ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ કેમ કહ્યુ કે, આ બાબતે હું ખોટો આદર્શવાદી હતો

સપ્તાહમાં 70 દિવસ કામ કરવાનું નિવેદન આપીને ચર્ચામાં આવેલા ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને મોડે મોડે સમજાયું કે આ વાતમાં હું ખોટા આદર્શવાદી હતા.

ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું છે કે પરિવારને કંપનીથી અલગ રાખવું એ મારો ખોટો નિર્ણય હતો. તેમણે કહ્યું કે, તે વખતે મને લાગતું હતું કે કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ એ છે કે પરિવારને તેમાં સામેલ ન કરવો જોઈએ. કારણ કે તે જમાનામાં મોટા ભાગના ધંધા પરિવારના હતા, જેમાં પરિવારના બાળકો આવીને કંપની ચલાવતા હતા. આમાં કોર્પોરેટ નિયમોનું ઘોર ઉલ્લંઘન હતું.

એક બિઝનેસ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નારાયણ મૂર્તિએ આ વાત કહી. તેમણે કહ્યું કે તેઓ માને છે કે તેમની પત્ની સુધા મૂર્તિ કંપનીના અન્ય સહ-સ્થાપકોની તુલનામાં વધુ સક્ષમ છે. પરંતુ, તેમણે ક્યારેય સુધાને કંપનીમાં જોડાવાની પરવાનગી આપી ન હતી. આ સાથે તેમણે અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપતા નિવેદનનો પણ બચાવ કર્યો હતો.

નારાયણ મૂર્તિએ કહ્યું કે,થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ ફિલોસોફીના કેટલાક પ્રોફેસરો સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમને આ ભૂલનો અહેસાસ થયો હતો. પ્રોફેસરોએ તેમને કહ્યું હતું કે કંપનીમાં પરિવારને સામેલ ન કરવા એ તમારી ભૂલ હતી.મૂર્તિએ કહ્યું કે તે દિવસોમાં હું જે કરતો હતો તે મને આદર્શવાદી લાગતું હતું. પણ હવે લાગે છે કે હું ખોટો આદર્શવાદી હતો.

મૂર્તિને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર રોહન મૂર્તિ હાર્વર્ડમાં સ્કોલર છે. જો તેઓ તમને કાલે ઈન્ફોસિસમાં જોડાવાનું કહે તો તમે શું કરશો? આના જવાબમાં મૂર્તિએ કહ્યું કે, રોહન મારા કરતા વધારે કડક છે. તે ક્યારેય એવું કહેશે નહીં. રોહન મૂર્તિ 40 વર્ષના છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી Ph.d કર્યું છે. તે એક સોફ્ટવેર ફર્મના માલિક પણ છે. તેમની કંપની ડેટા પ્રોસેસિંગનું કામ કરે છે.

નારાયણ મૂર્તિએ 1981માં ભારતની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને 2002 સુધી તેઓ કંપનીના CEO હતા. આ પછી, તેઓ 2002 થી 2006 સુધી બોર્ડના અધ્યક્ષ હતા. ઓગસ્ટ 2011માં, મૂર્તિએ કંપનીમાંથી ચેરમેન એમેરિટસના પદ સાથે નિવૃત્ત થયા. જો કે, ફરી એકવાર તેઓ 2013 માં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીમાં પ્રવેશ્યા. આ સમય દરમિયાન તેમનો પુત્ર રોહન મૂર્તિ તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો.

નારાયણ મૂર્તિના દિકરી અક્ષતા બ્રિટનના વડાપ્રધાન રૂષી સૂનકના પત્ની છે. એ રીતે સૂનક નારાયણ મૂર્તિના જમાઇ છે.

About The Author

Related Posts

Top News

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.