અભિનેત્રીઓને 'ફર્નિચર' ગણવામાં આવે છે, જાતિભેદ થાય છે;ઇન્ડસ્ટ્રીના રહસ્યો ખોલ્યા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. જો કે, આ માટે તેણે ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે સંઘર્ષ કરવાની સાથે-સાથે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેમને કાસ્ટિંગ કાઉચ જેવી બાબતોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, ઈન્ડસ્ટ્રીની અન્ય એક પ્રખ્યાત અભિનેત્રીએ તેના તાજેતરના ઈન્ટરવ્યુમાં ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા અંદરના રહસ્યો જાહેર કર્યા. તેણે જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં જાતિ ભેદભાવની સાથે સાથે અભિનેત્રીઓને કેવી ગણવામાં આવે છે?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની પ્રતિભાથી ખાસ ઓળખ બનાવી છે, પરંતુ આ માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત તેઓએ ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ જેવી સમસ્યાઓનો પણ ખુલાસો કર્યો હતો. હવે બીજી એક જાણીતી અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્ટરવ્યુમાં ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા કડવા સત્યો કહ્યા છે. તેણે કહ્યું કે કેવી રીતે ઈન્ડસ્ટ્રીમાં જાતિગત ભેદભાવ છે અને અભિનેત્રીઓ વિશે ખરાબ વિચારો રાખવામાં આવે છે. જેમને આગળ વધવા માટે આ બધું સહન કરવું પડે છે અને સંઘર્ષ કરવો પડે છે.

અહીં અમે 44 વર્ષની કોંકણા સેન શર્મા વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથે પોતાના ફેન્સમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ તેની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. 1983માં તેણે બંગાળી ફિલ્મ 'ઈન્દિરા'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. જ્યારે તે મોટી થઈ, ત્યારે તે બંગાળી ફિલ્મ 'એક જે આછે કન્યા' સાથે ફરીથી સ્ક્રીન પર પાછી આવી, જેમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી. વર્ષ 2002માં કોંકણા રિતુપર્ણો ઘોષની ફિલ્મ 'તિતલી'માં જોવા મળી હતી અને તેણે પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

હિન્દી સિનેમાથી લઈને બંગાળી સિનેમામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી કોંકણાએ હાલમાં જ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છોકરીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને આ કૃત્યો ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા મોટા લોકો કરે છે. આ કારણે કોઈ તેમની સામે ખુલીને બોલી શકતું નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, જાતિના આધારે ભેદભાવ થાય છે, જેના કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોંકણાએ સુચરિતા ત્યાગીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં લોકો સાથે જાતિ અને વર્ગના આધારે ભેદભાવ કરવામાં આવે છે.

તેણે કહ્યું કે, શૂટિંગના સેટ પર નક્કી થાય છે કે, કોણ ક્યાં બેસશે? કોને બેસવા દેવામાં આવશે? કોને શું ભોજન મળશે અને કયું બાથરૂમ કોના માટે હશે? આ તમામ બાબતો જાતિના આધારે નક્કી કરવામાં આવે છે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કડવું સત્ય છે. કોંકણાએ કહ્યું કે જો તમે ઈન્ડસ્ટ્રીમાં સિનિયર એક્ટ્રેસ નથી તો લોકો તમારી સાથે સારો વ્યવહાર નથી કરતા. ઘણી વખત તમને એવું અહેસાસ કરાવવામાં આવે છે કે તમે માત્ર 'ફર્નિચર' છો, એટલે કે તમારા મહત્વને કઈ સમજતા જ નથી. આવા વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

તેણે કહ્યું કે તે કલ્પના પણ કરી શકતી નથી કે, આવી પરિસ્થિતિઓને સહન કરવી કેટલી મુશ્કેલ હશે. કોંકણા સેનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની સૌથી મોટી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ અય્યર' હતી, જેનું નિર્દેશન તેની માતા અપર્ણા સેન દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, કોંકણાને તેની વાસ્તવિક ઓળખ ફિલ્મ 'પેજ 3'થી મળી હતી. આમાં તેણે વિદ્યા બાલન સાથે કામ કર્યું હતું અને પત્રકારની ભૂમિકામાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી. તાજેતરમાં, તે 'કિલર સૂપ' નામની શ્રેણીમાં જોવા મળી હતી, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.