ગુજરાત સરકારનો મોટો નિર્ણય, RTE હેઠળ આવક મર્યાદા વધારીને આટલા લાખ રૂપિયા કરી

ગુજરાત સરકારે RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.  અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં RTE પ્રવેશ માટેની આવક મર્યાદા  રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂ. 1.50 લાખ હતી.  હવે તેને વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આનો અર્થ એ થયો કે હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા માતા-પિતા તેમના બાળકો માટે અરજી કરી શકશે. 

RTE-Admission1
ourvadodara.com

ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણય ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત હશે.  RTE પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યારે સરકારે આવક મર્યાદા વધારવાના નિર્ણય સાથે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે.  વાલીઓ હવે 15મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

RTE-Admission
shiksha.com

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.  અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 સીટો પર પ્રવેશ આપવામાં આવશે.  સુરત શહેરની 994 શાળાઓમાં 15,229 સીટો અને ગ્રામ્ય વિસ્તારની 388 શાળાઓમાં 3,913 સીટો ઉપલબ્ધ થશે. 

ગત વર્ષે સુરત શહેરમાં 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ સીટો હતી.  વડોદરામાં RTE હેઠળ કુલ 333 શાળાઓમાં 4,800 સીટો પર પ્રવેશ આપવામાં આવશે.  ગયા વર્ષની સરખામણીમાં 1500 સીટોનો વધારો થયો છે.  વર્ષ 2025માં રાજકોટ શહેર અને જિલ્લાની 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.