ધો-12ની પરીક્ષા આપતી 1 છાત્રા માટે 8 કર્મચારી કેમ તૈનાત કરાયા?

મધ્યપ્રદેશમાં હાલમાં પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે. તેમાં પરીક્ષાના એક કેન્દ્ર અશોકનગરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિચિત્ર તસવીર સામે આવી છે. જિલ્લા મુખ્યાલયમાં એક સૌથી મોટું પરીક્ષા કેન્દ્ર છે સરસ્વતી શિશુ મંદિર શાળા, તેમાં માત્ર એક વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે, એક છાત્રા જ પરીક્ષા આપી રહી હતી અને તેના માટે 9 સરકારી કર્મચારીઓની ટીમ પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહી હતી.

મધ્યપ્રદેશમાં હાલ 10 અને 12માં ધોરણના બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન અશોકનગર જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અશોકનગર અને મુંગાવલીની શાળાઓમાં આજે સંસ્કૃત વિષયની પરીક્ષા હતી, તેમાં તે વિષયનો એક-એક વિદ્યાર્થી જ પરીક્ષા આપવા આવ્યો હતો. જે માટે બંને શાળાઓમાં 8 જેટલા કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા.

હકીકતમાં, અશોકનગરના પઠારમાં સ્થિત સરસ્વતી શિશુ મંદિરમાં પરીક્ષાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. આમ તો તે કેન્દ્ર પર કુલ 858 વિદ્યાર્થીઓ પેપર આપી રહ્યા હતા. પરંતુ તે પરીક્ષા કેન્દ્રમાં એક રૂમ એવો પણ હતો, જ્યાં માત્ર એક જ વિદ્યાર્થી મનીષા અહિરવાર પેપર આપી રહી હતી. આ વિદ્યાર્થીએ સંસ્કૃત વિષયનું પેપર આપ્યું હતું, જેના માટે 8 કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા.

જિલ્લાના મુંગાવલીની સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. અહીં પણ એક જ વિદ્યાર્થીએ પોતાનું પેપર આપ્યું હતું. ઉચ્ચતર માધ્યમિકના સંસ્કૃત વિષયની પરીક્ષા માટે જિલ્લામાં 20 જેટલા પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. અશોકનગરમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે એક પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, જ્યાં 466 ઉચ્ચ માધ્યમિક ઉમેદવારો પેપર આપી રહ્યા હતા. પરંતુ માત્ર કચ્છનાર ગામની વિદ્યાર્થિની મનીષા અહિરવાર સંસ્કૃત વિષયની પરીક્ષા આપવા આવી હતી અને તેના માટે તે પરીક્ષા કેન્દ્ર પર કલેક્ટર પ્રતિનિધિ, સુપરવાઈઝર, કેન્દ્ર અધ્યક્ષ, મદદનીશ કેન્દ્ર અધ્યક્ષ અને એક પોલીસકર્મી અને બે પટાવાળા અને અન્ય એકની એમ મળીને કુલ 8 સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ કેમ થયું? એ કયા કારણો હતા જેના કારણે અમદાવાદથી ફ્લાઇટ પૂર્ણ ન થઈ શકી? આ...
Gujarat 
 એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.