વિદ્યા સહાયકોનું ગાંધીનગરમાં પ્રદર્શન, ભાવિ શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

છેલ્લાં કેટલાંક સમયથી વિદ્યા સહાયકોનું આંદોલન ચાલી રહ્યું છે.મંગળવારે ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોએ પ્રદર્શન કર્યું તો પોલીસે તેમને ટીંગાટોળી કરીને પોલીસવાનમાં બેસાડી દીધા હતા.કેટલીક મહિલા ઉમેદવારો તો ધ્રુસ્કે ધ્રસ્કે રડી પડી હતી.

ગુજરાત સરકારે શાળાઓમાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક તરીકે કોન્ટ્રાક્ટથી શિક્ષકોની ભરતી શરૂ કરી છે. ત્યારથી Teacher Eligibility Test (TET) પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે લડત આપી રહ્યા છે.

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે, જેમાં 11 મહિનાના કરાર પર જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને કારણે TET પાસ ઉમેદવારોનું ભાવિ જોખમાયું છે.સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ છે ત્યારે મંગળવારે વિદ્યા સહાયકો ગાંધીનગર પહોંચ્યા હતા અને આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ પોલીસે આવીને ઉમેદવારોને ટીંગાટોળી કરીને ઉપાડી લીધા હતા. પોલીસ અને ઉમેદવારોના ઘર્ષણમાં કેટલાંકને ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

જો કે ઉમેદવારોએ કહ્યું હતું કે, પોલીસ અમારી ગમે તેટલી વખત અટકાયત કરે, પણ અમારું આંદોલન અટકવાનું નથી, આંદોલન ચાલું જ રહેશે. કરાર આધારિત નહીં પણ કાયમી ધોરણે શિક્ષકોની ભરતીની અમારી લડત ચાલું જ રહેશે.

ઉમેદવારોનું કહેવું છે કે સરકારી શાળાઓમાં એક તરફ શિક્ષકોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઇ રહી છે. એક તાસ પ્રમાણે શિક્ષકોને મહેનતાણું આપવામાં આવશે. બીજી તરફ 32 હજાર જેટલા બીએડ પાસ વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી. આમ છતા સરકાર કાયમી ભરતી કરતી નથી.

ઉમેદવારોએ કહ્યુ કે ગુજરાત સરકારે શિક્ષક બનવા માટે TETની પરીક્ષા ફરજિયાત કરી છે અને તેમાં પણ પ્રમાણપત્રની મર્યાદા 5 વર્ષ જ રાખવામાં આવી છે. હવે જો આ 5 વર્ષમાં નોકરી ન મળે તો ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે.

ગાંધીનગરમાં આજે વિદ્યા સહાયકોએ ફરી એક વખત સરકાર સામે મોરચો માંડ્યો હતો, પરંતુ પોલીસે આવીને આંદોલનકારીઓની અટકાયત કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. કેટલીક મહિલા ઉમેદવારો રડી પડી હતી.

તો બીજી તરફ એપ્રિલ 2005 પહેલા નિમણૂંક પામેલા શિક્ષકોની આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જૂની પેન્શન યોજનાનો ઠરાવ ન થતા આ બેઠક બોલવવામાં આવી હતી. જૂની પેન્શન યોજના અંગે રાજ્યના 22 હજાર જેટલા શિક્ષકો આંદોલન કરી શકે છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.