યુદ્ધવિરામ પછી શેરબજારમાં દિવાળી, રોકાણકારો 16 લાખ કરોડ કમાયા

આજે દિવસભર ભારતીય શેરબજારમાં તેજી રહી. એક પણ ક્ષણ એવી નહોતી જ્યારે બ્રેક લગાવવાની જરૂર પડી હોય. 12 મેના રોજ, BSE સેન્સેક્સ 2,975.43 પોઈન્ટ (3.74 ટકા) વધીને 82429.90 પર બંધ થયો, જ્યારે નિફ્ટી50 916.70 પોઈન્ટ (3.82 ટકા) વધીને 24924.70 પર બંધ થયો. શેરબજારમાં આટલી મોટી તેજીનું મુખ્ય કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં લાગેલી બ્રેક હતી. બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા છે. જોકે, આ સિવાય, 6 અન્ય કારણો છે જેણે શેરબજારને સપોર્ટ આપ્યો છે.

અઠવાડિયાના પહેલા જ દિવસે, સોમવારે, શેરબજારમાં તમામ ક્ષેત્રો લીલા રંગમાં કારોબાર કરતા જોવા મળ્યા. શરૂઆતમાં ફક્ત ફાર્મા ક્ષેત્ર જ ઘટાડામાં હતું, પરંતુ ત્યાર પછી તે પણ સુધર્યું હતું. સૌથી વધુ વૃદ્ધિ IT ક્ષેત્રમાં થઈ. નિફ્ટી IT 6.50 ટકા વધ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં 4-4 ટકાથી વધુનો વધારો થયો.

Stock Market
globalbharattv.in

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ બજાર મૂડીકરણમાં આજે 16.12 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આ ઉછાળો રોકાણકારો માટે વરદાન લઈને આવ્યો છે અને પોર્ટફોલિયોમાં લીલો રંગ ઉમેર્યો છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, લગભગ 3375 શેર વધ્યા, 585 શેર ઘટ્યા અને 127 શેર કોઈપણ ફેરફાર વિના બંધ થયા. બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા, જેમાં રિયલ એસ્ટેટ, પાવર, IT અને એનર્જી સેક્ટરના શેરોમાં 4 થી 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

નિફ્ટીમાં ઇન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઇઝ, શ્રીરામ ફાઇનાન્સ, ટ્રેન્ટ અને HCL ટેક્નોલોજીસ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે સન ફાર્મા અને ઇન્ડસઇન્ડ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Stock Market
aajtak.in

નિફ્ટી50ના ટોચના ઉપર ગયેલા શેર: ઇન્ફોસિસ 1,626.90 જે 7.91 ટકા એટલે કે 119.30 વધ્યો, અદાણી એન્ટરપ્રાઇઝ 2,425.30 જે 7.74 ટકા એટલે કે 174.30 વધ્યો, શ્રીરામ ફાઇનાન્સ 645.95 જે 7.4 ટકા એટલે કે 44.50 વધ્યો, HCL Tec 1,670.30 જે 6.43 ટકા એટલે કે 100.90 વધ્યો, ટ્રેન્ટ 5,441.00 જે 6.42 ટકા એટલે કે 328.00 વધ્યો.

નિફ્ટી50ના ટોચના નીચે ગયેલા શેર: ઇન્ડસઇન્ડ બેંક 788.50 જે 3.63 ટકા એટલે કે 29.70 નીચે ગયો, સન ફાર્મા 1,686.20 જે 3.36 ટકા એટલે કે 58.60 નીચે ગયો.

Stock Market
hindi.news24online.com

શેરબજારમાં તેજી પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો હતા. સૌપ્રથમ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતથી રોકાણકારોને રાહત મળી અને બજારમાં સકારાત્મક વાતાવરણ ઊભું થયું. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરાર પછી વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી. એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રૂ. 26,632 કરોડનો રેકોર્ડ પ્રવાહ જોવા મળ્યો, જે રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

ઉપરોક્ત કારણો ઉપરાંત, ભારતના ક્રેડિટ રેટિંગમાં સુધારો પણ એક મહત્વપૂર્ણ કારણ હતું જેના કારણે વિદેશી રોકાણકારોનો રસ વધ્યો. અમેરિકા-ચીન વાટાઘાટોને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો, જેના કારણે ઊર્જા શેરોને સપોર્ટ મળ્યો.

Related Posts

Top News

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.