્રવાલે આપ્યો છે. મોતીલાલ ઓસવાલ ગ્રુપના ચેરમેન અગ્રવાલે કહ્યું છે કે, આવું ન કરવું જોઈએ. અગ્રવાલે શેરબજારો 1,50,000ના સ્તરે પહોંચવાની પણ આગાહી કરી હતી.

રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે, શેરબજારના મુખ્ય સૂચકાંકોમાંનો એક નિફ્ટી 50 આગામી 15-17 વર્ષમાં 1.5 લાખ સુધી પહોંચી જશે. બીજા ઇન્ડેક્સ સેન્સેક્સ આગામી 5-6 વર્ષમાં 1.5 લાખના આંકડાને સ્પર્શશે. અગ્રવાલ એક મીડિયા ચેનલ સાથે વાત કરી રહ્યા હતા. આ વાતચીત દરમિયાન, તેમણે દરેક બાબતની સ્પષ્ટતા કરતા એક એવી સ્થિતિ વિશે પણ જણાવ્યું, જે ઘણીવાર રોકાણકારોને ડરાવે છે.

અગ્રવાલે કહ્યું કે, નિફ્ટી 50 આગામી કેટલાક વર્ષોમાં 1,50,000ના આંકડા સુધી પહોંચશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન બજાર ઘણી વખત ઉપર નીચે પણ થઇ શકે છે, અને તેમાં ઘણા સુધારા પણ આવશે. તેમણે કહ્યું, 'શેરબજારમાં પૈસા કમાવવા માટે તમારી પાસે વિઝન, હિંમત અને ધીરજ હોવી જોઈએ. ધીરજ એ સૌથી મોટું પરિબળ છે, જે મુશ્કેલ અથવા તણાવપૂર્ણ સમયમાં સૌથી વધુ કામમાં આવે છે.'

મોતીલાલ ઓસ્વાલના ચેરમેન રામદેવ અગ્રવાલે પણ કહ્યું હતું કે, બજારમાં કોઈ નેગેટિવ સરપ્રાઈઝ આવી પણ હોય તો પણ સેન્સેક્સ 2030 સુધીમાં 1,50,000 સુધી પહોંચી જશે. જો આવું કોઈ સરપ્રાઈઝ નહીં આવે તો તે 2028 સુધીમાં આ સ્તરને પાર કરી જશે.

રોકાણકારોને સલાહ આપતાં અગ્રવાલે કહ્યું હતું કે, આ સમયે ભારતમાં ચાલી રહેલી ચૂંટણીઓ વિશે વધારે વિચારવાની અને તણાવ લેવાની જરૂર નથી. તેમણે કહ્યું, 'ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે, પરંતુ મારી રણનીતિમાં કોઈ ફેરફાર નહીં થાય. મારા પૈસા 3જી જૂને અને 5મી જૂને પણ માર્કેટમાં રોકાયા હશે. પરિણામ ભલે ગમે તે આવે, તેનાથી કોઈ ફરક પડતો નથી.'

વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા ભારતીય શેરબજારોમાં સતત વેચવાલી અંગે ટિપ્પણી કરતા રામદેવ અગ્રવાલ કહે છે કે, તેમને (FIIs)ને ભારતીય બજારોમાં નાણાં નાખવામાં થોડો સમય લાગશે. ચૂંટણીના પરિણામોની તારીખ નજીક આવી રહી છે તેથી વિદેશી રોકાણકારો સ્થાનિક બજારથી દૂર રહ્યા છે.

અગ્રવાલે જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારો તાજેતરમાં ઊભરતાં બજારોમાંથી નફો કરી શક્યા નથી. તેમણે કહ્યું, 'જો ચીન સારું કરશે તો, ભારત અને ચીન વચ્ચેના મૂલ્યાંકનનો તફાવત ઘટશે, જેથી વિદેશી રોકાણકારો ભારતમાં પાછા ફરશે.' જો કે, તેમણે કહ્યું કે, તેઓ આવતા 2-4 મહિનામાં વિદેશી રોકાણકારો ભારતમાં પાછા ફરતા જોતા નથી. વ્યાજદરમાં ઘટાડો, કંપનીઓના સારા પરિણામો અને નીચા વેલ્યુએશનને જોઈને FII પરત ફરશે.

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.