ગુજરાત સરકારનો મોટો નિર્ણય, RTE હેઠળ આવક મર્યાદા વધારીને આટલા લાખ રૂપિયા કરી

ગુજરાત સરકારે RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.  અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં RTE પ્રવેશ માટેની આવક મર્યાદા  રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂ. 1.50 લાખ હતી.  હવે તેને વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આનો અર્થ એ થયો કે હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા માતા-પિતા તેમના બાળકો માટે અરજી કરી શકશે. 

RTE-Admission1
ourvadodara.com

ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણય ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત હશે.  RTE પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યારે સરકારે આવક મર્યાદા વધારવાના નિર્ણય સાથે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે.  વાલીઓ હવે 15મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

RTE-Admission
shiksha.com

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.  અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 સીટો પર પ્રવેશ આપવામાં આવશે.  સુરત શહેરની 994 શાળાઓમાં 15,229 સીટો અને ગ્રામ્ય વિસ્તારની 388 શાળાઓમાં 3,913 સીટો ઉપલબ્ધ થશે. 

ગત વર્ષે સુરત શહેરમાં 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ સીટો હતી.  વડોદરામાં RTE હેઠળ કુલ 333 શાળાઓમાં 4,800 સીટો પર પ્રવેશ આપવામાં આવશે.  ગયા વર્ષની સરખામણીમાં 1500 સીટોનો વધારો થયો છે.  વર્ષ 2025માં રાજકોટ શહેર અને જિલ્લાની 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે.

Top News

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
Education 
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
National 
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
National 
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’,  અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.