ટ્રમ્પે ઇટાલિયન PMની પ્રશંસા કરતા કહ્યું- 'મને મેલોની ખૂબ ગમે છે....', PM જ્યોર્જિયા હસી પડ્યા

જ્યાં એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધે સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવ્યો છે, અને લોકો ટ્રમ્પ સાથે વાત કરવાથી પણ ડરે છે. બીજી તરફ, ટ્રમ્પ ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીના ખુબ વખાણ કરી રહ્યા છે. ટ્રમ્પે તો એમ પણ કહ્યું કે, તેમને PM મેલોની ખૂબ ગમે છે. ટ્રમ્પ અમેરિકામાં PM મેલોનીને મળ્યા પણ છે. ટ્રમ્પના ટેરિફ નિર્ણય પછી PM મેલોની વ્હાઇટ હાઉસમાં તેમને મળનારા પ્રથમ યુરોપિયન નેતા છે. આ બેઠકમાં બંને નેતાઓએ ટેરિફ અને વેપાર જેવા મુદ્દાઓ પર પણ વાત કરી.

PM-Giorgia-Meloni,-Donald-Trump1
punjabkesari.in

એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું, 'મને PM જ્યોર્જિયા ખૂબ ગમે છે. તેઓ એક મહાન PM છે અને ઇટાલીમાં તેમનું કાર્ય ઉત્તમ છે. અમને તેમના પર ગર્વ છે.' તેમણે મેલોનીને વિશ્વના અસલી નેતાઓમાંના એક તરીકે વર્ણવ્યા. ટ્રમ્પે કહ્યું કે, તેઓ મેલોનીને શરૂઆતના દિવસોથી જ ઓળખે છે, જ્યારે તે ઇટાલીના PM બન્યા હતા. તેમણે કહ્યું, 'મને શરૂઆતથી જ ખબર હતી કે, તેમની પાસે અદ્ભુત પ્રતિભા છે. અમારા દેશો અને અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે.'

PM-Giorgia-Meloni,-Donald-Trump2
punjabkesari.in

બીજી તરફ, PM મેલોનીએ પણ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી અને બંને નેતાઓ વચ્ચે રૂઢિચુસ્ત વિચારોની સમાનતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, 'મારું લક્ષ્ય પશ્ચિમને ફરીથી મહાન બનાવવાનું છે, અને મને લાગે છે કે આપણે સાથે મળીને તે કરી શકીએ છીએ.' PM મેલોનીએ ઇમિગ્રેશન અને ટ્રમ્પના 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' વિઝન વચ્ચે ઘણી સમાનતાઓ દર્શાવી. તેમણે ટ્રમ્પને ટૂંક સમયમાં રોમની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું અને કહ્યું કે, તે દરમિયાન તેઓ યુરોપિયન નેતાઓને પણ મળી શકે છે. PM મેલોનીએ કહ્યું, 'રોમની સત્તાવાર મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકારવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું. ત્યાં તેઓ યુરોપિયન નેતાઓને પણ મળી શકે છે.'

વ્હાઇટ હાઉસ ખાતે, PM મેલોની અને ટ્રમ્પે વેપાર, ટેરિફથી લઈને ઇમિગ્રેશન અને પશ્ચિમી રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

PM-Giorgia-Meloni,-Donald-Trump
msn.com

આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઉતાવળમાં વ્યવસાયિક સોદા કરવા માંગતા નથી. અમેરિકાને ટેરિફથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. જોકે, આ દરમિયાન ટ્રમ્પે યુરોપિયન યુનિયન સાથે કરારનો સંકેત પણ આપ્યો હતો. આ દરમિયાન PM મેલોનીએ કહ્યું કે, ઇટાલિયન કંપનીઓ અમેરિકામાં 10 અબજ યુરોનું રોકાણ કરશે અને ઇટાલી અમેરિકાથી ઊર્જા આયાત વધારશે.

Premanand-Maharaj.1
mantavyanews.com

અહીં તમને જણાવી દઈએ કે, PM મેલોની એકમાત્ર યુરોપિયન નેતા હતા જેમને 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. PM મેલોની અને ટ્રમ્પ ઘણા મુદ્દાઓ પર સમાન વિચારો ધરાવે છે. ઇમિગ્રેશનથી લઈને દાણચોરી સુધીના મુદ્દાઓનો સામનો કરવાની વાત આવે ત્યારે બંને એકસરખું વિચારે છે.

About The Author

Related Posts

Top News

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.