PSI છું કહી કપલ મફતમાં રેપિડોમાં બેસતું, જમવાના પૈસા પણ ન આપતું, પછી આ રીતે ભાંડો ફૂટ્યો

કેટલાક લોકો એવા અવળચંડા હોય છે કે બીજાના નામે ચરી ખાતા હોય છે. અધિકારીઓની ઓળખ આપીને ધાક જમાવતા હોય છે, હીરોગીરી પર ઉતરી આવતા હોય છે, પરંતુ આ બધુ લાંબા સમય સુધી ચાલતું નથી. વડોદરામાં પણ કઈક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં PSI તરીકેની ખોટી ઓળખ આપીને મફતમાં ચરી ખાતા હતા.

વડોદરાના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારી પાસે ચાઇનીઝ ફૂડ પેટ ભરીને ઠૂસ્યું અને પછી PSI તરીકેની ખોટી ઓળખ આપીને તેના પૈસા ન ચુકવ્યા. ઉપરાંત પોલીસ પાસે પૈસા માંગો છો? તેમ કહીને ધમકાવી નાખ્યા હતા. આ તો ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે પેલી કહેવત જેવો ઘાટ થઈગયો.  આ મામલે આરોપી પતિ-પત્ની સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,

તો વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા અહમદ પાર્કમાં રહેતા વેપારી સિદ્દીકઅલી મંજુરઅલી સૈયદે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે સરદાર એસ્ટેટની બહાર કોલોની પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ચલાવે છે. 23 નવેમ્બર, 2025ના રોજ રવિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ બાઈક પર આવ્યો હતો. તેણે વેપારીની ફૂડની દુકાનનાના કારીગર વિકાસ છેત્રી સાથે વાત કરી અને દુકાનના માલિકની પૂછપરછ કરી હતી.

આ વ્યક્તિએ વેપારીને ફોન પર વાત કરી હતી અને વેપારીને કહ્યું હતું કે, હું વાડી પોલીસ સ્ટેશનમાંથી PSI નલવાયા સાહેબ બોલુ છું. તેણે ચિકન ચાઈનીઝ ભેળનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ પૈસા માગતા આ વ્યક્તિએ ફરીથી PSI સાથે વાત કરાવી હતી અને મોબાઈલ નંબર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાપોદ પોલીસ સ્ટેશનના તેમના મિત્ર એક-બે કલાકમાં આવીને 140 રૂપિયાનું પેમેન્ટ કરી દેશે. આ વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ પાર્સલ આપી દીધું હતું.

vadodara-police1
english.gujaratsamachar.com

બીજા દિવસે આશરે 12:30 વાગ્યે ફરિયાદીએ આપેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો તો ફોન એક મહિલાએ ફોન ઉપાડ્યો. તેણે કહ્યું કે, અડધા કલાકમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેશે. તેમના પતિ PSI છે, તમને 140 માટે શરમ નથી આવતી? જોકે, ત્યારબાદ કોઈ પેમેન્ટ ન આવ્યું અને પછી તો કોલ રીસિવ કરવાનું જ બંધ કરી દીધું હતું. આ શખ્સોએ PSIની ખોટી ઓળખ આપીને રેપીડો વાળાનું 40 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું નહોતું.

આરોપીઓ પોલીસ વિભાગમાં ન હોવા છતા PSI તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી છે. બાપોદ પોલીસે આરોપી બકુલ જશુભાઈ (ઉં.વ.27) અને તેની પત્ની રશ્મિબેન બકુલભાઈ (ઉં.વ.27), (બંને રહે. હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરી છે અને બંનેની ધરપકડ કરી છે.

પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. નકલી PSI બનેલા શખ્સને પોલીસે કાન પકડાવીને ઉઠ-બેસ કરાવી હતી. પૂછપરછમાં આરોપીનું નામ બકુલ હોવાનું સામે આવ્યું છે. તેણે માફી માગતા કહ્યું કે, ‘મેં PSI તરીકેની ખોટી ઓળખ આપીને જમવાનું પાર્સલ મંગાવ્યું હતું. મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવી ભૂલ નહીં કરું, હું માફી માંગુ છું.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.