પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા મને રોજ હનુમાનજી મહારાજ મળે

(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી.

શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી રામના ભક્ત હશો તો તમને હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપમાં આવીને ઉગારી જશે.

મારા જીવનમાં પ્રભુ શ્રી રામ કાજે ધર્મ કાર્ય કરવાનો અવસર મને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યો. અહીં મને પ્રભુ શ્રી રામના ભક્તો સ્વરૂપે ધર્મ સમર્પિત ગુણિયલ સબંધો મળ્યા અને આજેય સૌની સાથે જીવંત સંપર્કોમાં મને ધર્મકાર્ય કરવાની અવિરાત્ પ્રેરણા પણ મળે.

હું જીવનમાં જ્યારે જ્યારે કોઈક સમસ્યા અનુભવું ત્યારે ક્યાંકથી મને મદદ આવે અને સમસ્યા સંકટ આપો આપ દૂર થાય અને રસ્તો નીકળે. ધર્મકાર્ય હોય, વ્યવસાય હોય, અંગત કે સામાજિક જીવન હોય... કોઇ પણ ક્ષેત્રે કોઈક સંકટ સમસ્યા આવે એટલે કોઈક એવું વ્યક્તિત્વ હાજર થાય કે જે સમસ્યા સંકટનો ઉકેલ લઈને આવે અને સમસ્યા ઉકેલે કે સંકટ દૂર કરે!!

સવાર પડે કોઈક સમસ્યા આવે અને સાંજ થતાં એ ઉકેલાય જાય!!!

ધીમે ધીમે અનુભવો પરથી મને સમજાયું કે આ બીજું કોઇ નહીં હનુમાનજી મહારાજ જ છે જે કોઈકના માધ્યમથી આવે અને મને સમસ્યા સંકટમાથી ઉગારે.

તમે જો શ્રી રામને ભજતાં હશો તો આવા અનુભવ તમને થયા હશે અને જો થયા હોય તો સમજી જાજો કે એ સાક્ષાત હનુમાનજી મહારાજ આવીને તેમને ઉગારી ગયા.

અગત્યનું:

સંકટમાં કોઈક મિત્ર કે અન્ય કોઈ સબંધ સ્વરૂપે કોઈક તમારું બાવડું ઝાલે કે મદદે આવે તો સમજી જજો કે એ હનુમાનજી દ્વારા મોકલાયેલી મદદ છે. એ મદદગારને ક્યારેય અવગણના ના કરશો.

હનુમાનજી મહારાજની ભેટ સ્વરૂપે મળેલા સબંધોને પ્રેમથી જાળવજો પછી ભલેને દાદાના મંદિરે નહીં જાઓ તોયે દાદા રાજી રહેશે.

જય જય સીયારામ ?

(સુદામા)

About The Author

UD Picture

Top News

NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે....
Charcha Patra 
NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે (14 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લદ્દાખી સોશિયલ વર્કર સોનમ વાંગચુક...
National 
17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને...
Opinion 
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 1 નવેમ્બર 1949ના રોજ લેવા પાટીદાર પરિવારમાં જન્મેલા ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જેમને...
Opinion 
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.