22 વર્ષ બાદ ફરીથી મોટા પડદા પર રીલિઝ થશે 'ગદર'નો પહેલો ભાગ

સની દેઓલની ફિલ્મો ફેન્સને ખૂબજ પસંદ આવે છે. ફેન્સને સની દેઓલની એક્શન ફિલ્મ ખૂબ ગમે છે. સની દેઓલની આગામી ફિલ્મ ગદર 2 જલ્દીથી જ રીલિઝ થનારી છે. આ ફિલ્મમાં પણ તેની સાથે અમીશા પટેલ નજરે પડશે. થોડા દિવસો પહેલા ગદર 2થી સની દેઓલનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો હતો. જેમાં તે પોતાના જૂના અંદાજમાં નજરે પડ્યો હતો. જ્યારથી પહેલો લુક સામે આવ્યો છે ત્યારથી ફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. ફેન્સ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે, ક્યારે રીલિઝ થશે, તેની તો કોઇને જ ખબર નથી, પણ ગદરને લઇને મેકર્સે એક મોટો નિર્ણય લીધો છે.

વર્ષ 2001માં ‘ગદર - એક પ્રેમ કથા’ રીલિઝ થઇ હતી. એ દરમિયાન આ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી હતી, જ્યારે એ વર્ષ અને એ જ દિવસે આમિર ખાનની લગાન પણ રીલિઝ થઇ હતી. હવે ‘ગદર 2’ આ વર્ષે 11મી ઓગસ્ટના રોજ રીલિઝ થશે. પણ મેકર્સે ‘ગદર 2’ને લઇને નિર્ણય લીધો છે કે, 22 વર્ષ બાદ એક ફરી વાર આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ કરશે.

ફિલ્મના પ્રોડક્શન કંપની તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કર્યું છે. તેમાં કહેવાયું છે કે, ‘ગદર 2’થી પહેલા ‘ગદર – એક પ્રેમ કથા’ને રીલિઝ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, તેને એ જ તારીખે રીલિઝ કરવામાં આવશે, જે તારીખે 2001માં પહેલી ફિલ્મને રીલિઝ કરવામાં આવી હતી. મેકર્સે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, દર્શક એક ફરી વાર આખી સ્ટોરીને ફરીથી જોઇ શકે. મેકર્સે તેને 15મી જૂન, 2023ના રોજ રીલિઝ કરવાનો નિર્ણય કર્યો છે.

‘ગદર 2’ને અનીલ શર્માએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ પુરું થઇ ચૂક્યું છે. ફિલ્મમાં તેનો દિકરો ઉત્કર્ષ શર્મા પણ નજરે પડશે, જે, ‘ગદર – એક પ્રેમ કથા’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ હતો. પણ ‘ગદર 2’માં તે હવે હીરો તરીકે જોવા મળશે. કહેવાઇ રહ્યું છે કે, ‘ગદર 2’ 100 કરોડ રૂપિયાના બજેટથી બનેલી ફિલ્મ છે. ફેન્સ ‘ગદર 2’ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

RSS મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

દેશભરમાં 40 લાખથી વધારે સભ્યો અને 83 હજારથી વધારે શાખા ધરાવતું રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) હવે પોતાના માળખામાં...
National 
RSS  મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

ઓડીએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કરી દીધી છે. કંપનીએ બ્રાન્ડની પ્રીમિયમ કાર ઓડી SQ8 લોન્ચ કરી છે. આ...
Tech and Auto 
Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ

દલિતો અને પછાત જાતિના મસીહા ગણાતા દિવગંત કાંશીરામની 15 માર્ચે જન્મ જયંતિ છે, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 માર્ચ,...
Politics 
ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 19-03-2026 વાર- ગુરુવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.