PSI છું કહી કપલ મફતમાં રેપિડોમાં બેસતું, જમવાના પૈસા પણ ન આપતું, પછી આ રીતે ભાંડો ફૂટ્યો

કેટલાક લોકો એવા અવળચંડા હોય છે કે બીજાના નામે ચરી ખાતા હોય છે. અધિકારીઓની ઓળખ આપીને ધાક જમાવતા હોય છે, હીરોગીરી પર ઉતરી આવતા હોય છે, પરંતુ આ બધુ લાંબા સમય સુધી ચાલતું નથી. વડોદરામાં પણ કઈક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં PSI તરીકેની ખોટી ઓળખ આપીને મફતમાં ચરી ખાતા હતા.

વડોદરાના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારી પાસે ચાઇનીઝ ફૂડ પેટ ભરીને ઠૂસ્યું અને પછી PSI તરીકેની ખોટી ઓળખ આપીને તેના પૈસા ન ચુકવ્યા. ઉપરાંત પોલીસ પાસે પૈસા માંગો છો? તેમ કહીને ધમકાવી નાખ્યા હતા. આ તો ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે પેલી કહેવત જેવો ઘાટ થઈગયો.  આ મામલે આરોપી પતિ-પત્ની સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,

તો વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા અહમદ પાર્કમાં રહેતા વેપારી સિદ્દીકઅલી મંજુરઅલી સૈયદે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે સરદાર એસ્ટેટની બહાર કોલોની પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ચલાવે છે. 23 નવેમ્બર, 2025ના રોજ રવિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ બાઈક પર આવ્યો હતો. તેણે વેપારીની ફૂડની દુકાનનાના કારીગર વિકાસ છેત્રી સાથે વાત કરી અને દુકાનના માલિકની પૂછપરછ કરી હતી.

આ વ્યક્તિએ વેપારીને ફોન પર વાત કરી હતી અને વેપારીને કહ્યું હતું કે, હું વાડી પોલીસ સ્ટેશનમાંથી PSI નલવાયા સાહેબ બોલુ છું. તેણે ચિકન ચાઈનીઝ ભેળનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ પૈસા માગતા આ વ્યક્તિએ ફરીથી PSI સાથે વાત કરાવી હતી અને મોબાઈલ નંબર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાપોદ પોલીસ સ્ટેશનના તેમના મિત્ર એક-બે કલાકમાં આવીને 140 રૂપિયાનું પેમેન્ટ કરી દેશે. આ વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ પાર્સલ આપી દીધું હતું.

vadodara-police1
english.gujaratsamachar.com

બીજા દિવસે આશરે 12:30 વાગ્યે ફરિયાદીએ આપેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો તો ફોન એક મહિલાએ ફોન ઉપાડ્યો. તેણે કહ્યું કે, અડધા કલાકમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેશે. તેમના પતિ PSI છે, તમને 140 માટે શરમ નથી આવતી? જોકે, ત્યારબાદ કોઈ પેમેન્ટ ન આવ્યું અને પછી તો કોલ રીસિવ કરવાનું જ બંધ કરી દીધું હતું. આ શખ્સોએ PSIની ખોટી ઓળખ આપીને રેપીડો વાળાનું 40 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું નહોતું.

આરોપીઓ પોલીસ વિભાગમાં ન હોવા છતા PSI તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી છે. બાપોદ પોલીસે આરોપી બકુલ જશુભાઈ (ઉં.વ.27) અને તેની પત્ની રશ્મિબેન બકુલભાઈ (ઉં.વ.27), (બંને રહે. હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરી છે અને બંનેની ધરપકડ કરી છે.

પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. નકલી PSI બનેલા શખ્સને પોલીસે કાન પકડાવીને ઉઠ-બેસ કરાવી હતી. પૂછપરછમાં આરોપીનું નામ બકુલ હોવાનું સામે આવ્યું છે. તેણે માફી માગતા કહ્યું કે, ‘મેં PSI તરીકેની ખોટી ઓળખ આપીને જમવાનું પાર્સલ મંગાવ્યું હતું. મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવી ભૂલ નહીં કરું, હું માફી માંગુ છું.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.