કિરણ પટેલ અંગે બાયડના ખેડૂતે કર્યો ઘટસ્ફોટ, અમદાવાદમાં પણ કરી છે કરોડોની ઠગાઈ

મહાઠગ કિરણ પટેલ અંગે અરવલ્લીના ભોગ બનનાર ખેડૂતોની ATSએ પૂછપરછ કરી છે. જે પૂછપરછ અંતર્ગત કિરણ પટેલ અંગે મોટા ખુલાસા બાયડના ખેડૂત આશિષ પટેલે કર્યા છે. આશિષ પટેલના જણાવ્યા અનુસાર, લાલ લાઈટવાળી ગાડીમાં કિરણ પટેલ ફરતો હતો. આ મહાઠગના કારનામા 2015 પહેલાથી જ યથાવત છે. તે પહેલા પોતાની ઓળખ CMOમાં જોડાયેલો હોય એ રીતે આપતો હતો.

આ સાથે જ આશિષ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ગઢડાની એક સંસ્થાના મોટા સંત સાથે પણ કિરણે ઠગાઈ કરી છે. ત્યારે આ મહાઠગે 6 કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. આ સિવાય કિરણ પટેલે એક પૂર્વ મંત્રીના મોટા ભાઈને પણ છેતર્યા હોવાનું સામે આવ્યું છે. તેણે રિનોવેટના બહાને મકાન પચાવી વાસ્તુપૂજન પણ કર્યું હતું. કિરણ પટેલ આટલે જ નહીં અટકયો હતો, તેણે અલ્હાબાદના જજને પણ લાલચ આપી હતી CJI બનાવવાની. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ તો કિરણ પટેલના હાથે જે ખેડૂતો છેતરાયા છે તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યા છે. આ મહાઠગે આશિષ પટેલ સહિતના 13 ખેડૂતોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જમ્મુ કાશ્મીરમાં PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી VIP સિક્યોરિટી સાથે ફરતા ગુજરાતના કિરણ પટેલની જમ્મુ કશ્મીરની પોલીસે ધરપકડ કરી લીધી છે. દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકેની કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં ઓળખ આપી હતી. તે જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં VIP સુરક્ષા કવચ સાથે ફરતો હતો. ભૌતિક તેમજ નાણાકીય લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ કિરણ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

હાલ તો જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ પટેલને પકડ્યો હોવાનું જાહેર કરતાં આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. જે અંતર્ગત કિરણ પટેલ કરોડો રૂપિયાની ઠગાઈ અમદાવાદમાં પણ કરી ચૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે.

Top News

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Copyright (c) Khabarchhe All Rights Reserved.