જો તમે UPIનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે, આટલું કરજો, નહીં તો..

જો તમે પેમેન્ટની લેવડ-દેવડ માટે UPIનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારે ખાસ જાણવા જેવા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ગાઇડલાઇન બહાર પાડી છે. જો તમે આ ગાઇડલાઇન પ્રમાણે કામ પુરુ ન કરશો તો Google Pay, Paytm, Phonpe જેવી Appથી પેમેન્ટ નહીં કરી શકશો.

Unified Payments Interface (UPI)એ પૈસાની લેવડદેવડની સીસ્ટમમાં મોટી ક્રાંતિ કરી છે.નાની રકમથી માંડીને મોટી રકમ સુધીના ટ્રાન્ઝેકશન હવે UPI દ્વારા કરવામાં આવી રહ્યા છે. રિક્ષા, ચાની કીટલી વાળા, શાકભાજી વાળા,કરિયાણીની દુકાનો અને મેટ્રો મુસાફરી માટે પણ લોકો મોટાભાગે UPI દ્વારા ચૂકવણી કરે છે. જો કે હવે સરકારે આ અંગે એક ખાસ સંદેશ શેર કર્યો છે. જો તમે પણ UPI નો ઉપયોગ કરો છો, તો તમારે આ જાણવું જોઈએ, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 7 નવેમ્બર 2023 ના રોજ ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગ્રાહકે છેલ્લા એક વર્ષથી Google Pay, Paytm અથવા Phonpe જેવી કોઈપણ થર્ડ પાર્ટી App દ્વારા કોઈ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહારો કર્યા નથી, તો તેનું UPI ID બંધ કરી દેવામાં આવશે.

NPCIએ બધી બેંકોને આવા ગ્રાહકોની શોધ કરવાની સૂચના આપી છે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ UPI ID 31 ડિસેમ્બર 2023 સુધીમાં એક્ટિવ નહીં થાય તો એવી IDને 1 જાન્યુઆરી 2024થી બંધ કરી દેવામાં આવશે. એનો મતલબ એ થાય કે જો તમે 31 ડિસેમ્બર સુધીમાં કોઇ પણ ટ્રાન્ઝેકશન નહીં કરશો તો 1 જાન્યુઆરી પછી તમે UPI ટ્રાન્ઝેકશન કરી શકશો નહીં.એટલે જો તમારે UPIનો ઉપયોગ ચાલું રાખવા હોય તો હજુ તમારી પાસે સમય છે. 31 ડિસેમ્બર સુધીમાં UPI IDને એક્ટિવ કરી દેજો.

NPCIના નવા નિયમ મુજબ, બધી થર્ડ પાર્ટી App પ્રોવાઇડર અને બેંકો આવા ગ્રાહકોની UPI ID અને તેની સાથે જોડાયેલો મોબાઇલ નંબર વેરિફાય કરશે.જો એક વર્ષમાં આ ID પરથી એક પણ UPI ટ્રાન્ઝેકશન નહીં થયું હશે તો તેને બંધ કરી દેવામાં આવશે.

NPCIના આ પગલાંને કારણે UPI ટ્રાન્ઝેકશન હવે પહેલા કરતા વધારે સલામત થઇ જશે અને ખોટા ટ્રાન્ઝેકશન થતા અટકશે.

ઘણી વખત એવં જોવા મળે છે લોકો પોતાના નંબર બદલની નાંથી અને UPI IDને ડિએક્ટિવેટ કરવાનું ભૂલી જાય છે. એવા સંજોગામાં ખોટી લેવડ-દેવડનું જોખમ વધી જાય છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.