વડોદરા પોલીસે દેહવેપારમાં ફસાય તે પહેલા જ 3 સગીરાને બચાવી, 20-20 હજારમાં...

વડોદરા શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. મુંબઈ અને રાજસ્થાનથી સગીરાઓને વડોદરા લાવી દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસ કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હાલ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ આદરી છે. સગીરાઓ દેહવેપારના ચુંગલમાં ફસાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી સગીરાઓને બચાવી લીધી છે.

વડોદરા શહેર પોલીસે દેહવેપારના કાંડનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ, સગીરાઓને ફેસલાવી દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસ કરનાર આરોપી સુરેશ જયસ્વાલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુરેશ મુંબઈથી એક સગીરાને વડોદરા લાવ્યો હતો, જ્યારે તેનો સાથી વિષ્ણુ રાજસ્થાનથી 2 સગીરાને વડોદરા લાવ્યો હતો. આ ત્રણેય સગીરા મૂળ રાજસ્થાનની હતી અને તેમને દેહવેપારમાં ધકેલવાનો પ્લાન હતો. પરંતુ આ પહેલા જ પોલીસે સુરેશની ધરપકડ કરી સગીરાઓને બચાવી લીધી હતી.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ એક સગીરાનો સોદો 60 હજાર અને અન્ય બે સગીરાનો સોદો 20-20 હજારમાં કર્યો હતો. ભાવનગરના વિશાલ મકવાણા નામના શખ્સે કારની વ્યવસ્થા કરી તમામને ભાવનગર બોલાવ્યા હતા. પરંતુ આ મામલે વડોદરા શહેર પોલીસને માહિતી મળતા ત્વરિત કાર્યવાહી કરી આરોપી સુરેશને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે. માહિતી મુજબ, હાલ પોલીસે ત્રણેય સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી છે અને તેમના માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મૂખ્ય સૂત્રધાર સુરેશ મુંબઈનો હોવાથી પોલીસે મુંબઈ સુધી તપાસનો દોર શરૂ કરાયો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.