11 જૂને ગુજરાત પોલીસના 50000 થી વધુ જવાનો CPR તાલીમ મેળવશે

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર તથા રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને COLS AWARENESS PROGRAM(CPR તાલીમ કાર્યક્રમ)ના અનુસંધાને આગામી તા.11 જુને રાજ્યની 37 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો પર 2400 થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ અપાશે.

રાજ્ય સરકાર, ડૉક્ટર સેલ તથા ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ ઈમરજન્સીના સમયમાં વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR નું પ્રશિક્ષણ અપાશે. પોલીસકર્મીઓ સેવા, સુરક્ષા અને શાંતિની ફરજ સાથે સાથે આકસ્મિક સમયે આવતા હાર્ટએટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડિત વ્યક્તિને CPR આપીને જીવ બચાવી શકશે.

અમદાવાદમાં સમયસૂચકતા વાપરી ટ્રાફિકના પોલીસ કર્મચારીઓએ એક્ટિવા ચાલકને CPR આપીને જીવ બચાવ્યો હતો

તા.06 જૂને અમદાવાદના કાલુપુર સર્કલ પર એક એકટિવાચાલકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઈ ગયો હતો. આ સમયે હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરી તે આવે એ દરમિયાન ચાલકની સ્થિતિ નાજુક જણાતા CPR ની પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ 108 મારફત હોસ્પિટલ પહોંચાડયા હતા.

આમ, CPR બાબતે ટ્રાફિકકર્મીઓ માહિતગાર હોવાથી આ દર્દીને CPR આપી જીવ બચાવવામાં નિમિત્ત બન્યા હતા. આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસના અધિકારી/કર્મચારી તથા હોમગાર્ડ જવાનની આ ઉમદા માનવીય ફરજને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડાએ ત્રણેય કર્મચારીઓને રૂબરૂમાં પ્રશંસાપત્ર પાઠવી મનાવીય અભિગમને બિરદાવ્યો હતો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.