પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા મને રોજ હનુમાનજી મહારાજ મળે

(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી.

શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી રામના ભક્ત હશો તો તમને હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપમાં આવીને ઉગારી જશે.

મારા જીવનમાં પ્રભુ શ્રી રામ કાજે ધર્મ કાર્ય કરવાનો અવસર મને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યો. અહીં મને પ્રભુ શ્રી રામના ભક્તો સ્વરૂપે ધર્મ સમર્પિત ગુણિયલ સબંધો મળ્યા અને આજેય સૌની સાથે જીવંત સંપર્કોમાં મને ધર્મકાર્ય કરવાની અવિરાત્ પ્રેરણા પણ મળે.

હું જીવનમાં જ્યારે જ્યારે કોઈક સમસ્યા અનુભવું ત્યારે ક્યાંકથી મને મદદ આવે અને સમસ્યા સંકટ આપો આપ દૂર થાય અને રસ્તો નીકળે. ધર્મકાર્ય હોય, વ્યવસાય હોય, અંગત કે સામાજિક જીવન હોય... કોઇ પણ ક્ષેત્રે કોઈક સંકટ સમસ્યા આવે એટલે કોઈક એવું વ્યક્તિત્વ હાજર થાય કે જે સમસ્યા સંકટનો ઉકેલ લઈને આવે અને સમસ્યા ઉકેલે કે સંકટ દૂર કરે!!

સવાર પડે કોઈક સમસ્યા આવે અને સાંજ થતાં એ ઉકેલાય જાય!!!

ધીમે ધીમે અનુભવો પરથી મને સમજાયું કે આ બીજું કોઇ નહીં હનુમાનજી મહારાજ જ છે જે કોઈકના માધ્યમથી આવે અને મને સમસ્યા સંકટમાથી ઉગારે.

તમે જો શ્રી રામને ભજતાં હશો તો આવા અનુભવ તમને થયા હશે અને જો થયા હોય તો સમજી જાજો કે એ સાક્ષાત હનુમાનજી મહારાજ આવીને તેમને ઉગારી ગયા.

અગત્યનું:

સંકટમાં કોઈક મિત્ર કે અન્ય કોઈ સબંધ સ્વરૂપે કોઈક તમારું બાવડું ઝાલે કે મદદે આવે તો સમજી જજો કે એ હનુમાનજી દ્વારા મોકલાયેલી મદદ છે. એ મદદગારને ક્યારેય અવગણના ના કરશો.

હનુમાનજી મહારાજની ભેટ સ્વરૂપે મળેલા સબંધોને પ્રેમથી જાળવજો પછી ભલેને દાદાના મંદિરે નહીં જાઓ તોયે દાદા રાજી રહેશે.

જય જય સીયારામ ?

(સુદામા)

About The Author

UD Picture

Top News

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.