ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ કેમ કહ્યુ કે, આ બાબતે હું ખોટો આદર્શવાદી હતો

સપ્તાહમાં 70 દિવસ કામ કરવાનું નિવેદન આપીને ચર્ચામાં આવેલા ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને મોડે મોડે સમજાયું કે આ વાતમાં હું ખોટા આદર્શવાદી હતા.

ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું છે કે પરિવારને કંપનીથી અલગ રાખવું એ મારો ખોટો નિર્ણય હતો. તેમણે કહ્યું કે, તે વખતે મને લાગતું હતું કે કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ એ છે કે પરિવારને તેમાં સામેલ ન કરવો જોઈએ. કારણ કે તે જમાનામાં મોટા ભાગના ધંધા પરિવારના હતા, જેમાં પરિવારના બાળકો આવીને કંપની ચલાવતા હતા. આમાં કોર્પોરેટ નિયમોનું ઘોર ઉલ્લંઘન હતું.

એક બિઝનેસ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નારાયણ મૂર્તિએ આ વાત કહી. તેમણે કહ્યું કે તેઓ માને છે કે તેમની પત્ની સુધા મૂર્તિ કંપનીના અન્ય સહ-સ્થાપકોની તુલનામાં વધુ સક્ષમ છે. પરંતુ, તેમણે ક્યારેય સુધાને કંપનીમાં જોડાવાની પરવાનગી આપી ન હતી. આ સાથે તેમણે અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપતા નિવેદનનો પણ બચાવ કર્યો હતો.

નારાયણ મૂર્તિએ કહ્યું કે,થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ ફિલોસોફીના કેટલાક પ્રોફેસરો સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમને આ ભૂલનો અહેસાસ થયો હતો. પ્રોફેસરોએ તેમને કહ્યું હતું કે કંપનીમાં પરિવારને સામેલ ન કરવા એ તમારી ભૂલ હતી.મૂર્તિએ કહ્યું કે તે દિવસોમાં હું જે કરતો હતો તે મને આદર્શવાદી લાગતું હતું. પણ હવે લાગે છે કે હું ખોટો આદર્શવાદી હતો.

મૂર્તિને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર રોહન મૂર્તિ હાર્વર્ડમાં સ્કોલર છે. જો તેઓ તમને કાલે ઈન્ફોસિસમાં જોડાવાનું કહે તો તમે શું કરશો? આના જવાબમાં મૂર્તિએ કહ્યું કે, રોહન મારા કરતા વધારે કડક છે. તે ક્યારેય એવું કહેશે નહીં. રોહન મૂર્તિ 40 વર્ષના છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી Ph.d કર્યું છે. તે એક સોફ્ટવેર ફર્મના માલિક પણ છે. તેમની કંપની ડેટા પ્રોસેસિંગનું કામ કરે છે.

નારાયણ મૂર્તિએ 1981માં ભારતની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને 2002 સુધી તેઓ કંપનીના CEO હતા. આ પછી, તેઓ 2002 થી 2006 સુધી બોર્ડના અધ્યક્ષ હતા. ઓગસ્ટ 2011માં, મૂર્તિએ કંપનીમાંથી ચેરમેન એમેરિટસના પદ સાથે નિવૃત્ત થયા. જો કે, ફરી એકવાર તેઓ 2013 માં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીમાં પ્રવેશ્યા. આ સમય દરમિયાન તેમનો પુત્ર રોહન મૂર્તિ તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો.

નારાયણ મૂર્તિના દિકરી અક્ષતા બ્રિટનના વડાપ્રધાન રૂષી સૂનકના પત્ની છે. એ રીતે સૂનક નારાયણ મૂર્તિના જમાઇ છે.

About The Author

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.