ચીનમાં હવે સેલેબ્રિટીથી લઇને સામાન્ય લોકો જાતે જ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે

ભારતના પડોસી દેશ ચીનમાં કોરોના મહામારી આઉટ ઓફ કંટ્રોલ થઇ ચૂકી છે. સેલેબ્રિટીથી લઇને સામાન્ય લોકો આ કાળનો ભોગ બની ચૂક્યા છે. જગની સામે આ વાત છુપાવવા માટે ચીન કોરોનાથી થનારા મોત અને સંક્રામિતોનો આંકડો છુપાવી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા છુપાવવા માટે ચીનને ફટકાર લગાવી છે. હવે ખબર એવી છે કે, ચીનના યુવા પોતાને જ સંક્રમિત કરી રહ્યા છે. તેમાં કેટલાક સેલેબ્રિટી અને સામાન્ય નાગરિકો પણ શામેલ છે. રિપોર્ટ્સ એવા છે કે, કેટલાકે પોતાને કોરોનાથી સંક્રમિત કરી લીધા છે જેથી તેમણે પોતાની રજાઓ કેન્સલ કરવી પડી. ચીનમાં લોકો આવું કેમ કરી રહ્યા છે. તેના પર એક ચોંકાવનારી વાત સામે આવી છે.

ચીનમાં કોરોના મહામારીથી બચવું લગભગ અશક્ય બની ગયું છે. કોરોનાએ વૃદ્ધ લોકોના જીવ પર વધારે જોખમ નાખ્યું છે. એવામાં લાચાર થઇ ચૂકેલા ચીનના નાગરિકો હવે પોતે જ સંક્રમિત થઇ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સેલેબ્રિટીથી લઇને કેટલાક યુવા ચીની નાગરિકોએ પોતાને કોવિડથી સંક્રમિત કરી લીધા છે જેથી તેમણે પોતાની રજાની યોજનાઓમાં ફેરફાર ન કરવો પડે. જોકે, કેટલાકે ખુલીને તેના પર વાત નથી કરી. તેમને ચીની સરકારનો ડર છે કે, કોરોના પર કંઇ કહેવું તેમના અને તેમના પરિવાર માટે જોખમ હોઇ શકે છે.

મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક યુવાઓએ કહ્યું કે, તેઓ પોતાને સંક્રમિત કરી રહ્યા છે કારણ કે, એક વાર નવા વેરિયેન્ટથી સંક્રમિત થયા બાદ તેમના શરીર માં એન્ટીબોડી વિકસિત થઇ જશે. એવામાં તેઓ બીમાર ન પડશે. શાંઘાઇના એક રહેવાસીએ કહ્યું કે, તેમણે પોતાને સંક્રમિત કર્યા કે જેથી રજાઓમાં ફરવા જતી વખતે બીમાર ન પડે. જ્યારે, ચીની ગાયિકા અને ગીતકાર જેન ઝાંગે ડિસેમ્બરમાં કહ્યું હતું કે, તો પોતે જ સંક્રમિત થયા કારણ કે, તેઓ નવા વર્ષની પૂર્વ સંધ્યાની સંગીત કાર્યક્રમ દરમિયાન સંક્રમણના જોખમમાં નથી પડવા માગતા.

એક અન્ય યુવતીએ કહ્યું કે, તેણે પોતાની મિત્ર પાસે જઇને પોતાને સંક્રમિત કરી. એક મહિલા, જે સરકારી નોકરી કરે છે, તેણે કહ્યું કે, તે પણ એ લોકોની સાથે મળીને સંક્રમિત થઇ ગઇ જેને કોવિડ થયો હોય.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.